પશ્ચિમ બંગાળ રહેતી સંબંધમાં શબનમની ખાલા(માસી) થતી યુવતીને તેનો પતિ જ ભગાડીને સુરત લઈ આવ્યો.
પશ્ચિમ બંગાળની યુવતી સાથે લગ્ન કરવાનો હોવાની વાતે પતિ – પત્ની વચ્ચે ઝગડો થયો.
પતિ નસીમુદ્દીન મલ્લીકે મરવું હોય તો મરી જા એમ કહેતાં શબનમે પોલીસના દ્વાર ખખડાવ્યા.
Watch Gujarat. લગ્નના 7 વર્ષ બાદ અન્ય યુવતી સાથે લગ્ન કરી લેનાર પતિએ મરવું હોય તો મરી જા એમ કહેતાં સુરતની પરિણીતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં પતિના ત્રાસને પગલે આયેશાએ સાબરમતિમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. જ્યારે પોલીસ મથકે પહોંચેલી શબનમ રડતાં રડતાં એક જ વાતનું રટણ કરતી હતી કે, “મારે આયેશા નથી બનવું, મારે જીવવું છે. મારે મારી દીકરી અને પતિ સાથે જીવવું છે”
પતિ આરીફના અસહ્ય ત્રાસ અને આપઘાત કરવાની દુષ્પ્રેરણાને પગલે આયેશાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને જીવનનો અંત આણ્યો હતો. આપઘાત કરતાં પહેલાં તેણે પતિની ઇચ્છા અનુસાર હસતાં મોંઢે બનાવેલો વિડીયો આજેય લોકોની નજર સામે તરવરી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ પતિના ત્રાસનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સુરતના લાલગેટ વિસ્તારના નાગોરીવાડ ખાતે પતિગૃહે રહેતી શબનમ 4 વર્ષિય દીકરીની માતા છે. પતિ નસીમુદ્દીન મલ્લીક દ્વારા નાની – મોટી તકરાર કરીને આપવામાં આવતાં માનસિક ત્રાસને શબનમ સહન કરીને સંસાર ચલાવી રહી હતી. નસીમુદ્દીનને મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી હોઈ અવાર – નવાર ત્યાં જતો હતો. દરમિયાનમાં તે 25 વર્ષિય યુવતીના પરિચયમાં આવ્યો હતો. જે યુવતી સંબંધના નાતે શબનમની ખાલા (માસી) થાય છે.
[caption id="attachment_566988" align="aligncenter" width="800"] (વોચ ગુજરાતના ન્યૂઝ વિડીયો તાત્કાલિક જોવા માટે ઉપરની ઇમેજ પર ક્લિક કરો. યુટ્યૂબ પર સબસ્ક્રાઈબ કરો)[/caption]
ગત તા. 4 ફેબ્રુઆરીના રોજ નસીમુદ્દીન પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આ યુવતીને પશ્ચિમ બંગાળથી ભગાડીને સુરત લઈ આવ્યો હતો. પશ્ચિમ બંગાળની યુવતીને પત્ની બનાવીને રાખવાની વાતે નસીમુદ્દીન અને શબનમ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં નસીમુદ્દીને શબનમને કહ્યું કે, મારે તારી સાથે નથી રહેવું. તું હજુ સુધી કેમ જીવી રહી છે તું પણ આપઘાત કરી લે.
અમદાવાદની આયેશાની માફક સુરતની શબનમને પણ પતિએ આપઘાત કરવાની સલાહ આપી દીધી હતી. જોકે, 4 વર્ષની દીકરીનું ભવિષ્ય અને સંસાર ટકાવવાની ખેવના સાથે શબનમ આજરોજ લાલગેટ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચી હતી. તેમજ પોલીસ કમિશનરના દરવાજા ખખડાવી ન્યાયની માંગણી કરી હતી.
https://youtu.be/E57UQPN00j8
પોલીસ મથકે પહોંચેલી શબનમે મિડીયાને નિવેદન આપતાં રડમશ ચહેરે પોતાની આપવિતી જણાવી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, “મારે આયેશા નથી બનવું, મારે જીવવું છે. મારે મારી દીકરી અને પતિ સાથે જીવવું છે”
અત્રે નોંધનિય છે કે, પશ્ચિમ બંગાળથી સુરત આવી પહોંચેલા નસરીનના પિતાએ નસીમુદ્દીનની સામે પોલીસમાં અરજી કરી હતી. જેમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી, માનવતસ્કરીના ઇરાદે અને ખોટા ધંધામાં ફસાવી દેવાના બદઈરાદે નસીમુદ્દીન નસરીનને ભગાડી ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળ રહેતી સંબંધમાં શબનમની ખાલા(માસી) થતી યુવતીને તેનો પતિ જ ભગાડીને સુરત લઈ આવ્યો.
પશ્ચિમ બંગાળની યુવતી સાથે લગ્ન કરવાનો હોવાની વાતે પતિ – પત્ની વચ્ચે ઝગડો થયો.
પતિ નસીમુદ્દીન મલ્લીકે મરવું હોય તો મરી જા એમ કહેતાં શબનમે પોલીસના દ્વાર ખખડાવ્યા.
Watch Gujarat. લગ્નના 7 વર્ષ બાદ અન્ય યુવતી સાથે લગ્ન કરી લેનાર પતિએ મરવું હોય તો મરી જા એમ કહેતાં સુરતની પરિણીતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં પતિના ત્રાસને પગલે આયેશાએ સાબરમતિમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. જ્યારે પોલીસ મથકે પહોંચેલી શબનમ રડતાં રડતાં એક જ વાતનું રટણ કરતી હતી કે, “મારે આયેશા નથી બનવું, મારે જીવવું છે. મારે મારી દીકરી અને પતિ સાથે જીવવું છે”
પતિ આરીફના અસહ્ય ત્રાસ અને આપઘાત કરવાની દુષ્પ્રેરણાને પગલે આયેશાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને જીવનનો અંત આણ્યો હતો. આપઘાત કરતાં પહેલાં તેણે પતિની ઇચ્છા અનુસાર હસતાં મોંઢે બનાવેલો વિડીયો આજેય લોકોની નજર સામે તરવરી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ પતિના ત્રાસનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સુરતના લાલગેટ વિસ્તારના નાગોરીવાડ ખાતે પતિગૃહે રહેતી શબનમ 4 વર્ષિય દીકરીની માતા છે. પતિ નસીમુદ્દીન મલ્લીક દ્વારા નાની – મોટી તકરાર કરીને આપવામાં આવતાં માનસિક ત્રાસને શબનમ સહન કરીને સંસાર ચલાવી રહી હતી. નસીમુદ્દીનને મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી હોઈ અવાર – નવાર ત્યાં જતો હતો. દરમિયાનમાં તે 25 વર્ષિય યુવતીના પરિચયમાં આવ્યો હતો. જે યુવતી સંબંધના નાતે શબનમની ખાલા (માસી) થાય છે.
[caption id="attachment_566988" align="aligncenter" width="800"](વોચ ગુજરાતના ન્યૂઝ વિડીયો તાત્કાલિક જોવા માટે ઉપરની ઇમેજ પર ક્લિક કરો. યુટ્યૂબ પર સબસ્ક્રાઈબ કરો)[/caption]
ગત તા. 4 ફેબ્રુઆરીના રોજ નસીમુદ્દીન પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આ યુવતીને પશ્ચિમ બંગાળથી ભગાડીને સુરત લઈ આવ્યો હતો. પશ્ચિમ બંગાળની યુવતીને પત્ની બનાવીને રાખવાની વાતે નસીમુદ્દીન અને શબનમ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં નસીમુદ્દીને શબનમને કહ્યું કે, મારે તારી સાથે નથી રહેવું. તું હજુ સુધી કેમ જીવી રહી છે તું પણ આપઘાત કરી લે.
અમદાવાદની આયેશાની માફક સુરતની શબનમને પણ પતિએ આપઘાત કરવાની સલાહ આપી દીધી હતી. જોકે, 4 વર્ષની દીકરીનું ભવિષ્ય અને સંસાર ટકાવવાની ખેવના સાથે શબનમ આજરોજ લાલગેટ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચી હતી. તેમજ પોલીસ કમિશનરના દરવાજા ખખડાવી ન્યાયની માંગણી કરી હતી.
પોલીસ મથકે પહોંચેલી શબનમે મિડીયાને નિવેદન આપતાં રડમશ ચહેરે પોતાની આપવિતી જણાવી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, “મારે આયેશા નથી બનવું, મારે જીવવું છે. મારે મારી દીકરી અને પતિ સાથે જીવવું છે”
અત્રે નોંધનિય છે કે, પશ્ચિમ બંગાળથી સુરત આવી પહોંચેલા નસરીનના પિતાએ નસીમુદ્દીનની સામે પોલીસમાં અરજી કરી હતી. જેમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી, માનવતસ્કરીના ઇરાદે અને ખોટા ધંધામાં ફસાવી દેવાના બદઈરાદે નસીમુદ્દીન નસરીનને ભગાડી ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.