રામ મંદિર બનાવવા માટે ફાળો એકત્ર કરવા માટે સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં કાર્યાલય બનાવવામાં આવ્યું
ગઈકાલે બપોરના સમય કાપોદ્રા વિસ્તારમાં આવેલી ચીકુ વાડી પાસે અમિત પાંડે નામનો ઇસમ ડુપ્લીકેટ રસીદ બુક લઈ લોકો પાસેથી પૈસા ઉઘરાવતો
સવાલ પૂછતાં અમિત પાંડેએ યોગ્ય રીતે જવાબ ન આપતા મામલે કાપોદ્રા પોલીસને જાણ કરાઇ
WatchGujarat. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ચીકુ વાડી પાસે ગઈકાલે બપોરના સમયે અમિત પાંડે નામનો ઈસમ રામ મંદિર બનાવવા માટે ડુપ્લીકેટ રસીદ છાપી ફાળો ઉઘરાવી રહ્યો હતો. ઉતરાયણ હોવાના કારણે લોકો મોટી સંખ્યામાં દાન કરતા હોય છે. ત્યારે તેનો લાભ લઈ અમિત પાંડે એ રામ મંદિર બનાવવા માટે અહીં દાન સ્વીકારવામાં આવશે એવા બેનરો લગાવી ગણતરીના કલાકોમાં લોકો પાસેથી હજારો રૂપિયા એકઠા કરી લીધા હતા.
રામ મંદિર બનાવવા માટે ફાળો એકત્ર કરવા માટે સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં કાર્યાલય બનાવવામાં આવ્યું છે અને તેની જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી કમલેશ કયાડા ને સોંપવામાં આવી છે. આજથી સંસ્થા દ્વારા ફાળો એકત્ર કરવા માટે સ્વયંસેવકોને ચેક અને કેસબુક આપવામાં આવી છે.
[caption id="attachment_257220" align="aligncenter" width="1280"] નકલી રસીદ[/caption]
ત્યારે ગઈકાલે બપોરના સમય કાપોદ્રા વિસ્તારમાં આવેલી ચીકુ વાડી પાસે અમિત પાંડે નામનો ઇસમ ડુપ્લીકેટ રસીદ બુક લઈ લોકો પાસેથી પૈસા ઉઘરાવતો હતો. વાતની જાણ કમલેશ ભાઈ ને થતા તેઓ જાતે કાપોદ્રા પહોંચ્યા હતા. લોકો પાસેથી ગેરકાયદેસર પૈસા ઉઘરાવતા અમિત પાંડેને મળ્યા હતા અને એની પૂછપરછ કરી રસીદ બુક ક્યાંથી લાવ્યો, સંસ્થાના પ્રમુખ કોણ છે, આ રસીદ બુક તને કોણે આપી વગેરે સવાલ પૂછતાં અમિત પાંડે ગેંગે-ફેફે કરવા લાગ્યો હતો અને યોગ્ય રીતે જવાબ ન આપતા કમલેશભાઈએ આ બાબતે કાપોદ્રા પોલીસને જાણ કરી હતી.
પોલીસ પૂછતાછ માં અમિત પાંડેએ કબૂલ્યુ હતું કે, લોકડાઉન ના કારણે ધંધો બંધ થઈ ગયો હતો. દોઢેક લાખ રૂપિયાનું ધંધામાં નુકસાન ગયું હતું. કોઈ કામકાજ ન હોવાના કારણે મારે મજબૂરીમાં આ કામ કરવું પડ્યું હતું.
રામ મંદિર બનાવવા માટે ફાળો એકત્ર કરવા માટે સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં કાર્યાલય બનાવવામાં આવ્યું
ગઈકાલે બપોરના સમય કાપોદ્રા વિસ્તારમાં આવેલી ચીકુ વાડી પાસે અમિત પાંડે નામનો ઇસમ ડુપ્લીકેટ રસીદ બુક લઈ લોકો પાસેથી પૈસા ઉઘરાવતો
સવાલ પૂછતાં અમિત પાંડેએ યોગ્ય રીતે જવાબ ન આપતા મામલે કાપોદ્રા પોલીસને જાણ કરાઇ
WatchGujarat. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ચીકુ વાડી પાસે ગઈકાલે બપોરના સમયે અમિત પાંડે નામનો ઈસમ રામ મંદિર બનાવવા માટે ડુપ્લીકેટ રસીદ છાપી ફાળો ઉઘરાવી રહ્યો હતો. ઉતરાયણ હોવાના કારણે લોકો મોટી સંખ્યામાં દાન કરતા હોય છે. ત્યારે તેનો લાભ લઈ અમિત પાંડે એ રામ મંદિર બનાવવા માટે અહીં દાન સ્વીકારવામાં આવશે એવા બેનરો લગાવી ગણતરીના કલાકોમાં લોકો પાસેથી હજારો રૂપિયા એકઠા કરી લીધા હતા.
રામ મંદિર બનાવવા માટે ફાળો એકત્ર કરવા માટે સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં કાર્યાલય બનાવવામાં આવ્યું છે અને તેની જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી કમલેશ કયાડા ને સોંપવામાં આવી છે. આજથી સંસ્થા દ્વારા ફાળો એકત્ર કરવા માટે સ્વયંસેવકોને ચેક અને કેસબુક આપવામાં આવી છે.
ત્યારે ગઈકાલે બપોરના સમય કાપોદ્રા વિસ્તારમાં આવેલી ચીકુ વાડી પાસે અમિત પાંડે નામનો ઇસમ ડુપ્લીકેટ રસીદ બુક લઈ લોકો પાસેથી પૈસા ઉઘરાવતો હતો. વાતની જાણ કમલેશ ભાઈ ને થતા તેઓ જાતે કાપોદ્રા પહોંચ્યા હતા. લોકો પાસેથી ગેરકાયદેસર પૈસા ઉઘરાવતા અમિત પાંડેને મળ્યા હતા અને એની પૂછપરછ કરી રસીદ બુક ક્યાંથી લાવ્યો, સંસ્થાના પ્રમુખ કોણ છે, આ રસીદ બુક તને કોણે આપી વગેરે સવાલ પૂછતાં અમિત પાંડે ગેંગે-ફેફે કરવા લાગ્યો હતો અને યોગ્ય રીતે જવાબ ન આપતા કમલેશભાઈએ આ બાબતે કાપોદ્રા પોલીસને જાણ કરી હતી.
પોલીસ પૂછતાછ માં અમિત પાંડેએ કબૂલ્યુ હતું કે, લોકડાઉન ના કારણે ધંધો બંધ થઈ ગયો હતો. દોઢેક લાખ રૂપિયાનું ધંધામાં નુકસાન ગયું હતું. કોઈ કામકાજ ન હોવાના કારણે મારે મજબૂરીમાં આ કામ કરવું પડ્યું હતું.