[caption id="attachment_1217417" align="aligncenter" width="225"] PI એ.પી. સલૈયા[/caption]
પી.આઇ. ની બદલી થતા સુરતના સિંગણપોરમાં આવેલા એક ફાર્મ હાઉસમાં તેઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો
કફર્યુંના સમયમાં આ વિદાય સમારોહ યોજાયો હતો જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા
પોલીસ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થતા ચોતરફથી ટીકા થઇ રહી છે
WatchGujarat. કાયદા અને વ્યવસ્થાનું પાલન કરાવવાની જેની જવાબદારી છે તે પોલીસ જ ખુદ કાયદા અને નિયમના ધજાગરા ઉડાવી રહી છે. સુરત શહેરમાં જાણે નેતા અને પોલીસને કોઈ જ કાયદો ન લાગુ પડતો હોય તેવો ઘાટ સામે આવ્યો છે. સુરતમાં એક પી.આઈ. ની ઇકો સેલમાં બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.પરંતુ આ વિદાય સમારોહ કફર્યુંના સમયમાં યોજવામાં આવ્યો હતો. જેમાં શોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
https://youtu.be/IrjcKJJXUb0
પી.આઈ.ની બદલી થતા વિદાય સમારોહ યોજાયો હતો
સુરતના સિંગણપોર પોલીસ મથકના પી.આઇ.એ.પી. સલૈયાની બદલી ઇકો સેલમાં કરવામાં આવી છે. પી.આઈ. સલૈયા અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યા છે. અને હવે તેઓની બદલી થતા ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે. પી.આઇ.ની બદલી થતા સિંગણપોરમાં આવેલા એક ફાર્મ હાઉસમાં તેઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અન્ય બ્રાન્ચના પોલીસકર્મીઓ પણ હાજર રહ્યા હતા. મહત્વની વાત એ છે કે, કફર્યુંના સમયમાં આ વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. અને ચારેતરફ આ ઘટનાને લઈને પોલીસની ટીકા થઈ રહી છે.
શું પોલીસ કમિશનર કોઇ પગલાં લેશે ?
મહત્વની વાત છે કે સુરતમાં 8 વાગ્યા બાદ કફર્યું લાગી જાય છે.અને કફર્યું કે માસ્ક વગર કોઈ વ્યક્તિ બહાર ફરતું દેખાય તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરે છે. પરંતુ જો પોલીસ જ કાયદાને નેવે મૂકી નિયમના દજગર ઉડાવે તો તેઓની સામે શું કોઈ કાર્યવાહી થશે ખરી તે પણ એક મોટો સવાલ છે. આ મામલે સુરત પોલીસ કમિશનર કોઈ પગલાં ભરી નિયમ બધા માટે સરખા છે તેવો દાખલો બેસાડશે કે કેમ તે જોવું રહ્યું.
જાણે શું હતું પાર્ટીનું મેનું
કેરી નો રસ
પુરી
રોટલી
૨-શાક
થાબડી મીઠાઇ (હલવો)
મેથી ના ગોટા
બટાકા પુરી
દાળ-ભાત
છાશ
પાપડ
[caption id="attachment_1217417" align="aligncenter" width="225"] PI એ.પી. સલૈયા[/caption]
પી.આઇ. ની બદલી થતા સુરતના સિંગણપોરમાં આવેલા એક ફાર્મ હાઉસમાં તેઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો
કફર્યુંના સમયમાં આ વિદાય સમારોહ યોજાયો હતો જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા
પોલીસ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થતા ચોતરફથી ટીકા થઇ રહી છે
WatchGujarat. કાયદા અને વ્યવસ્થાનું પાલન કરાવવાની જેની જવાબદારી છે તે પોલીસ જ ખુદ કાયદા અને નિયમના ધજાગરા ઉડાવી રહી છે. સુરત શહેરમાં જાણે નેતા અને પોલીસને કોઈ જ કાયદો ન લાગુ પડતો હોય તેવો ઘાટ સામે આવ્યો છે. સુરતમાં એક પી.આઈ. ની ઇકો સેલમાં બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.પરંતુ આ વિદાય સમારોહ કફર્યુંના સમયમાં યોજવામાં આવ્યો હતો. જેમાં શોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
પી.આઈ.ની બદલી થતા વિદાય સમારોહ યોજાયો હતો
સુરતના સિંગણપોર પોલીસ મથકના પી.આઇ.એ.પી. સલૈયાની બદલી ઇકો સેલમાં કરવામાં આવી છે. પી.આઈ. સલૈયા અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યા છે. અને હવે તેઓની બદલી થતા ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે. પી.આઇ.ની બદલી થતા સિંગણપોરમાં આવેલા એક ફાર્મ હાઉસમાં તેઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અન્ય બ્રાન્ચના પોલીસકર્મીઓ પણ હાજર રહ્યા હતા. મહત્વની વાત એ છે કે, કફર્યુંના સમયમાં આ વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. અને ચારેતરફ આ ઘટનાને લઈને પોલીસની ટીકા થઈ રહી છે.
શું પોલીસ કમિશનર કોઇ પગલાં લેશે ?
મહત્વની વાત છે કે સુરતમાં 8 વાગ્યા બાદ કફર્યું લાગી જાય છે.અને કફર્યું કે માસ્ક વગર કોઈ વ્યક્તિ બહાર ફરતું દેખાય તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરે છે. પરંતુ જો પોલીસ જ કાયદાને નેવે મૂકી નિયમના દજગર ઉડાવે તો તેઓની સામે શું કોઈ કાર્યવાહી થશે ખરી તે પણ એક મોટો સવાલ છે. આ મામલે સુરત પોલીસ કમિશનર કોઈ પગલાં ભરી નિયમ બધા માટે સરખા છે તેવો દાખલો બેસાડશે કે કેમ તે જોવું રહ્યું.
જાણે શું હતું પાર્ટીનું મેનું
કેરી નો રસ
પુરી
રોટલી
૨-શાક
થાબડી મીઠાઇ (હલવો)
મેથી ના ગોટા
બટાકા પુરી
દાળ-ભાત
છાશ
પાપડ