કોરોનાને ડામવા માટે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા રોજ નવા-નવા પ્રતિબંધો જાહેર કરવામાં આવી રહ્યા છે
સોશિયલ મિડીયામાં લોકડાઉનને લઇને અનેક અફવાહો ચાલી રહી છે
પરપ્રાંતિયો અફવાહોને ધ્યાને લઇને હવે મોટી સંખ્યામાં પોતાના વતન તરફ જઇ રહ્યા છે
કતારગામ અને વરાછામાં રોજ ખાનગી બસો ભરીને લોકો તેમના વતન જવા રવાના થાય છે
WatchGujarat. સુરત સહિત રાજ્યના તમામ પ્રમુખ શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ઉપરાંત હાઇકોર્ટની ટકોર બાદ સોશિયલ મિડિયા માં લોકડાઉન ની અફવાઓએ જોર પકડ્યું છે. જેને લઈને શહેરમાં રહેતા પરપ્રાંતિય લોકો માં પણ ડર અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના ને કાબુ માં લાવવા આંશિક લોક ડાઉન આવી શકે છે જેવી અફવાઓ ને ધ્યાને લઈને હવે લોકો પોતાના વતન જવા માટે ઉતાવળીયા બન્યા છે. અને ખાનગી બસોમાં વતન જવા માટે ઘસારો જોવા મળી રહ્યો છે.
https://youtu.be/JCH0DMtnA5Q
કોરોનાનો ભય હવે સુરત સહિત સમગ્ર રાજ્યમાં શહેરમાં ફેલાઈ ગયો છે. કોરોનાને ડામવા માટે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા રોજ નવા-નવા પ્રતિબંધો જાહેર કરવામાં આવી રહ્યા છે. તેને લઈને સ્વાભાવિક રીતે જ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. તેની સાથે સુરતમાં રોજના વધતા કોરોના કેસના કારણે લોકોમાં લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. તથા સોશિયલ મિડીયા પર લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે તેવા મેસેજ વાઇરલ થવાને કારણે અફવાહો લોકોના મનમાં ઘર કરી ગઇ છે. જેથી ખાસ કરીને શહેરમાં રહેતા પરપ્રાંતિયો તેમના વતન જવા માટે ઉતાવળીયા બન્યા છે. જેને પગલે મોટાપાયે સુરત શહેરથી હિજરત થવાનું શરૂ થઇ ગયું છે.
સોશિયલ મિડિયામાં લોકડાઉનને લઇને અનેક અફવાઓ પણ ચાલી રહી છે. જેને લઈને લોકો માં પણ ડર અને ચિંતા જોવા મળી રહી છે. કોરોના ને કાબુ માં લાવવા આંશિક લોક ડાઉન આવી શકે છે જેવી અફવાઓ ને લઈને લોકો માદરે વતન જઈ રહ્યા છે. દરરોજ કતારગામ અને વરાછા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખાનગી બસો મુસાફરોથી હાઉસ ફૂલ જઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન હાલ લાગવાનું નથી તેની જાહેરાત તો ખુદ મુખ્યમંત્રી કરી ચુક્યા છે. ત્યારે લોકો ખોટી અફવામાં ન આવે અને કોરોના સામે સંપૂર્ણ તકેદારી રાખે તે જરૂરી બન્યું છે. પરંતું સરકાર દ્વારા નવા નવા નિયમો લાગુ કરવાને કારણે લોકોનો વિશ્વાસ ડગી રહ્યો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. અને લોકો અફવાહોને ધ્યાને લઇને વતન તરફ જઇ રહ્યા છે. જો પરપ્રાંતિયોનું વતન તરફના પ્રયાણને રોકવામાં નહિ આવે તો આગામી સમયમાં ઉદ્યોગોમાં કામદારોની ખેંચ સર્જાઇ શકે છે.
કોરોનાને ડામવા માટે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા રોજ નવા-નવા પ્રતિબંધો જાહેર કરવામાં આવી રહ્યા છે
સોશિયલ મિડીયામાં લોકડાઉનને લઇને અનેક અફવાહો ચાલી રહી છે
પરપ્રાંતિયો અફવાહોને ધ્યાને લઇને હવે મોટી સંખ્યામાં પોતાના વતન તરફ જઇ રહ્યા છે
કતારગામ અને વરાછામાં રોજ ખાનગી બસો ભરીને લોકો તેમના વતન જવા રવાના થાય છે
WatchGujarat. સુરત સહિત રાજ્યના તમામ પ્રમુખ શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ઉપરાંત હાઇકોર્ટની ટકોર બાદ સોશિયલ મિડિયા માં લોકડાઉન ની અફવાઓએ જોર પકડ્યું છે. જેને લઈને શહેરમાં રહેતા પરપ્રાંતિય લોકો માં પણ ડર અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના ને કાબુ માં લાવવા આંશિક લોક ડાઉન આવી શકે છે જેવી અફવાઓ ને ધ્યાને લઈને હવે લોકો પોતાના વતન જવા માટે ઉતાવળીયા બન્યા છે. અને ખાનગી બસોમાં વતન જવા માટે ઘસારો જોવા મળી રહ્યો છે.
કોરોનાનો ભય હવે સુરત સહિત સમગ્ર રાજ્યમાં શહેરમાં ફેલાઈ ગયો છે. કોરોનાને ડામવા માટે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા રોજ નવા-નવા પ્રતિબંધો જાહેર કરવામાં આવી રહ્યા છે. તેને લઈને સ્વાભાવિક રીતે જ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. તેની સાથે સુરતમાં રોજના વધતા કોરોના કેસના કારણે લોકોમાં લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. તથા સોશિયલ મિડીયા પર લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે તેવા મેસેજ વાઇરલ થવાને કારણે અફવાહો લોકોના મનમાં ઘર કરી ગઇ છે. જેથી ખાસ કરીને શહેરમાં રહેતા પરપ્રાંતિયો તેમના વતન જવા માટે ઉતાવળીયા બન્યા છે. જેને પગલે મોટાપાયે સુરત શહેરથી હિજરત થવાનું શરૂ થઇ ગયું છે.
સોશિયલ મિડિયામાં લોકડાઉનને લઇને અનેક અફવાઓ પણ ચાલી રહી છે. જેને લઈને લોકો માં પણ ડર અને ચિંતા જોવા મળી રહી છે. કોરોના ને કાબુ માં લાવવા આંશિક લોક ડાઉન આવી શકે છે જેવી અફવાઓ ને લઈને લોકો માદરે વતન જઈ રહ્યા છે. દરરોજ કતારગામ અને વરાછા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખાનગી બસો મુસાફરોથી હાઉસ ફૂલ જઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન હાલ લાગવાનું નથી તેની જાહેરાત તો ખુદ મુખ્યમંત્રી કરી ચુક્યા છે. ત્યારે લોકો ખોટી અફવામાં ન આવે અને કોરોના સામે સંપૂર્ણ તકેદારી રાખે તે જરૂરી બન્યું છે. પરંતું સરકાર દ્વારા નવા નવા નિયમો લાગુ કરવાને કારણે લોકોનો વિશ્વાસ ડગી રહ્યો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. અને લોકો અફવાહોને ધ્યાને લઇને વતન તરફ જઇ રહ્યા છે. જો પરપ્રાંતિયોનું વતન તરફના પ્રયાણને રોકવામાં નહિ આવે તો આગામી સમયમાં ઉદ્યોગોમાં કામદારોની ખેંચ સર્જાઇ શકે છે.