સુરત ફાયર બ્રિગેડ દ્વારા શહેરની સાત મોટી હોસ્પિટલમાં ફાયરની ટીમ સ્ટેન્ડબાય મૂકવામાં આવી છે
માહિતી મળતા તાત્કાલિક તાત્કાલિક ફાયરની ટીમ ઓનકોલોજી વોર્ડમાં પહોંચીને એસી માં લાગેલી આગ પર કાબુ મેળવ્યો
કંટ્રોલને પણ જાણ કરાતા ચાર ફાયર બ્રિગેડની ગાડીઓ હોસ્પિટલ પર પહોંચી
હોસ્પિટલોમાં આગ લાગવાનું મુખ્ય કારણો શોર્ટ સર્કિટ હોવાનો અંદાજ
WatchGujarat. સુરત શહેરના આઠવા ગેટ સ્થિત આવેલા મેટાસ હોસ્પિટલ ના ઓનકોલોજી વિભાગના AC માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગના કારણે હોસ્પિટલમાં ધુમાડો ઉઠતા નાસભાગ મચી ગઇ હતી. આગ લાગી ત્યારે ઓનકોલોજી વિભાગમાં બે દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. એડમિટ દર્દીઓને હોસ્પિટલના સ્ટાફ દ્વારા સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર ની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરનો કાફલો હોસ્પિટલ પર પહોંચી તે પહેલા જ હોસ્પિટલમાં સ્ટેન્ડબાય ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો..
હોસ્પિટલમાં લાગતી આગના બનાવને ધ્યાનમાં રાખીને સુરત ફાયર બ્રિગેડ દ્વારા શહેરની સાત મોટી હોસ્પિટલમાં ફાયરની ટીમ સ્ટેન્ડબાય મૂકવામાં આવી છે. જેથી હોસ્પિટલમાં જ્યારે પણ કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે તાત્કાલિક બચાવ કામગીરી થઇ શકે તે હેતુથી ફાયર બ્રિગેડની બે ટીમો દિવસ અને રાત માં તૈનાત કરવામાં આવી છે. મેટાસ હોસ્પિટલ માં જ્યારે ગત રાત્રે 9 વાગ્યે ઓનકોલીજી વોર્ડના AC માં આગનો બનાવ બન્યો ત્યારે ફાયર બ્રિગેડની એક ટીમ હોસ્પિટલમાં જ સ્ટેન્ડબાય હતી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા આગ ની માહિતી મળતા તાત્કાલિક તાત્કાલિક ફાયરની ટીમ ઓનકોલોજી વોર્ડમાં પહોંચીને એસી માં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. તેની સાથે સાથે તકેદારીના ભાગરૂપે સ્ટેન્ડબાય ટીમ દ્વારા ફાયર કંટ્રોલને પણ જાણ કરવામાં આવી હતી. જેથી ચાર ફાયર બ્રિગેડની ગાડીઓ હોસ્પિટલ પર પહોંચી ગઈ હતી. પરંતુ બીજી ટીમો આવે તે પહેલાં જ હોસ્પિટલ પર તેના સ્ટેન્ડબાય ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
કોરોના સતત વધી રહેલા કેસની સાથે સાથે હોસ્પિટલોમાં પણ આગના બનાવો વધી રહ્યા છે. દર્દીઓની સંખ્યા વધારે હોવાના કારણે હોસ્પિટલોમાં સતત ઈલેક્ટ્રીક સીટી નો રોડ વધવાના કારણે આગના બનાવો સામે આવી રહ્યા છે. થોડા દિવસો અગાઉ ભરૂચના હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગના કારણે કેટલાક દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે બીજી તરફ સુરતના લાલ દરવાજા સ્થિત આવેલી આયુષ હોસ્પિટલ માં પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા.
હાલ હોસ્પિટલોમાં આગ લાગવાનું મુખ્ય કારણો શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં સતત જે રીતે ઈલેક્ટ્રીક સીટી પર લોડ વધી રહ્યું છે. તેના કારણે AC વેન્ટિલેટર અને કેટલીક એવી મશીનરી જે સતત હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓની સારવાર માટે યુઝ થઇ રહી છે. તેવામાં ઈલેક્ટ્રીક સીટી નું લોડ વધવાના કારણે હોસ્પિટલોમાં આગના બનાવ બની રહ્યા છે, તેવુ માનવામાં આવી રહ્યું છે.
સુરત ફાયર બ્રિગેડ દ્વારા શહેરની સાત મોટી હોસ્પિટલમાં ફાયરની ટીમ સ્ટેન્ડબાય મૂકવામાં આવી છે
માહિતી મળતા તાત્કાલિક તાત્કાલિક ફાયરની ટીમ ઓનકોલોજી વોર્ડમાં પહોંચીને એસી માં લાગેલી આગ પર કાબુ મેળવ્યો
કંટ્રોલને પણ જાણ કરાતા ચાર ફાયર બ્રિગેડની ગાડીઓ હોસ્પિટલ પર પહોંચી
હોસ્પિટલોમાં આગ લાગવાનું મુખ્ય કારણો શોર્ટ સર્કિટ હોવાનો અંદાજ
WatchGujarat. સુરત શહેરના આઠવા ગેટ સ્થિત આવેલા મેટાસ હોસ્પિટલ ના ઓનકોલોજી વિભાગના AC માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગના કારણે હોસ્પિટલમાં ધુમાડો ઉઠતા નાસભાગ મચી ગઇ હતી. આગ લાગી ત્યારે ઓનકોલોજી વિભાગમાં બે દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. એડમિટ દર્દીઓને હોસ્પિટલના સ્ટાફ દ્વારા સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર ની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરનો કાફલો હોસ્પિટલ પર પહોંચી તે પહેલા જ હોસ્પિટલમાં સ્ટેન્ડબાય ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો..
હોસ્પિટલમાં લાગતી આગના બનાવને ધ્યાનમાં રાખીને સુરત ફાયર બ્રિગેડ દ્વારા શહેરની સાત મોટી હોસ્પિટલમાં ફાયરની ટીમ સ્ટેન્ડબાય મૂકવામાં આવી છે. જેથી હોસ્પિટલમાં જ્યારે પણ કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે તાત્કાલિક બચાવ કામગીરી થઇ શકે તે હેતુથી ફાયર બ્રિગેડની બે ટીમો દિવસ અને રાત માં તૈનાત કરવામાં આવી છે. મેટાસ હોસ્પિટલ માં જ્યારે ગત રાત્રે 9 વાગ્યે ઓનકોલીજી વોર્ડના AC માં આગનો બનાવ બન્યો ત્યારે ફાયર બ્રિગેડની એક ટીમ હોસ્પિટલમાં જ સ્ટેન્ડબાય હતી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા આગ ની માહિતી મળતા તાત્કાલિક તાત્કાલિક ફાયરની ટીમ ઓનકોલોજી વોર્ડમાં પહોંચીને એસી માં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. તેની સાથે સાથે તકેદારીના ભાગરૂપે સ્ટેન્ડબાય ટીમ દ્વારા ફાયર કંટ્રોલને પણ જાણ કરવામાં આવી હતી. જેથી ચાર ફાયર બ્રિગેડની ગાડીઓ હોસ્પિટલ પર પહોંચી ગઈ હતી. પરંતુ બીજી ટીમો આવે તે પહેલાં જ હોસ્પિટલ પર તેના સ્ટેન્ડબાય ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
કોરોના સતત વધી રહેલા કેસની સાથે સાથે હોસ્પિટલોમાં પણ આગના બનાવો વધી રહ્યા છે. દર્દીઓની સંખ્યા વધારે હોવાના કારણે હોસ્પિટલોમાં સતત ઈલેક્ટ્રીક સીટી નો રોડ વધવાના કારણે આગના બનાવો સામે આવી રહ્યા છે. થોડા દિવસો અગાઉ ભરૂચના હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગના કારણે કેટલાક દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે બીજી તરફ સુરતના લાલ દરવાજા સ્થિત આવેલી આયુષ હોસ્પિટલ માં પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા.
હાલ હોસ્પિટલોમાં આગ લાગવાનું મુખ્ય કારણો શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં સતત જે રીતે ઈલેક્ટ્રીક સીટી પર લોડ વધી રહ્યું છે. તેના કારણે AC વેન્ટિલેટર અને કેટલીક એવી મશીનરી જે સતત હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓની સારવાર માટે યુઝ થઇ રહી છે. તેવામાં ઈલેક્ટ્રીક સીટી નું લોડ વધવાના કારણે હોસ્પિટલોમાં આગના બનાવ બની રહ્યા છે, તેવુ માનવામાં આવી રહ્યું છે.