સુરત. પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં હાલ ગુનાહિત પ્રવૃત્તિઓ એ માઝા મૂકી છે. પાંડેસરા વિસ્તારમાં જમીન વિવાદને લઈને પાંચ લોકોએ ભેગા મળી એક યુવાનને જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરી હતી. અને હત્યા બાદ ગુનેગારો સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા. પોલીસે હુમલાખોરોને શોધવા માટે દોડતી થઇ ગઇ હતી.
પાંડેસરા વિસ્તારમાં ફરી એક વાર જમીન વિવાદે એક યુવાનનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. ગેરકાયદેસર જમીન પર કબજો કરતા યુવાને પાંચ કરતાં વધુ વિક્રમ હોય એની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દીધા છે. પાંડેસરા વિસ્તારના આશિષ નગર ખાતે રહેતા અને જમીન વિવાદોમાં સંડોવાયેલા રાજન રાજસ્થાની રાજપૂત છેલ્લા ઘણા વખતથી પોતાના વિસ્તારમાં માથાભારે બની ચૂક્યો હતો. રાજન રાજપુત પાંડેસરાના ડી માર્ટ પાસે હાજર હતો તે સમયે ચારથી પાંચ જેટલા અજાણ્યા ઇસમો જુના જમીન વિવાદને લઈને અંગત અદાવત રાખી તેના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. અને તેની જાહેરમાં નિર્મમ હત્યા કરી હતી.
હત્યા કર્યા બાદ તમામ આરોપીઓ ત્યાંથી ભાગી છૂટયા હતા. હત્યાની જાણ થતા પાંડેસરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી કરી દીધી હતી. પ્રાથમિક તબક્કે પોલીસે આ હત્યા જમીન વિવાદ અને અંગત અદાવતના કારણે થયું હોવાનું અનુમાન લગાવી રહી છે. પાંડેસરા પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીઓ સુધી પહોંચવા માટેની તજવીજ હાથ ધરી છે
સુરત. પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં હાલ ગુનાહિત પ્રવૃત્તિઓ એ માઝા મૂકી છે. પાંડેસરા વિસ્તારમાં જમીન વિવાદને લઈને પાંચ લોકોએ ભેગા મળી એક યુવાનને જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરી હતી. અને હત્યા બાદ ગુનેગારો સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા. પોલીસે હુમલાખોરોને શોધવા માટે દોડતી થઇ ગઇ હતી.
પાંડેસરા વિસ્તારમાં ફરી એક વાર જમીન વિવાદે એક યુવાનનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. ગેરકાયદેસર જમીન પર કબજો કરતા યુવાને પાંચ કરતાં વધુ વિક્રમ હોય એની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દીધા છે. પાંડેસરા વિસ્તારના આશિષ નગર ખાતે રહેતા અને જમીન વિવાદોમાં સંડોવાયેલા રાજન રાજસ્થાની રાજપૂત છેલ્લા ઘણા વખતથી પોતાના વિસ્તારમાં માથાભારે બની ચૂક્યો હતો. રાજન રાજપુત પાંડેસરાના ડી માર્ટ પાસે હાજર હતો તે સમયે ચારથી પાંચ જેટલા અજાણ્યા ઇસમો જુના જમીન વિવાદને લઈને અંગત અદાવત રાખી તેના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. અને તેની જાહેરમાં નિર્મમ હત્યા કરી હતી.
હત્યા કર્યા બાદ તમામ આરોપીઓ ત્યાંથી ભાગી છૂટયા હતા. હત્યાની જાણ થતા પાંડેસરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી કરી દીધી હતી. પ્રાથમિક તબક્કે પોલીસે આ હત્યા જમીન વિવાદ અને અંગત અદાવતના કારણે થયું હોવાનું અનુમાન લગાવી રહી છે. પાંડેસરા પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીઓ સુધી પહોંચવા માટેની તજવીજ હાથ ધરી છે