સુરતને હીરા પારખતા આવડે છે, તેણે AAP ના 27 હીરા પારખી લીધા
અમરોલી, વરાછા, કતારગામ, માતાવાડી, પુણા, ઉમરવાડા, પુણા, કાપોદરા, સરથાણા, વેડરોડ-સિંગણપોર વગેરે વિસ્તારોના મતદારો આ વોર્ડમાં નિર્ણાયક
રાજકરણમાં આગળ વધવા ધનબળ, બાહુબળ અને વંશબળ હોવું જરૂરી નથી
WatchGujarat. સુરત મહાનગરપાલિકાના પાટીદાર વિસ્તારોમાં ભાજપ-કોંગ્રેસને બેકફૂટ પર લાવી દેનાર આમ આદમી પાર્ટીના વિજય પાછળ ઘણે અંશે પાટીદાર અનામત સમિતિ(પાસ)નું પણ યોગદાન છે. સાથે લોકડાઉન દરમિયાન આર્થિક સંકડામણમાં મુકાયેલા લાખો રત્નકલાકારોની ચૂંટાયેલી પાંખ દ્વારા કરાયેલી અવગણનાની અસર પણ આ વખતે સૌરાષ્ટ્રવાસી વિસ્તારોના મતદાતાઓમાં દેખાઈ છે.
સુરત પાલિકામાં ભાજપનો ભગવો ભલે યથાવત્ રહ્યો પરંતુ કોંગ્રેસના સુપડા સાફ કરીને આપ જે 27 બેઠકો કબજે કરી છે. તેની અસરો જિલ્લા-તાલુકા પંચાયતો અને વિધાનસભા સુધી પડવાની છે. ભાજપની સત્તા મેળવવાની ચર્ચાની જગ્યાએ આમ આદમી દ્વારા 27 બેઠકો પર જીત મેળવવાની ચર્ચા શહેરમાં ટોક ઓફ ધી ટાઉન રહી હતી.
https://twitter.com/surat_aap/status/1364446186178969602?s=20
સુરતના પાટીદાર વિસ્તારોમાંથી આપની ટિકિટ પર ઊભા રહેલા ઉમેદવારો એકદમ સામાન્ય વર્ગના છે. કોઈ લારી ચલાવે છે, કોઈ જોબવર્કનું કામ કરે છે કે મહિલા ઉમેદવાર સાડીઓ-ડ્રેસ પર સ્ટોનવર્કનું કામ કરે છે. તેમ છતાં સુરતે તેમને વિજયી બનાવી ઈતિહાસ રચ્ચો છે. સૌરાષ્ટ્રવાસીની બહુધા વસ્તી ધરાવતા વિસ્તારમાંથી ઊભેલા આ ઉમેદવારો ત્યાંના મતદારોને પોતાના જ લાગ્યા અને ખોબેખોબા ભરી મત આપી આખા ગુજરાતમાં ક્યાંય નહિં પરંતુ સુરતમાં સૌરાષ્ટ્રવાસી મતદાતાઓએ પોતાની તાકાતનો પરચો બતાવી આપ્યો હતો.
સુરત મહાનગરપાલિકાના 30 પૈકી 11 વોર્ડમાં સૌરાષ્ટ્રવાસી પાટીદારોની વસ્તી છે. અમરોલી, વરાછા, કતારગામ, માતાવાડી, પુણા, ઉમરવાડા, પુણા, કાપોદરા, સરથાણા, વેડરોડ-સિંગણપોર વગેરે વિસ્તારોના મતદારો આ વોર્ડમાં નિર્ણાયક બન્યા છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પ્રભાવિત વિસ્તારોમાં પાસના કાર્યકરોનું ગ્રાસરૂટ વર્ક સહિત ખોડલધામ ખાતે પાટીદાર મહાપંચાયતમાં આ વખતે કોંગ્રેસ-ભાજપને બદલે ઝાડું ફેરવી દેવાના એલાનનો સ્પષ્ટ પડધો આ વિસ્તારના પરિણામો પર ઉપસ્યો છે.
ભાજપે ઉમેદવારી પર ખેંચવા લાખોનું પ્રલોભન આપ્યું પરંતુ આપના ઉમેદવારો ડગ્યા નહિં
આપના ઉમેદવારોએ વિજયી બન્યા બાદ તુરત જ સીમાડા ખાતે પત્રકાર પરિષદ રૂપી સભા યોજી હતી અને તેમાં સ્પષ્ટ હુંકાર કર્યો હતો કે સુરતને હીરા પારખતા આવડે છે, તેણે 27 હીરા પારખી લીધા છે.ચૂંટણી જીતેલા મોટાભાગના આપની જીતે ભાજપ અને કોંગ્રેસ દ્વારા વરસોથી સ્થાપિત કરવામાં આવેલી રીતોને તોડી નાંખી છે. રાજકરણમાં આગળ વધવા ધનબળ, બાહુબળ અને વંશબળ હોવું જરૂરી નથી. કોંગ્રેસની જેમ દરેક પક્ષના ઉમેદવારોને પૈસાના જોરે ખરીદી શકાતા નથી. 114 સક્ષમ ઉમેદવારો મૂક્યા તે અમારી પ્રથમ જીત હતી બાદમાં આપનું એક પણ ફોર્મ કેન્સલ ન થયું તે અમારી બીજી જીત હતી.
ભાજપે ઉમેદવારી પરત ખેંચવા લાખો રૂપિયાનું પ્રલોભન આપ્યું છતાં એક પણ ઉમેદવારે ફોર્મ પાછું ખેચ્યું નહિં જ્યારે આપના તમામ ઉમેદવારો સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓ લારી ચલાવીને, એમ્બ્રોઈડરીનું જોબ વર્ક કરીને, સ્ટોન વર્ક કરીને ગુજરાન ચલાવે છે. કોઈ શિક્ષક અને એન્જિનિયર છે પરંતુ તેમ છતાં આપના ઉમેદવારો ડ્ગ્યા નહિં, ભાજપના હાથે એક ઉમેદવારો વેચાયો નહિં તે અમારી મોટી જીત છે હવે સુરત પાલિકામાં ભ્રષ્ટાચાર સામે લડીશું.
સુરતને હીરા પારખતા આવડે છે, તેણે AAP ના 27 હીરા પારખી લીધા
અમરોલી, વરાછા, કતારગામ, માતાવાડી, પુણા, ઉમરવાડા, પુણા, કાપોદરા, સરથાણા, વેડરોડ-સિંગણપોર વગેરે વિસ્તારોના મતદારો આ વોર્ડમાં નિર્ણાયક
રાજકરણમાં આગળ વધવા ધનબળ, બાહુબળ અને વંશબળ હોવું જરૂરી નથી
WatchGujarat. સુરત મહાનગરપાલિકાના પાટીદાર વિસ્તારોમાં ભાજપ-કોંગ્રેસને બેકફૂટ પર લાવી દેનાર આમ આદમી પાર્ટીના વિજય પાછળ ઘણે અંશે પાટીદાર અનામત સમિતિ(પાસ)નું પણ યોગદાન છે. સાથે લોકડાઉન દરમિયાન આર્થિક સંકડામણમાં મુકાયેલા લાખો રત્નકલાકારોની ચૂંટાયેલી પાંખ દ્વારા કરાયેલી અવગણનાની અસર પણ આ વખતે સૌરાષ્ટ્રવાસી વિસ્તારોના મતદાતાઓમાં દેખાઈ છે.
સુરત પાલિકામાં ભાજપનો ભગવો ભલે યથાવત્ રહ્યો પરંતુ કોંગ્રેસના સુપડા સાફ કરીને આપ જે 27 બેઠકો કબજે કરી છે. તેની અસરો જિલ્લા-તાલુકા પંચાયતો અને વિધાનસભા સુધી પડવાની છે. ભાજપની સત્તા મેળવવાની ચર્ચાની જગ્યાએ આમ આદમી દ્વારા 27 બેઠકો પર જીત મેળવવાની ચર્ચા શહેરમાં ટોક ઓફ ધી ટાઉન રહી હતી.
સુરતના પાટીદાર વિસ્તારોમાંથી આપની ટિકિટ પર ઊભા રહેલા ઉમેદવારો એકદમ સામાન્ય વર્ગના છે. કોઈ લારી ચલાવે છે, કોઈ જોબવર્કનું કામ કરે છે કે મહિલા ઉમેદવાર સાડીઓ-ડ્રેસ પર સ્ટોનવર્કનું કામ કરે છે. તેમ છતાં સુરતે તેમને વિજયી બનાવી ઈતિહાસ રચ્ચો છે. સૌરાષ્ટ્રવાસીની બહુધા વસ્તી ધરાવતા વિસ્તારમાંથી ઊભેલા આ ઉમેદવારો ત્યાંના મતદારોને પોતાના જ લાગ્યા અને ખોબેખોબા ભરી મત આપી આખા ગુજરાતમાં ક્યાંય નહિં પરંતુ સુરતમાં સૌરાષ્ટ્રવાસી મતદાતાઓએ પોતાની તાકાતનો પરચો બતાવી આપ્યો હતો.
સુરત મહાનગરપાલિકાના 30 પૈકી 11 વોર્ડમાં સૌરાષ્ટ્રવાસી પાટીદારોની વસ્તી છે. અમરોલી, વરાછા, કતારગામ, માતાવાડી, પુણા, ઉમરવાડા, પુણા, કાપોદરા, સરથાણા, વેડરોડ-સિંગણપોર વગેરે વિસ્તારોના મતદારો આ વોર્ડમાં નિર્ણાયક બન્યા છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પ્રભાવિત વિસ્તારોમાં પાસના કાર્યકરોનું ગ્રાસરૂટ વર્ક સહિત ખોડલધામ ખાતે પાટીદાર મહાપંચાયતમાં આ વખતે કોંગ્રેસ-ભાજપને બદલે ઝાડું ફેરવી દેવાના એલાનનો સ્પષ્ટ પડધો આ વિસ્તારના પરિણામો પર ઉપસ્યો છે.
ભાજપે ઉમેદવારી પર ખેંચવા લાખોનું પ્રલોભન આપ્યું પરંતુ આપના ઉમેદવારો ડગ્યા નહિં
આપના ઉમેદવારોએ વિજયી બન્યા બાદ તુરત જ સીમાડા ખાતે પત્રકાર પરિષદ રૂપી સભા યોજી હતી અને તેમાં સ્પષ્ટ હુંકાર કર્યો હતો કે સુરતને હીરા પારખતા આવડે છે, તેણે 27 હીરા પારખી લીધા છે.ચૂંટણી જીતેલા મોટાભાગના આપની જીતે ભાજપ અને કોંગ્રેસ દ્વારા વરસોથી સ્થાપિત કરવામાં આવેલી રીતોને તોડી નાંખી છે. રાજકરણમાં આગળ વધવા ધનબળ, બાહુબળ અને વંશબળ હોવું જરૂરી નથી. કોંગ્રેસની જેમ દરેક પક્ષના ઉમેદવારોને પૈસાના જોરે ખરીદી શકાતા નથી. 114 સક્ષમ ઉમેદવારો મૂક્યા તે અમારી પ્રથમ જીત હતી બાદમાં આપનું એક પણ ફોર્મ કેન્સલ ન થયું તે અમારી બીજી જીત હતી.
ભાજપે ઉમેદવારી પરત ખેંચવા લાખો રૂપિયાનું પ્રલોભન આપ્યું છતાં એક પણ ઉમેદવારે ફોર્મ પાછું ખેચ્યું નહિં જ્યારે આપના તમામ ઉમેદવારો સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓ લારી ચલાવીને, એમ્બ્રોઈડરીનું જોબ વર્ક કરીને, સ્ટોન વર્ક કરીને ગુજરાન ચલાવે છે. કોઈ શિક્ષક અને એન્જિનિયર છે પરંતુ તેમ છતાં આપના ઉમેદવારો ડ્ગ્યા નહિં, ભાજપના હાથે એક ઉમેદવારો વેચાયો નહિં તે અમારી મોટી જીત છે હવે સુરત પાલિકામાં ભ્રષ્ટાચાર સામે લડીશું.