2 ચોર ઝડપી પાડવાથી અનેક ચોરીની ઘટના ઉલેકવામાં આવી
છેલ્લા એક અઠવાડીયામાં બે ચોરીને અંજામ આપ્યો
WatchGujarat. સુરતમાં પાંડેસરા પોલીસે ઘરફોડ ચોરી કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2.21 લાખની મત્તા કબજે કરી છે. બંને આરોપીઓ રાત્રીના સમયે પગપાળા ચાલતા જતા અને બંધ ઘરને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં લીંબાયતના 2 અને પાંડેસરા પોલીસ મથકના 2 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે.
સુરતમાં પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી કરતા બે ઈસમો પાંડેસરા વિસ્તારમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને પાંડેસરા રામજી મંદિર પાસેથી રાજીવ ઉર્ફે રાજુ કિતન નાહક અને ખગેવાસી ઉત્સવ નાયકને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને આરોપીઓ પાંડેસરા આવિર્ભાવ સોસાયટીમાં ભાડેથી રહી મજૂરી કામ કરે છે. તેમની પાસેથી સોનાના 60.25 ગ્રામ વજનના દાગીના રૂા. 1.78 લાખ, ચાંદીના 150 ગ્રામ વજનના દાગીના રૂા. 11 હજાર, મીક્સર મશીન, ઇસ્ત્રી, કાંડા ઘડિયાળ, ટીવી અને હોમ થિયેટર, બે મોબાઇલ ફોન મળી કુલ રૂા. 2.21 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. #રાત્રી કર્ફ્યુ
રાતે પગ પગપાળા જઈને ઘરને બનાવતા હતા નિશાન
રાજીવ અને ખત્રેવાસી છુટક મજૂરી કામ કરે છે. પરંતુ રાત્રી દરમિયાન ઘરેથી પગપાળા અલગ-અલગ વિસ્તારમાં જઇ જે ઘરના દરવાજાને તાળું માર્યુ હોય તેને ડુપ્લીકેટ ચાવી વડે ખોલી અંદર પ્રવેશી ચોરી કરી પુનઃ તાળું મારી દેતા હતા. આ રીતે તેમણે છેલ્લા એક અઠવાડિયામાં તેઓ જે સોસાયટીમાં રહે છે તે આર્વીભાવ સોસાયટીના ઘર નં. 137 ઉપરાંત અન્ય એક સોસાયટી અને લિંબાયત વિસ્તારમાં બે બંઘ ઘરને નિશાન બનાવ્યાની કબૂલાત કરી હતી. પોલીસે બંને પાસેથી 17 નંગ ડુપ્લીકેટ ચાવી પણ કબ્જે લીધી હતી. પોલીસે બંને ચોરને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. #રાત્રી કર્ફ્યુ
More #રાત્રી કર્ફ્યુ #labor #job #theft #catch #by police #Gujaratinews #Watchgujarat
2 ચોર ઝડપી પાડવાથી અનેક ચોરીની ઘટના ઉલેકવામાં આવી
છેલ્લા એક અઠવાડીયામાં બે ચોરીને અંજામ આપ્યો
WatchGujarat. સુરતમાં પાંડેસરા પોલીસે ઘરફોડ ચોરી કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2.21 લાખની મત્તા કબજે કરી છે. બંને આરોપીઓ રાત્રીના સમયે પગપાળા ચાલતા જતા અને બંધ ઘરને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં લીંબાયતના 2 અને પાંડેસરા પોલીસ મથકના 2 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે.
સુરતમાં પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી કરતા બે ઈસમો પાંડેસરા વિસ્તારમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને પાંડેસરા રામજી મંદિર પાસેથી રાજીવ ઉર્ફે રાજુ કિતન નાહક અને ખગેવાસી ઉત્સવ નાયકને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને આરોપીઓ પાંડેસરા આવિર્ભાવ સોસાયટીમાં ભાડેથી રહી મજૂરી કામ કરે છે. તેમની પાસેથી સોનાના 60.25 ગ્રામ વજનના દાગીના રૂા. 1.78 લાખ, ચાંદીના 150 ગ્રામ વજનના દાગીના રૂા. 11 હજાર, મીક્સર મશીન, ઇસ્ત્રી, કાંડા ઘડિયાળ, ટીવી અને હોમ થિયેટર, બે મોબાઇલ ફોન મળી કુલ રૂા. 2.21 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. #રાત્રી કર્ફ્યુ
રાતે પગ પગપાળા જઈને ઘરને બનાવતા હતા નિશાન
રાજીવ અને ખત્રેવાસી છુટક મજૂરી કામ કરે છે. પરંતુ રાત્રી દરમિયાન ઘરેથી પગપાળા અલગ-અલગ વિસ્તારમાં જઇ જે ઘરના દરવાજાને તાળું માર્યુ હોય તેને ડુપ્લીકેટ ચાવી વડે ખોલી અંદર પ્રવેશી ચોરી કરી પુનઃ તાળું મારી દેતા હતા. આ રીતે તેમણે છેલ્લા એક અઠવાડિયામાં તેઓ જે સોસાયટીમાં રહે છે તે આર્વીભાવ સોસાયટીના ઘર નં. 137 ઉપરાંત અન્ય એક સોસાયટી અને લિંબાયત વિસ્તારમાં બે બંઘ ઘરને નિશાન બનાવ્યાની કબૂલાત કરી હતી. પોલીસે બંને પાસેથી 17 નંગ ડુપ્લીકેટ ચાવી પણ કબ્જે લીધી હતી. પોલીસે બંને ચોરને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. #રાત્રી કર્ફ્યુ