અમને 40 હજાર રૂપિયા આપવા પડશે નહિ તો તને ત્યાં લઇ જઈશું તેવી વાત કરી ધાક ધમકીઓ આપી
મામલે રત્નકલાકારે કતારગામ પોલીસ મથકમાં ત્રણ ઇસમો સામેં ફરિયાદ નોંધાવી
WatchGujarat. સુરતના કતારગામ વિસ્તારમાં રત્નકલાકારને તારું છોકરી સાથે લફરું છે. તેના પિતા તને શોધે છે. તેવી વાત કરી ધાક ધમકીઓ આપી ત્રણ ઇસ્મોએ જબરદસ્તી કરી 10 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે રત્નકલાકારે કતારગામ પોલીસ મથકમાં ત્રણ ઇસમો સામેં ફરિયાદ નોંધાવી છે.
સુરતના કતારગામ કુબેરનગર પાસે રહેતા મહેશગીરી હંસગીરી ગૌસ્વામી રત્નકલાકાર છે. અને છેલ્લા ચાર વર્ષથી સુરત આવી તેના ભાઈ ભાભી સાથે રહે છે. ગત ૩ તારીખના રોજ તે કારખાનેથી નીકળી ઘરે જઈ રહ્યો હતો. તે વેળાએ તેઓના સબંધીના મિત્ર રાજેશ યાદવ ઉર્ફે વહીવટ, નીકુલ પરમાર અને રણજીત લુહાર નામના ત્રણ લોકોએ તેઓને રોક્યો હતો. અને કહ્યું હતું કે તારું જે છોકરું સાથે લફરું છે. તેના પિતા તને ગોતે છે. અમને 40 હજાર રૂપિયા આપવા પડશે નહિ તો તને ત્યાં લઇ જઈશું તેવી વાત કરી ધાક ધમકીઓ આપી હતી.
ગભરાઈ ગયેલા રત્નકલાકારે કારખાનેથી, મિત્ર પાસેથી મળી 10 હજાર રૂપિયા ત્રણેય ઇસમોને આપી દીધા હતા. જો કે ગભરાઈ ગયેલા રત્નકલાકારે બે દિવસ બાદ આ વાત તેના મિત્રને કહેતા તેણે હિમ્મત આપી હતી. અને આખરે ભોગ બનનાર રત્નકલાકારે આ ત્રણેય ઈસમો સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
સબંધીના મિત્ર છે ત્રણેય આરોપીઓ
રત્નકલાકારે જે ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે તે તેના સબંધી પ્રકાશગીરી પ્રભુગીરીના મિત્ર છે. ત્રણેય આરોપીઓ તેના સબંધી સાથે અવાર નવાર મળતા હતા જેથી રત્નકલાકાર તેઓને ઓળખતો હતો. જો કે હાલ આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
More #રત્નકલાકાર #Money #asked #with #raising #false #allegation #Gujaratinews #Watchgujarat
અમને 40 હજાર રૂપિયા આપવા પડશે નહિ તો તને ત્યાં લઇ જઈશું તેવી વાત કરી ધાક ધમકીઓ આપી
મામલે રત્નકલાકારે કતારગામ પોલીસ મથકમાં ત્રણ ઇસમો સામેં ફરિયાદ નોંધાવી
WatchGujarat. સુરતના કતારગામ વિસ્તારમાં રત્નકલાકારને તારું છોકરી સાથે લફરું છે. તેના પિતા તને શોધે છે. તેવી વાત કરી ધાક ધમકીઓ આપી ત્રણ ઇસ્મોએ જબરદસ્તી કરી 10 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે રત્નકલાકારે કતારગામ પોલીસ મથકમાં ત્રણ ઇસમો સામેં ફરિયાદ નોંધાવી છે.
સુરતના કતારગામ કુબેરનગર પાસે રહેતા મહેશગીરી હંસગીરી ગૌસ્વામી રત્નકલાકાર છે. અને છેલ્લા ચાર વર્ષથી સુરત આવી તેના ભાઈ ભાભી સાથે રહે છે. ગત ૩ તારીખના રોજ તે કારખાનેથી નીકળી ઘરે જઈ રહ્યો હતો. તે વેળાએ તેઓના સબંધીના મિત્ર રાજેશ યાદવ ઉર્ફે વહીવટ, નીકુલ પરમાર અને રણજીત લુહાર નામના ત્રણ લોકોએ તેઓને રોક્યો હતો. અને કહ્યું હતું કે તારું જે છોકરું સાથે લફરું છે. તેના પિતા તને ગોતે છે. અમને 40 હજાર રૂપિયા આપવા પડશે નહિ તો તને ત્યાં લઇ જઈશું તેવી વાત કરી ધાક ધમકીઓ આપી હતી.
ગભરાઈ ગયેલા રત્નકલાકારે કારખાનેથી, મિત્ર પાસેથી મળી 10 હજાર રૂપિયા ત્રણેય ઇસમોને આપી દીધા હતા. જો કે ગભરાઈ ગયેલા રત્નકલાકારે બે દિવસ બાદ આ વાત તેના મિત્રને કહેતા તેણે હિમ્મત આપી હતી. અને આખરે ભોગ બનનાર રત્નકલાકારે આ ત્રણેય ઈસમો સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
સબંધીના મિત્ર છે ત્રણેય આરોપીઓ
રત્નકલાકારે જે ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે તે તેના સબંધી પ્રકાશગીરી પ્રભુગીરીના મિત્ર છે. ત્રણેય આરોપીઓ તેના સબંધી સાથે અવાર નવાર મળતા હતા જેથી રત્નકલાકાર તેઓને ઓળખતો હતો. જો કે હાલ આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
More #રત્નકલાકાર #Money #asked #with #raising #false #allegation #Gujaratinews #Watchgujarat