વાવાઝોડાને પગલે એએઆઇ સૌરાષ્ટ્રના પાંચ એરપોર્ટની સાથે દક્ષિણ ગુજરાતના સુરત એરપોર્ટને પણ એલર્ટ કરાયું
એએઆઇની સૂચના બાદ ડિરેક્ટર અમન સૈનીએ તાકિદે ટર્મિનલ બિલ્ડિંગ, પીટીટી સહિતના સિવિલ વર્ક અટકાવ્યા
વેન્ચુરા એર કનેક્ટની બે નાની ફ્લાઇટને મૂરિંગ એટલે કે સાંકળથી વજનીયા બાંધવાની ફરજ પડી
WatchGujarat. વાવાઝોડાને કારણે સુરત એરપોર્ટ પર વેન્ચુરા એર કનેક્ટની બે નાની ફ્લાઇટને મૂરિંગ એટલે કે સાંકળથી વજનીયા બાંધવાની ફરજ પડી છે. વેન્ચુરા એર કનેક્ટ એરલાઇન્સના સુત્રએ જણાવ્યું હતું હતું કે, વાવાઝોડાથી અમારી ફ્લાઇટો રનવે તરફ કે અન્ય કોઈ ફ્લાઇટ કે ટર્મિનલ બિલ્ડિંગ સાથે અથડાય નહીં તે માટે મૂરિંગ કરાયું છે. એક ફ્લાઇટ સાથે 400 કિલોગ્રામના વજનીયા બંધાયા છે. એમ બે ફ્લાઇટ સાથે કુલ 800 કિલોગ્રામના વજનીયા બંધાયા છે.
વાવાઝોડાને પગલે એએઆઇ સૌરાષ્ટ્રના પાંચ એરપોર્ટની સાથે દક્ષિણ ગુજરાતના સુરત એરપોર્ટને પણ એલર્ટ કરાયું છે. એએઆઇએ સૌરાષ્ટ્ર પાંચ એરપોર્ટની 10 ફ્લાઇટોને ડાયવર્ટ કરવાની ફરજ પડે તો સુરત એરપોર્ટ પર લેન્ડ કરવાની સૂચના આપી છે. સુરત એરપોર્ટના અધિકારીથી જણાય આવે છે કે એએઆઇની સૂચના બાદ ડિરેક્ટર અમન સૈનીએ તાકિદે ટર્મિનલ બિલ્ડિંગ, પીટીટી સહિતના સિવિલ વર્કોને અટકાવ્યા છે.
વાવાઝોડાથી ઓપરેશનલ એરિયામાં રહેતા માલ સામાન કે જેને નુકાશન થાય તેવું હતું તેને હટાડી દેવાયું છે. ઉપરાંત 24 કલાક એરપોર્ટ કાર્યરત રાખ્યું છે. જેની પાછળનું મુખ્ય કારણ એએઆઇએ દિવ, જામનગર, પોરબંદર, ભાવનગર અને રાજકોટના એરપોર્ટ ડિરેક્ટરને સૂચન કરયું છે કે ફ્લાઇટ ડાયવર્ટ કરવાની ફરજ પડે તો સુરત એરપોર્ટ પર કરવી. પાંચ એરપોર્ટની મળી 10 જેટલી ફ્લાઇટો કાર્યરત છે. અહીં વાત એવી છે કે વાવાઝોડાને કારણે સુરત એરપોર્ટ પર વેન્ચુરા એર કનેક્ટની બે નાની ફ્લાઇટને મૂરિંગ એટલે કે સાંકળથી વજનીયા બાંધવાની ફરજ પડી છે.
વાવાઝોડાને પગલે એએઆઇ સૌરાષ્ટ્રના પાંચ એરપોર્ટની સાથે દક્ષિણ ગુજરાતના સુરત એરપોર્ટને પણ એલર્ટ કરાયું
વેન્ચુરા એર કનેક્ટની બે નાની ફ્લાઇટને મૂરિંગ એટલે કે સાંકળથી વજનીયા બાંધવાની ફરજ પડી
WatchGujarat. વાવાઝોડાને કારણે સુરત એરપોર્ટ પર વેન્ચુરા એર કનેક્ટની બે નાની ફ્લાઇટને મૂરિંગ એટલે કે સાંકળથી વજનીયા બાંધવાની ફરજ પડી છે. વેન્ચુરા એર કનેક્ટ એરલાઇન્સના સુત્રએ જણાવ્યું હતું હતું કે, વાવાઝોડાથી અમારી ફ્લાઇટો રનવે તરફ કે અન્ય કોઈ ફ્લાઇટ કે ટર્મિનલ બિલ્ડિંગ સાથે અથડાય નહીં તે માટે મૂરિંગ કરાયું છે. એક ફ્લાઇટ સાથે 400 કિલોગ્રામના વજનીયા બંધાયા છે. એમ બે ફ્લાઇટ સાથે કુલ 800 કિલોગ્રામના વજનીયા બંધાયા છે.
વાવાઝોડાને પગલે એએઆઇ સૌરાષ્ટ્રના પાંચ એરપોર્ટની સાથે દક્ષિણ ગુજરાતના સુરત એરપોર્ટને પણ એલર્ટ કરાયું છે. એએઆઇએ સૌરાષ્ટ્ર પાંચ એરપોર્ટની 10 ફ્લાઇટોને ડાયવર્ટ કરવાની ફરજ પડે તો સુરત એરપોર્ટ પર લેન્ડ કરવાની સૂચના આપી છે. સુરત એરપોર્ટના અધિકારીથી જણાય આવે છે કે એએઆઇની સૂચના બાદ ડિરેક્ટર અમન સૈનીએ તાકિદે ટર્મિનલ બિલ્ડિંગ, પીટીટી સહિતના સિવિલ વર્કોને અટકાવ્યા છે.
વાવાઝોડાથી ઓપરેશનલ એરિયામાં રહેતા માલ સામાન કે જેને નુકાશન થાય તેવું હતું તેને હટાડી દેવાયું છે. ઉપરાંત 24 કલાક એરપોર્ટ કાર્યરત રાખ્યું છે. જેની પાછળનું મુખ્ય કારણ એએઆઇએ દિવ, જામનગર, પોરબંદર, ભાવનગર અને રાજકોટના એરપોર્ટ ડિરેક્ટરને સૂચન કરયું છે કે ફ્લાઇટ ડાયવર્ટ કરવાની ફરજ પડે તો સુરત એરપોર્ટ પર કરવી. પાંચ એરપોર્ટની મળી 10 જેટલી ફ્લાઇટો કાર્યરત છે. અહીં વાત એવી છે કે વાવાઝોડાને કારણે સુરત એરપોર્ટ પર વેન્ચુરા એર કનેક્ટની બે નાની ફ્લાઇટને મૂરિંગ એટલે કે સાંકળથી વજનીયા બાંધવાની ફરજ પડી છે.