કૃષિ કાયદાઓ રિલાયન્સ સહિતની કંપનીઓ ને ફાયદો કરાવવા માટે લાવવામાં આવ્યા હોવાના આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે
JIO' બ્રાન્ડના લોટ તથા અનાજ ની કોથળીઓ વાઇરલ થતા રિલાયન્સ નું મેનેજમેન્ટ ચોંકી ઉઠ્યુ હતુ
WatchGujarat. જાણીતી બ્રાન્ડ ના નામે ડુપ્લીકેટ ચીજવસ્તુઓનું વેચાણ કરતા અનેક લોકો અત્યાર સુધી પકડાયા છે. પરંતુ હવે જાણીતી બ્રાન્ડના નામે અનાજ અને લોટ પણ વેચવા લાગ્યા છે. સુરતના કેટલાક ભેજબજો દ્વારા જાણીતી રીલાયન્સ કંપનીના 'JIO' બ્રાન્ડના નામે અનાજ અને લોટ વેચવામાં આવતો હોવાના વિડિયો તથા ફોટા વાયરલ થયા હતા. જેને પગલે ચોંકી ઉઠેલ રિલાયન્સ કંપની ના પરિમલ નથવાણીએ પોલીસ કમિશ્નરને ઇ-મેલ કરી આ સમગ્ર મામલે કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી.
ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલી સૂચનાને પગલે સચિન પોલીસે આ મામલે સુરતની કે રાધા કૃષ્ણ ટ્રેડિંગ કંપની ના માલિકો સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ધોની ધરપકડ કરી જમીન મુક્તિ કરી દીધા હતા. આ બાબતે DCP ઝોન 3 વિધિ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 'JIO' કંપની માં કામ કરતા સૌરવ પ્રકાશ ભાત્રા એ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે 'JIO' ના ટ્રેડમાર્ક નો કેટલાક વેપારીઓ દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ફરિયાદ મળતા સચિન પોલીસે આ મામલે કાર્યવાહી કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
આ સમગ્ર મામલો એવા સમયે પ્રકાશમાં આવ્યો છે,જ્યારે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન ચરમસીમાએ છે. કૃષિ કાયદાઓ રિલાયન્સ સહિતની કંપનીઓ ને ફાયદો કરાવવા માટે લાવવામાં આવ્યા હોવાના આક્ષેપો વચ્ચે 'JIO' બ્રાન્ડના લોટ તથા અનાજ ની કોથળીઓ વહેતી થતા રિલાયન્સ નું મેનેજમેન્ટ ચોંકી ઉઠ્યું હતું. અને આ બાબત ને ગંભીરતા થી લઇ પોલીસ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ સચિન પોલીસ દ્વારા આશ્ચર્યજનક રીતે આ મામલા ને હળવો બનાવી દઈ માત્ર કોપીરાઇટ્સ એકટ ની કલમો લગાવી મામલો રાફેદફે કરી દેવાની કોશિશ કરી હોય તે રીતે આરોપી વેપારીઓ ને ગણતરી ના કલાકો માં જામીન મુક્ત મારી દીધા હતા..
રિલાયન્સ 'JIO' એક મોટી બ્રાન્ડ હોવાના કારણે કેટલાક નાના મોટા વેપારીઓ પોતાના ધંધા માટે 'JIO' ના ટ્રેડમાર્ક નો ઉપયોગ પોતાના ધંધા માટે કરતા હોય છે પરંતુ લોકોને ખબર નહીં કે એમની ભૂલ તેમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે.
કૃષિ કાયદાઓ રિલાયન્સ સહિતની કંપનીઓ ને ફાયદો કરાવવા માટે લાવવામાં આવ્યા હોવાના આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે
JIO' બ્રાન્ડના લોટ તથા અનાજ ની કોથળીઓ વાઇરલ થતા રિલાયન્સ નું મેનેજમેન્ટ ચોંકી ઉઠ્યુ હતુ
WatchGujarat. જાણીતી બ્રાન્ડ ના નામે ડુપ્લીકેટ ચીજવસ્તુઓનું વેચાણ કરતા અનેક લોકો અત્યાર સુધી પકડાયા છે. પરંતુ હવે જાણીતી બ્રાન્ડના નામે અનાજ અને લોટ પણ વેચવા લાગ્યા છે. સુરતના કેટલાક ભેજબજો દ્વારા જાણીતી રીલાયન્સ કંપનીના 'JIO' બ્રાન્ડના નામે અનાજ અને લોટ વેચવામાં આવતો હોવાના વિડિયો તથા ફોટા વાયરલ થયા હતા. જેને પગલે ચોંકી ઉઠેલ રિલાયન્સ કંપની ના પરિમલ નથવાણીએ પોલીસ કમિશ્નરને ઇ-મેલ કરી આ સમગ્ર મામલે કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી.
ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલી સૂચનાને પગલે સચિન પોલીસે આ મામલે સુરતની કે રાધા કૃષ્ણ ટ્રેડિંગ કંપની ના માલિકો સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ધોની ધરપકડ કરી જમીન મુક્તિ કરી દીધા હતા. આ બાબતે DCP ઝોન 3 વિધિ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 'JIO' કંપની માં કામ કરતા સૌરવ પ્રકાશ ભાત્રા એ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે 'JIO' ના ટ્રેડમાર્ક નો કેટલાક વેપારીઓ દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ફરિયાદ મળતા સચિન પોલીસે આ મામલે કાર્યવાહી કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
આ સમગ્ર મામલો એવા સમયે પ્રકાશમાં આવ્યો છે,જ્યારે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન ચરમસીમાએ છે. કૃષિ કાયદાઓ રિલાયન્સ સહિતની કંપનીઓ ને ફાયદો કરાવવા માટે લાવવામાં આવ્યા હોવાના આક્ષેપો વચ્ચે 'JIO' બ્રાન્ડના લોટ તથા અનાજ ની કોથળીઓ વહેતી થતા રિલાયન્સ નું મેનેજમેન્ટ ચોંકી ઉઠ્યું હતું. અને આ બાબત ને ગંભીરતા થી લઇ પોલીસ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ સચિન પોલીસ દ્વારા આશ્ચર્યજનક રીતે આ મામલા ને હળવો બનાવી દઈ માત્ર કોપીરાઇટ્સ એકટ ની કલમો લગાવી મામલો રાફેદફે કરી દેવાની કોશિશ કરી હોય તે રીતે આરોપી વેપારીઓ ને ગણતરી ના કલાકો માં જામીન મુક્ત મારી દીધા હતા..
રિલાયન્સ 'JIO' એક મોટી બ્રાન્ડ હોવાના કારણે કેટલાક નાના મોટા વેપારીઓ પોતાના ધંધા માટે 'JIO' ના ટ્રેડમાર્ક નો ઉપયોગ પોતાના ધંધા માટે કરતા હોય છે પરંતુ લોકોને ખબર નહીં કે એમની ભૂલ તેમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે.