પાલિકાની બેદરકારીના કારણે અકસ્માત થયાનો સ્થાનિકોનો મત
કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
કારની ટક્કરે બાઇક સવાર ઢસડાયો હોવાનું પ્રાથમિક તારણ
સમગ્ર મામલે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે
WatchGujarat. સુરતના મોટા વરાછા વિસ્તારમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કાર પલટી મારી ગયી હતી. તો બાઈક બળીને ખાખ થઇ ગયી હતી. અને બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. બીજી તરફ રોડ પર પડેલા ભૂવાને લઈને આ અકસ્માત સર્જાયો હોવાનો અંદાજ સ્થાનિક લોકો લગાડી રહ્યા છે.
https://youtu.be/36J6ekEuuiA
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા નાવડી સર્કલ પાસે રવિવારે સવારે અકસ્માતની ઘટના બની હતી. બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક કાર સાથે 25 ફૂટ સુધી ઢસડાયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. તેમજ આ ઘટનામાં બાઈક ચાલક 26 વર્ષીય મંથન જયસુખભાઈ ધોરાજીયાનું મોત થયું છે. જો કે, કાર ચાલક અંગે કોઈ માહિતી હાલ પ્રાપ્ત થઇ શકી નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ પર પડેલા ભૂવાને લઈને આ અકસ્માત સર્જાયો હોય શકે છે.
મૃતક મંથનના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા
અકસ્માતની ગમખ્વાર ઘટનામાં એક બાઈક ચાલકનું મોત નીપજ્યું છે. સુરતના મોટા વરાછા ખાતે આવેલી ક્રિષ્ના ટાઉનશીપમાં 26 વર્ષીય મંથન જયસુખભાઈ ધોરાજીયા પરિવાર સાથે રહેતો હતો. ત્રણ વર્ષ પહેલા મંથનના લગ્ન થયા હતા. દરમિયાન આજે વહેલી સવારે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે કારે અડફેટે લઈ 25 ફૂટ સૂધી ઘસડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
રોડ પર પડેલા ભૂવાને લઈને અકસ્માત થયો હોવાનો સ્થાનિકોનો મત
સ્થાનિકોના જણાવ્યા મુજબ અહી રોડ પર ભૂવો પડ્યો છે. જેને લઈને અનેક ફરિયાદો મનપા તંત્રમાં કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી અહી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. આજે આ અકસ્માત પણ આ ભૂવાને લઈને થયો હોવાની આંશકા છે. જો કે હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાલિકાની બેદરકારીના કારણે અકસ્માત થયાનો સ્થાનિકોનો મત
કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
કારની ટક્કરે બાઇક સવાર ઢસડાયો હોવાનું પ્રાથમિક તારણ
સમગ્ર મામલે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે
WatchGujarat. સુરતના મોટા વરાછા વિસ્તારમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કાર પલટી મારી ગયી હતી. તો બાઈક બળીને ખાખ થઇ ગયી હતી. અને બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. બીજી તરફ રોડ પર પડેલા ભૂવાને લઈને આ અકસ્માત સર્જાયો હોવાનો અંદાજ સ્થાનિક લોકો લગાડી રહ્યા છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા નાવડી સર્કલ પાસે રવિવારે સવારે અકસ્માતની ઘટના બની હતી. બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક કાર સાથે 25 ફૂટ સુધી ઢસડાયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. તેમજ આ ઘટનામાં બાઈક ચાલક 26 વર્ષીય મંથન જયસુખભાઈ ધોરાજીયાનું મોત થયું છે. જો કે, કાર ચાલક અંગે કોઈ માહિતી હાલ પ્રાપ્ત થઇ શકી નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ પર પડેલા ભૂવાને લઈને આ અકસ્માત સર્જાયો હોય શકે છે.
મૃતક મંથનના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા
અકસ્માતની ગમખ્વાર ઘટનામાં એક બાઈક ચાલકનું મોત નીપજ્યું છે. સુરતના મોટા વરાછા ખાતે આવેલી ક્રિષ્ના ટાઉનશીપમાં 26 વર્ષીય મંથન જયસુખભાઈ ધોરાજીયા પરિવાર સાથે રહેતો હતો. ત્રણ વર્ષ પહેલા મંથનના લગ્ન થયા હતા. દરમિયાન આજે વહેલી સવારે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે કારે અડફેટે લઈ 25 ફૂટ સૂધી ઘસડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
રોડ પર પડેલા ભૂવાને લઈને અકસ્માત થયો હોવાનો સ્થાનિકોનો મત
સ્થાનિકોના જણાવ્યા મુજબ અહી રોડ પર ભૂવો પડ્યો છે. જેને લઈને અનેક ફરિયાદો મનપા તંત્રમાં કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી અહી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. આજે આ અકસ્માત પણ આ ભૂવાને લઈને થયો હોવાની આંશકા છે. જો કે હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.