સુરતમાં લાલુ જાલીમ અને તેના ગેંગનો આતંક વધતા ગુજસીટોકના કાયદા હેઠળ ગુનો નોંધ્યો
ગુનો નોંધ્યા બાદ પોલીસે ગેંગના 6 સાગરીતોની ધરપકડ કરી, અન્ય ફરારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
ક્રાઇમ બ્રાન્ચે લાલુ જાલીમને વારાણસી અને તેના સાગરીતની ભરૂચ ખાતેથી ધરપકડ કરી
પોલીસ તપાસમાં લાલુ જાલીમ પાસે નેપાળના બે સીમકાર્ડ મળી આવ્યા
WatchGujarat. ગુજ્સીટોકના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત લાલુ જાલિમ અને તેના સાગરિતની ડીસીબી પોલીસે ધરપકડ કરી છે. કુખ્યાત લાલુ જાલિમની વારસણી અને તેના સાગરિતની ભરૂચથી ધરપકડ કરવામાં આવી છે. માથાભારે લાલુ જાલીમની સામે 15થી વધુ ગુનાઓ શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. જ્યારે તેના સાગરીત આરોપી નિકુંજ સામે કુલ 11 ગુના નોંધાયેલા છે.
સુરતમાં લાલુ જાલિમ એન્ડ ગેંગનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હતો, ત્યારે સુરત પોલીસે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ ગુજરાત એટલે કે ગુજ્સીટોકનો ગુનો નોધ્યો હતો. અને આ ગુનામાં પોલીસે અગાઉ લાલુ ઝાલીમ ગેંગના 6 સાગરિતની ધરપકડ કરી હતી. દરમિયાન ગેંગનો મુખ્ય લીડર અમીત ઉર્ફે લાલુ જાલિમ અને તેનો નિકટનો સાગરિત નિકુંજ ઉમેશભાઈ ચૌહાણ ગુનો દાખલ થતા જ સુરત શહેર છોડી ફરાર થઇ ગયા હતા.
પોલીસ આ બંને આરોપીઓને પકડવા માટે 6 મહિનાથી મહેનત કરી રહી હતી. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, અમિત ઉર્ફે લાલુ ઝાલીમ અને તેનો સાગરિત યુપીના વારાસણીમાં ચોરી છુપીથી રહે છે. જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ત્યાં રવાના થઇ હતી. અને ત્યાં તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. અને બાદમાં ત્યાંથી અમીત ઉર્ફે લાલુ ઝાલીમને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. અને તેના નજીકના સાગરિત નીકુંજને ભરૂચ ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો.
આરોપીઓ 15 દિવસના રિમાન્ડ પર
સુરત ક્રાઈમ બ્રાંચ બંને કુખ્યાત આરોપીઓને પકડીને સુરત લાવી હતી અને કોર્ટમાં રજુ કરી 30 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. દરમ્યાન કોર્ટે બંને આરોપીઓના 15 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસ તપાસમાં લાલુ જાલીમ પાસે નેપાળના બે સીમકાર્ડ મળી આવ્યા હતા.
પોલીસ ક્યાં ક્યાં મામલે કરશે તપાસ ?
લાલુ પાસેથી નેપાળના બે સીમ મળ્યા છે. તે કોના-કોના સંપર્કમાં હતો તેની માહિતી મેળવવાની છે. ફરાર દિપક જયસ્વાલ, આશિષ પાંડે અને અવનેશ રાજપુત વિશે આરોપી જાણતો હોય તેની પૂછપરછ કરવાની છે. જાલીમ સામે 15 ગુના છે, 3 વાર પાસા અને 1 વાર તડીપાર કરાયો છે. જ્યારે નિકુંજને 2 વાર પાસા કરાયો છે. બંને તપાસમાં સહકાર આપતા નથી. આરોપીઓ નેપાળના પોખરા શહેરમાં રોકાયા હોવાથી કોણે આર્થિક મદદ કરી એ પણ જાણવાનું છે
લાલુ ઝાલીમ સામે 24 અને નિકુંજ સામે 15 ગુના નોંધાયેલા છે
કુખ્યાત લાલુ ઝાલીમ સામે સુરતના અમરોલી, કતારગામ, ઉધના, સુરત રેલ્વે, ઓલપાડ ડીસીબી, લીંબાયત, સચિન પોલીસ મથકમાં આમર્સ એકટ, ધમકી, મારામારી, જેવા ગંભીર ગુનાઓ દાખલ છે. જયારે નિકુંજ સામે ૧૫ ગુના નોંધાયેલા છે.
સુરતમાં લાલુ જાલીમ અને તેના ગેંગનો આતંક વધતા ગુજસીટોકના કાયદા હેઠળ ગુનો નોંધ્યો
ગુનો નોંધ્યા બાદ પોલીસે ગેંગના 6 સાગરીતોની ધરપકડ કરી, અન્ય ફરારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
ક્રાઇમ બ્રાન્ચે લાલુ જાલીમને વારાણસી અને તેના સાગરીતની ભરૂચ ખાતેથી ધરપકડ કરી
પોલીસ તપાસમાં લાલુ જાલીમ પાસે નેપાળના બે સીમકાર્ડ મળી આવ્યા
WatchGujarat. ગુજ્સીટોકના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત લાલુ જાલિમ અને તેના સાગરિતની ડીસીબી પોલીસે ધરપકડ કરી છે. કુખ્યાત લાલુ જાલિમની વારસણી અને તેના સાગરિતની ભરૂચથી ધરપકડ કરવામાં આવી છે. માથાભારે લાલુ જાલીમની સામે 15થી વધુ ગુનાઓ શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. જ્યારે તેના સાગરીત આરોપી નિકુંજ સામે કુલ 11 ગુના નોંધાયેલા છે.
સુરતમાં લાલુ જાલિમ એન્ડ ગેંગનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હતો, ત્યારે સુરત પોલીસે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ ગુજરાત એટલે કે ગુજ્સીટોકનો ગુનો નોધ્યો હતો. અને આ ગુનામાં પોલીસે અગાઉ લાલુ ઝાલીમ ગેંગના 6 સાગરિતની ધરપકડ કરી હતી. દરમિયાન ગેંગનો મુખ્ય લીડર અમીત ઉર્ફે લાલુ જાલિમ અને તેનો નિકટનો સાગરિત નિકુંજ ઉમેશભાઈ ચૌહાણ ગુનો દાખલ થતા જ સુરત શહેર છોડી ફરાર થઇ ગયા હતા.
પોલીસ આ બંને આરોપીઓને પકડવા માટે 6 મહિનાથી મહેનત કરી રહી હતી. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, અમિત ઉર્ફે લાલુ ઝાલીમ અને તેનો સાગરિત યુપીના વારાસણીમાં ચોરી છુપીથી રહે છે. જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ત્યાં રવાના થઇ હતી. અને ત્યાં તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. અને બાદમાં ત્યાંથી અમીત ઉર્ફે લાલુ ઝાલીમને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. અને તેના નજીકના સાગરિત નીકુંજને ભરૂચ ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો.
આરોપીઓ 15 દિવસના રિમાન્ડ પર
સુરત ક્રાઈમ બ્રાંચ બંને કુખ્યાત આરોપીઓને પકડીને સુરત લાવી હતી અને કોર્ટમાં રજુ કરી 30 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. દરમ્યાન કોર્ટે બંને આરોપીઓના 15 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસ તપાસમાં લાલુ જાલીમ પાસે નેપાળના બે સીમકાર્ડ મળી આવ્યા હતા.
પોલીસ ક્યાં ક્યાં મામલે કરશે તપાસ ?
લાલુ પાસેથી નેપાળના બે સીમ મળ્યા છે. તે કોના-કોના સંપર્કમાં હતો તેની માહિતી મેળવવાની છે. ફરાર દિપક જયસ્વાલ, આશિષ પાંડે અને અવનેશ રાજપુત વિશે આરોપી જાણતો હોય તેની પૂછપરછ કરવાની છે. જાલીમ સામે 15 ગુના છે, 3 વાર પાસા અને 1 વાર તડીપાર કરાયો છે. જ્યારે નિકુંજને 2 વાર પાસા કરાયો છે. બંને તપાસમાં સહકાર આપતા નથી. આરોપીઓ નેપાળના પોખરા શહેરમાં રોકાયા હોવાથી કોણે આર્થિક મદદ કરી એ પણ જાણવાનું છે
લાલુ ઝાલીમ સામે 24 અને નિકુંજ સામે 15 ગુના નોંધાયેલા છે
કુખ્યાત લાલુ ઝાલીમ સામે સુરતના અમરોલી, કતારગામ, ઉધના, સુરત રેલ્વે, ઓલપાડ ડીસીબી, લીંબાયત, સચિન પોલીસ મથકમાં આમર્સ એકટ, ધમકી, મારામારી, જેવા ગંભીર ગુનાઓ દાખલ છે. જયારે નિકુંજ સામે ૧૫ ગુના નોંધાયેલા છે.