સુરત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંદીના નિર્ણય બાદ સુરતમાં નોટબંધી સમયે સોના વેચાણના નામે મોટું કોભાંડ થયું હોવાના આક્ષેપ ભાજપના અગ્રણી પીવીએસ શર્મા લગાવી રહ્યા છે. તેઓએ આ મામલે પીએમ મોદી અને નાણામંત્રીને ટવીટ કરીને આ મામલે ઇડી અને સીબીઆઈ મારફત તપાસ કરવા માંગ કરી છે.
કાળુનાણું પાછું લાવવા માટે વડાપ્રધાનના નોટબંદીના નિર્ણય બાદ કાળું નાણું કેટલું બહાર આવ્યું કે નહિ એ બીજો મુદ્દો છે પણ નોટબંધી સમયે કાળા નાણાને સફેદ કરવા માટેની ખુબ મોટી રમત અને સુરતમાં મસમોટું કોભાંડ થયાનું સામે આવી રહ્યું છે. ભાજપના અગ્રણી અને પુર્વ આઇટી અધિકારી પીવીએસ શર્માએ આ મામલે પીએમ મોદી અને નાણામંત્રીને ટવીટ કર્યું છે અને આ મામલે ઇડી અને સીબીઆઈ મારફત તપાસ કરવા માંગ કરી છે. સુરત ઘોડદોડ રોડના કલામંદીર જવેલર્સે 110 કરોડ રૂપિયા ડિપોઝિટ કરી 33 ટકા ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવા માટેની અરજી કરી હતી. અને તેની આ અપીલની અરજી સ્વીકારી લેવામાં આવતાં હાલ મોટા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરાઈ છે .જો પેન્ટલટી સાથે આ રકમ ભરવાની થાય તો 167 કરોડ રકમ ભરવાની થાય તેમ છે.
https://twitter.com/pvssarma/status/1318082697198104576?s=21
આ સમગ્ર કૌભાંડ મામલે પીવીએસ શર્માએ જણાવ્યું હતું કે આઇસીડીએસ ની સ્કીમ ને નિષ્ફળ કરવા અમુક જ્વેલર્સ અને અધિકારીઓએ પ્રયાસ કર્યો હતો.જેમાં તેમનો કૌભાંડીઓને ઉજાગર કરવા પ્રયાસ છે.2016 - 2017 એસેસમેન્ટ હાલ ફાઇનલ થઈ રહ્યુ છે જે બાદ સમર્ગ કૌભાંડ જાહેર થશે.
તેમજ તેમણે વધુ ઉમેર્યું હતું કે આ મામલે ચોક્કસથી ઇન્કવાયરી થશે.એનસીપી નેતાનો એક છોકરો આ કૌભાંડ માં ઇનવોલ્વ છે.આ સાથે અધિકારીઓ અને ચાર્ટડ એકાઉન્ટના પણ મારી પાસે નામ છે..જે સમય રહેતા એકબાદ એક ઉજાગર કરીશ. તમામ ડોક્યુમેન્ટ્સ મારી પાસે છે જે એક એક કરી જાહેર કરીશ.
ટેક્સ એન પેનલટી સાથે રકમ 167 કરોડ થવી જોઈએ તેની સામે માત્ર 80 લાખમાં સેટલમેન્ટ થવા જઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપના આ નેતાના ટવીટથી સુરતમાં જવેલર્સ આલમ અને લાગતાવળગતા અધિકારીઓના બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સમર્ગ કૌભાંડ મામલે સરકાર કોઈ યોગ્ય તપાશ કરશે કેમ તે અંગે પણ હાલ સવાલો થઇ રહ્યા છે.
કલામંદીર જ્વેલર્સના અગ્રણીએ જણાવ્યું હતું કે, આક્ષેપ કરનાર મોટો તોડબાજ છે. ક્યાંકથી ચોરીના ડોક્યુમેન્ટનસ લાવીને આક્ષેપ કરી રહ્યો છે. અમે તમામ વિગતોને આરઓસીમાં જમા કરાવી છે.
સુરત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંદીના નિર્ણય બાદ સુરતમાં નોટબંધી સમયે સોના વેચાણના નામે મોટું કોભાંડ થયું હોવાના આક્ષેપ ભાજપના અગ્રણી પીવીએસ શર્મા લગાવી રહ્યા છે. તેઓએ આ મામલે પીએમ મોદી અને નાણામંત્રીને ટવીટ કરીને આ મામલે ઇડી અને સીબીઆઈ મારફત તપાસ કરવા માંગ કરી છે.
કાળુનાણું પાછું લાવવા માટે વડાપ્રધાનના નોટબંદીના નિર્ણય બાદ કાળું નાણું કેટલું બહાર આવ્યું કે નહિ એ બીજો મુદ્દો છે પણ નોટબંધી સમયે કાળા નાણાને સફેદ કરવા માટેની ખુબ મોટી રમત અને સુરતમાં મસમોટું કોભાંડ થયાનું સામે આવી રહ્યું છે. ભાજપના અગ્રણી અને પુર્વ આઇટી અધિકારી પીવીએસ શર્માએ આ મામલે પીએમ મોદી અને નાણામંત્રીને ટવીટ કર્યું છે અને આ મામલે ઇડી અને સીબીઆઈ મારફત તપાસ કરવા માંગ કરી છે. સુરત ઘોડદોડ રોડના કલામંદીર જવેલર્સે 110 કરોડ રૂપિયા ડિપોઝિટ કરી 33 ટકા ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવા માટેની અરજી કરી હતી. અને તેની આ અપીલની અરજી સ્વીકારી લેવામાં આવતાં હાલ મોટા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરાઈ છે .જો પેન્ટલટી સાથે આ રકમ ભરવાની થાય તો 167 કરોડ રકમ ભરવાની થાય તેમ છે.
https://twitter.com/pvssarma/status/1318082697198104576?s=21
આ સમગ્ર કૌભાંડ મામલે પીવીએસ શર્માએ જણાવ્યું હતું કે આઇસીડીએસ ની સ્કીમ ને નિષ્ફળ કરવા અમુક જ્વેલર્સ અને અધિકારીઓએ પ્રયાસ કર્યો હતો.જેમાં તેમનો કૌભાંડીઓને ઉજાગર કરવા પ્રયાસ છે.2016 - 2017 એસેસમેન્ટ હાલ ફાઇનલ થઈ રહ્યુ છે જે બાદ સમર્ગ કૌભાંડ જાહેર થશે.
તેમજ તેમણે વધુ ઉમેર્યું હતું કે આ મામલે ચોક્કસથી ઇન્કવાયરી થશે.એનસીપી નેતાનો એક છોકરો આ કૌભાંડ માં ઇનવોલ્વ છે.આ સાથે અધિકારીઓ અને ચાર્ટડ એકાઉન્ટના પણ મારી પાસે નામ છે..જે સમય રહેતા એકબાદ એક ઉજાગર કરીશ. તમામ ડોક્યુમેન્ટ્સ મારી પાસે છે જે એક એક કરી જાહેર કરીશ.
ટેક્સ એન પેનલટી સાથે રકમ 167 કરોડ થવી જોઈએ તેની સામે માત્ર 80 લાખમાં સેટલમેન્ટ થવા જઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપના આ નેતાના ટવીટથી સુરતમાં જવેલર્સ આલમ અને લાગતાવળગતા અધિકારીઓના બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સમર્ગ કૌભાંડ મામલે સરકાર કોઈ યોગ્ય તપાશ કરશે કેમ તે અંગે પણ હાલ સવાલો થઇ રહ્યા છે.
કલામંદીર જ્વેલર્સના અગ્રણીએ જણાવ્યું હતું કે, આક્ષેપ કરનાર મોટો તોડબાજ છે. ક્યાંકથી ચોરીના ડોક્યુમેન્ટનસ લાવીને આક્ષેપ કરી રહ્યો છે. અમે તમામ વિગતોને આરઓસીમાં જમા કરાવી છે.