ગેમ રમવા માટે સતત મોબાઈલની માગણી કરતા કિશોરની યુવાને હત્યા કરી
અપહરણ કરાયેલા કિશોરનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી
કિશોરનો મૃતદેહ ચાદરમાં લપેટી સંતાડેલી હાલતમાં મળી આવ્યો
જૂના મકાનમાં રહેતા પરિચિત યુવક પર શંકા જતા પુછપરછમાં પરિચિતે હત્યા કરી હોવાનું બહાર આવ્યું
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી અપહરણ થયેલા કિશોરનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં કિશોરના મૃતદેહને શોધી ગુનો ઉકેલવામાં સફળતા મળી છે. કિશોર જૂના મકાનમાં જ રહેતા પરિચિતના ઘરેથી જ મૃત હાલતમાં મળી આવ્યો હતો અને જૂના મકાનમાં જ રહેતા અમન નામના યુવાન પાસે કિશોર ગેમ રમવા માટે સતત મોબાઈલ માગતો હોવાથી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
[caption id="attachment_154" align="aligncenter" width="730"] અમન સુરેશભાઈ સુવહરે[/caption]
પાંડેસરા વિસ્તારમાં આવેલા જીવનદીપ નગરમાં આકાશ સંતોષ તિવારી(ઉ.વ.11) પરિવાર સાથે રહેતો હતો. આકાશ ઘર નજીકમાં આવેલી સીતારામ હિન્દી વિદ્યાલયમાં ધોરણ 4માં અભ્યાસ કરતો હતો. આકાશના પિતા સિક્યુરિટી ગાર્ડનું કામ કરે છે. અને તે પરિવારનો એકનો એક દીકરો હતો. જૂન મહિનામાં જ સંતોષ તિવારી મકાન બદલી 100 મીટર દૂર આવેલા મકાનમાં રહેવા ગયા હતા. દરમિયાન ગત રોજ બપોરે ભેદી સંજોગોમાં આકાશ ગુમ થઈ ગયો હતો. જેથી પહેલા પરિવારના સભ્યોએ આકાશની શોધખોળ હાથ ધરી હતી. જોકે, આકાશ ન મળી આવતા ગુમ થયાની જાણ પાંડેસરા પોલીસમાં કરાતા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી હતી.
પાંડેસરા પોલીસ મથકના પીઆઈ એપી ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઈ કાલે બપોરે 3 વાગ્યે કિશોર આકાશ સંતોષ તિવારી(11 વર્ષ) ભેદી સંજોગોમાં ગુમ થયો હતો. જેથી અપહરણની ફરિયાદ નોંધી હતી. તપાસ દરમિયાન પોલીસે નવા મકાનના 100 મીટરના અંતરે આવેલા જૂના મકાનમાં રહેતા અમન સુરેશભાઈ સુવહરે નામના યુવક પાસે આકાશ હોવાની જાણ થઈ હતી. જેથી અમનના મકાનની તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આકાશનું મૃત્યુ ગળું દબાવવાથી થયું હોય તેમ જાણવા મળ્યું છે. તેમજ પુછપરછ દરમિયાન હત્યારા અમનના મોબાઈલમાં આકાશ વારંવાર ગેમ રમ્યા કરતો હતો. જેનાથી કંટાળી અમને આકાશની હત્યા કરી હોવાનું ભાર આવ્યું હતું.
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, જૂના મકાનમાં બે વ્યકિત રહેતા હતા. જેમાંથી એક ડ્યૂટી પર હતો અને અમન હાજર હતો. જો કે આકાશ ગુમ થયો ત્યારે તેની શોધખોળમાં અમને પણ સાથ આપ્યો હતો. જયારે અમનના ઘરની તપાસ કરતા તેના જ રૂમમાં પાલનગની નીચે ચાદરમાં છુપાવેલ આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો. અને ચંપલ પણ સંતાડેલા મળી આવ્યા છે. જેથી પોલીસને એમાં પર શંકા થતા પોલીસે અમનની પૂછપરછ કરી હતી. જેમાં અમને જ આકાશનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
ગેમ રમવા માટે સતત મોબાઈલની માગણી કરતા કિશોરની યુવાને હત્યા કરી
અપહરણ કરાયેલા કિશોરનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી
કિશોરનો મૃતદેહ ચાદરમાં લપેટી સંતાડેલી હાલતમાં મળી આવ્યો
જૂના મકાનમાં રહેતા પરિચિત યુવક પર શંકા જતા પુછપરછમાં પરિચિતે હત્યા કરી હોવાનું બહાર આવ્યું
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી અપહરણ થયેલા કિશોરનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં કિશોરના મૃતદેહને શોધી ગુનો ઉકેલવામાં સફળતા મળી છે. કિશોર જૂના મકાનમાં જ રહેતા પરિચિતના ઘરેથી જ મૃત હાલતમાં મળી આવ્યો હતો અને જૂના મકાનમાં જ રહેતા અમન નામના યુવાન પાસે કિશોર ગેમ રમવા માટે સતત મોબાઈલ માગતો હોવાથી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
[caption id="attachment_154" align="aligncenter" width="730"] અમન સુરેશભાઈ સુવહરે[/caption]
પાંડેસરા વિસ્તારમાં આવેલા જીવનદીપ નગરમાં આકાશ સંતોષ તિવારી(ઉ.વ.11) પરિવાર સાથે રહેતો હતો. આકાશ ઘર નજીકમાં આવેલી સીતારામ હિન્દી વિદ્યાલયમાં ધોરણ 4માં અભ્યાસ કરતો હતો. આકાશના પિતા સિક્યુરિટી ગાર્ડનું કામ કરે છે. અને તે પરિવારનો એકનો એક દીકરો હતો. જૂન મહિનામાં જ સંતોષ તિવારી મકાન બદલી 100 મીટર દૂર આવેલા મકાનમાં રહેવા ગયા હતા. દરમિયાન ગત રોજ બપોરે ભેદી સંજોગોમાં આકાશ ગુમ થઈ ગયો હતો. જેથી પહેલા પરિવારના સભ્યોએ આકાશની શોધખોળ હાથ ધરી હતી. જોકે, આકાશ ન મળી આવતા ગુમ થયાની જાણ પાંડેસરા પોલીસમાં કરાતા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી હતી.
પાંડેસરા પોલીસ મથકના પીઆઈ એપી ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઈ કાલે બપોરે 3 વાગ્યે કિશોર આકાશ સંતોષ તિવારી(11 વર્ષ) ભેદી સંજોગોમાં ગુમ થયો હતો. જેથી અપહરણની ફરિયાદ નોંધી હતી. તપાસ દરમિયાન પોલીસે નવા મકાનના 100 મીટરના અંતરે આવેલા જૂના મકાનમાં રહેતા અમન સુરેશભાઈ સુવહરે નામના યુવક પાસે આકાશ હોવાની જાણ થઈ હતી. જેથી અમનના મકાનની તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આકાશનું મૃત્યુ ગળું દબાવવાથી થયું હોય તેમ જાણવા મળ્યું છે. તેમજ પુછપરછ દરમિયાન હત્યારા અમનના મોબાઈલમાં આકાશ વારંવાર ગેમ રમ્યા કરતો હતો. જેનાથી કંટાળી અમને આકાશની હત્યા કરી હોવાનું ભાર આવ્યું હતું.
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, જૂના મકાનમાં બે વ્યકિત રહેતા હતા. જેમાંથી એક ડ્યૂટી પર હતો અને અમન હાજર હતો. જો કે આકાશ ગુમ થયો ત્યારે તેની શોધખોળમાં અમને પણ સાથ આપ્યો હતો. જયારે અમનના ઘરની તપાસ કરતા તેના જ રૂમમાં પાલનગની નીચે ચાદરમાં છુપાવેલ આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો. અને ચંપલ પણ સંતાડેલા મળી આવ્યા છે. જેથી પોલીસને એમાં પર શંકા થતા પોલીસે અમનની પૂછપરછ કરી હતી. જેમાં અમને જ આકાશનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.