મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તમામ કાર્યક્રમ રદ્દ કરાયા
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની હવે પ્રચારની કમાન સંભાળશે
સ્મૃતિ ઇરાની વોર્ડ નં.7 માં લોકસંપર્ક માટે ઘરે ઘરે જશે અને મતદારોને મળશે
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થતા ભાજપે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતારી દીધા છે. અને તેઓ ગુજરાતમાં ઠેર-ઠેર લોકસંપર્ક કરવાની સાથે સભાઓ પણ સંબોધશે. ત્યારે શહેરમાં પણ ઈરાનીનાં જુદા-જુદા સ્થળોએ સભા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન ભાજપ દ્વારા કરાયું છે.
રાજકોટમાં બુધવારે આયોજિત સભાઓ મુખ્યમંત્રી રૂપાણી સંબોધવાના હતા. પરંતુ અચાનક જ તેઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા હવે સ્મૃતિ ઈરાની જ આ સભાઓ સંબોધશે. ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીનાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે 17 જાન્યુઆરીએ સ્મૃતિ ઇરાની રાજકોટ આવશે. અહીં સ્મૃતિ ઇરાની વોર્ડ નં.7 માં લોકસંપર્ક માટે ઘરે ઘરે જશે અને મતદારોને મળશે. આ ઉપરાંત વોર્ડ નં.13 અને 14માં સ્મૃતિ ઇરાનીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે,મનપાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ધીમી ગતિએ પ્રચાર શરૂ કર્યો હતો. ફોર્મ પરત ખેંચાઈ ગયા બાદ ચિત્ર સ્પષ્ટ થયું ત્યારથી તમામ 18 વોર્ડમાં જોરશોરથી પ્રચાર શરૂ થયો છે. છેલ્લા ચાર દિવસથી જ્ઞાતિ સંમેલનો શરૂ થયા છે. મોટાભાગના ઉમેદવારોએ ઘરે-ઘરે જઈને લોકોનો સંપર્ક કર્યો હતો. હવે માત્ર 96 કલાકનો જ સમય વધ્યો છે. ત્યારે ભાજપ શુક્રવારની સાંજે 6 વાગ્યા સુધી પ્રચાર કરી લેવામાં થોડોક પણ સમય ગુમાવવા તૈયાર નથી. જેને લઈને કેન્દ્રીય મંત્રીને પ્રચારમાં ઉતારવામાં આવ્યા છે.
જો કે કોરોનાને કારણે જાહેર સભાઓ કરવી હિતાવહ ન હતી. અને ગતવર્ષની તુલનાએ ઘણી ઓછી સભાના આયોજન થયા છે. રાષ્ટ્રીય પક્ષની બે-ત્રણ જાહેર સભાને બાદ કરતા ઉમેદવારો પોતાના વિસ્તારમાં જ્ઞાતિ સમાજની મિટિંગ અને સંમેલન કરી પ્રચાર કરી રહ્યા છે. મોટા સમૂહ સુધી પોતાની વાત પહોંચાડવા સોશિયલ મીડિયાનો વિશેષ ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સ્મૃતિ લોકો સાથે સીધો સંપર્ક કરવાની સાથે જ સભાઓનું પણ સંબોધન કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તમામ કાર્યક્રમ રદ્દ કરાયા
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની હવે પ્રચારની કમાન સંભાળશે
સ્મૃતિ ઇરાની વોર્ડ નં.7 માં લોકસંપર્ક માટે ઘરે ઘરે જશે અને મતદારોને મળશે
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થતા ભાજપે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતારી દીધા છે. અને તેઓ ગુજરાતમાં ઠેર-ઠેર લોકસંપર્ક કરવાની સાથે સભાઓ પણ સંબોધશે. ત્યારે શહેરમાં પણ ઈરાનીનાં જુદા-જુદા સ્થળોએ સભા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન ભાજપ દ્વારા કરાયું છે.
રાજકોટમાં બુધવારે આયોજિત સભાઓ મુખ્યમંત્રી રૂપાણી સંબોધવાના હતા. પરંતુ અચાનક જ તેઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા હવે સ્મૃતિ ઈરાની જ આ સભાઓ સંબોધશે. ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીનાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે 17 જાન્યુઆરીએ સ્મૃતિ ઇરાની રાજકોટ આવશે. અહીં સ્મૃતિ ઇરાની વોર્ડ નં.7 માં લોકસંપર્ક માટે ઘરે ઘરે જશે અને મતદારોને મળશે. આ ઉપરાંત વોર્ડ નં.13 અને 14માં સ્મૃતિ ઇરાનીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે,મનપાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ધીમી ગતિએ પ્રચાર શરૂ કર્યો હતો. ફોર્મ પરત ખેંચાઈ ગયા બાદ ચિત્ર સ્પષ્ટ થયું ત્યારથી તમામ 18 વોર્ડમાં જોરશોરથી પ્રચાર શરૂ થયો છે. છેલ્લા ચાર દિવસથી જ્ઞાતિ સંમેલનો શરૂ થયા છે. મોટાભાગના ઉમેદવારોએ ઘરે-ઘરે જઈને લોકોનો સંપર્ક કર્યો હતો. હવે માત્ર 96 કલાકનો જ સમય વધ્યો છે. ત્યારે ભાજપ શુક્રવારની સાંજે 6 વાગ્યા સુધી પ્રચાર કરી લેવામાં થોડોક પણ સમય ગુમાવવા તૈયાર નથી. જેને લઈને કેન્દ્રીય મંત્રીને પ્રચારમાં ઉતારવામાં આવ્યા છે.
જો કે કોરોનાને કારણે જાહેર સભાઓ કરવી હિતાવહ ન હતી. અને ગતવર્ષની તુલનાએ ઘણી ઓછી સભાના આયોજન થયા છે. રાષ્ટ્રીય પક્ષની બે-ત્રણ જાહેર સભાને બાદ કરતા ઉમેદવારો પોતાના વિસ્તારમાં જ્ઞાતિ સમાજની મિટિંગ અને સંમેલન કરી પ્રચાર કરી રહ્યા છે. મોટા સમૂહ સુધી પોતાની વાત પહોંચાડવા સોશિયલ મીડિયાનો વિશેષ ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સ્મૃતિ લોકો સાથે સીધો સંપર્ક કરવાની સાથે જ સભાઓનું પણ સંબોધન કરશે.