6 લેણાદારોના નામ લખેલી સ્યૂસાઇડ નોટ પોલીસને મળી આવી
છેલ્લા ત્રણ મહિનામાં લેણદારોને રૂ. 7થી 8 લાખ ચુકવ્યા હોવા છતાં પઠાણી ઉઘરાણી થતી હતી
WatchGujarat શહેરના કારખાનેદારે લેણાદારોના ત્રાસથી કંટાળી પત્નીની ગેરહાજરીમાં ગળે ફાંસ ખાઇ આપઘાત કરી લીધો હતો. કારખાનેદારે આપઘાત કરતા પહેલા લખેલી સ્યૂસાઇડ નોટ પોલીસને મળી આવી છે. જેમાં 6 લેણાદારોના નામ સાથે લખેલી સ્યૂસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના અલથામા વિસ્તારમાં આવેલા એસએમસી આવાસાં પરિવાર સાથે રહેતા 50 વર્ષીય અજયભાઇ બસરાજ સિંગ પોતાનુ કારખાનુ ધરાવે છે. અજયભાઇએ થોડા મહિનાઓ પહેલા મનોજ અને જગન્નાથની મદદથી એક વેપારીને રૂ. 28.40 લાખનો કાપડનો જથ્થો અપાવ્યો હતો. જોકે કાપડનો જથ્થો લેનાર વેપારી રૂપિયાની ચુંકવણી કર્યા વિના જ ભાગી ગયો હતો. જેથી લેણાદરોએ અજયભાઇ પાસે રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી.
કોઇનુ ભલુ કરવામાં ફસાયેલા અજયભાઇએ છેલ્લા ત્રણ મહિનામાં લેણદારોને રૂ. 7થી 8 લાખ ચુકવ્યા હોવાનુ તેમના પુત્રનુ કહેવુ છે. છતાંય લેણદારો દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહીં હતી. જેથી છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ચિંતામાં રહેવા લાગ્યા હતા. દરમિયાન તેમના પત્ની કામ અર્થે બહાર નિકળતા તેઓ ઘરમાં એકલા હતા તેવામાં અજયભાઇએ લેણાદારોની પઠાણી ઉઘરાણીથી કંટાળી જઇ આખરે ગળે ફાંસો ખાઇ જીવનનો અંત લાવી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, કારખાનેદારે આપઘાત કરતા પહેલા એક સ્યૂસાઇડ નોટ લખી હતી. આ સ્સૂસાઇડ નોટ તપાસ દરમિયાન પોલીસના હાથે લાગે હતી. જેથી પોલીસ સ્યૂસાઇડ નોટ કબજે કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, 3 મહિનાથી શૈલેષ, નિલેશ, ગોવિંદ, સોની, મનોજ અને જગન્નાથ ઉઘરાણીને લઈ ત્રાસ આપતા અજયે આખરી પગલું ભર્યું હતું. હાલ ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુસાઈડ નોટ લખી કર્યો આપઘાત
લુમ્સ કારખાનેદારે લખેલી એક સુસાઈડ પણ મળી આવી છે. જેમાં શરૂઆતમાં શૈલેષ, નિલેશ, ગોવિંદ, સોનીના નામ લખ્યા છે. ત્યારબાદ આ લોકો મને પરેશાન કરી રહ્યા છે. ધંધો કરવા દેતા નથી. જેથી પરેશાન થઈને હું આત્મહત્યા કરું છું. મારા મોત માટે આ લોકો જવાબદાર છે. નીચે મનોજ અને જગન્નાથના પણ નામ લખ્યા છે. પોલીસે હાલ સુસાઈડ નોટ અને પરિવારજનોની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
6 લેણાદારોના નામ લખેલી સ્યૂસાઇડ નોટ પોલીસને મળી આવી
છેલ્લા ત્રણ મહિનામાં લેણદારોને રૂ. 7થી 8 લાખ ચુકવ્યા હોવા છતાં પઠાણી ઉઘરાણી થતી હતી
WatchGujarat શહેરના કારખાનેદારે લેણાદારોના ત્રાસથી કંટાળી પત્નીની ગેરહાજરીમાં ગળે ફાંસ ખાઇ આપઘાત કરી લીધો હતો. કારખાનેદારે આપઘાત કરતા પહેલા લખેલી સ્યૂસાઇડ નોટ પોલીસને મળી આવી છે. જેમાં 6 લેણાદારોના નામ સાથે લખેલી સ્યૂસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના અલથામા વિસ્તારમાં આવેલા એસએમસી આવાસાં પરિવાર સાથે રહેતા 50 વર્ષીય અજયભાઇ બસરાજ સિંગ પોતાનુ કારખાનુ ધરાવે છે. અજયભાઇએ થોડા મહિનાઓ પહેલા મનોજ અને જગન્નાથની મદદથી એક વેપારીને રૂ. 28.40 લાખનો કાપડનો જથ્થો અપાવ્યો હતો. જોકે કાપડનો જથ્થો લેનાર વેપારી રૂપિયાની ચુંકવણી કર્યા વિના જ ભાગી ગયો હતો. જેથી લેણાદરોએ અજયભાઇ પાસે રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી.
કોઇનુ ભલુ કરવામાં ફસાયેલા અજયભાઇએ છેલ્લા ત્રણ મહિનામાં લેણદારોને રૂ. 7થી 8 લાખ ચુકવ્યા હોવાનુ તેમના પુત્રનુ કહેવુ છે. છતાંય લેણદારો દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહીં હતી. જેથી છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ચિંતામાં રહેવા લાગ્યા હતા. દરમિયાન તેમના પત્ની કામ અર્થે બહાર નિકળતા તેઓ ઘરમાં એકલા હતા તેવામાં અજયભાઇએ લેણાદારોની પઠાણી ઉઘરાણીથી કંટાળી જઇ આખરે ગળે ફાંસો ખાઇ જીવનનો અંત લાવી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, કારખાનેદારે આપઘાત કરતા પહેલા એક સ્યૂસાઇડ નોટ લખી હતી. આ સ્સૂસાઇડ નોટ તપાસ દરમિયાન પોલીસના હાથે લાગે હતી. જેથી પોલીસ સ્યૂસાઇડ નોટ કબજે કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, 3 મહિનાથી શૈલેષ, નિલેશ, ગોવિંદ, સોની, મનોજ અને જગન્નાથ ઉઘરાણીને લઈ ત્રાસ આપતા અજયે આખરી પગલું ભર્યું હતું. હાલ ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુસાઈડ નોટ લખી કર્યો આપઘાત
લુમ્સ કારખાનેદારે લખેલી એક સુસાઈડ પણ મળી આવી છે. જેમાં શરૂઆતમાં શૈલેષ, નિલેશ, ગોવિંદ, સોનીના નામ લખ્યા છે. ત્યારબાદ આ લોકો મને પરેશાન કરી રહ્યા છે. ધંધો કરવા દેતા નથી. જેથી પરેશાન થઈને હું આત્મહત્યા કરું છું. મારા મોત માટે આ લોકો જવાબદાર છે. નીચે મનોજ અને જગન્નાથના પણ નામ લખ્યા છે. પોલીસે હાલ સુસાઈડ નોટ અને પરિવારજનોની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.