DySP રાજદિપ સિંહ નકુમની સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ
ગઢડામાં સ્વામિનારાયણ મંદિરના ચેરમેનની ઓફિસમાં DySP ઘુસી આવી ખુરશી પર બેસી દાદાગીરી કરી હતી
WatchGujarat. ગઢડામાં સ્વામિનારાયણ મંદિરના ચેરમેનની ઓફિસમાં દાદાગીરી અને ગેરવર્તન કરવા બદલ DySP રાજદિપ સિંહ નકુમની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુરતમાં સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત હરિભક્તોએ ચીમકી પણ આપી હતી કે આગમી દિવસોમાં આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે.
ગઢડામાં સ્વામિનારાયણ મંદિરના ચેરમેનની ઓફિસમાં DySP રાજદિપ સિંહ નકુમ ઘુસી આવ્યા હતા અને તેઓની ચેરમેનની ખુરશી પર બેસી દાદાગીરી કરી હતી તેમજ ગાળાગાળી કરી હતી. આ ઘટનાના પડઘા દેશ વિદેશમાં પડ્યા છે. ત્યારે સુરતમાં પણ આ ઘટનાના પડઘા જોવા મળી રહ્યા છે. સુરતમાં તમામ સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં માંગ કરવામાં આવી છે કે DySP રાજદિપ સિંહ નકુમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જેથી સમાજમાં એક દાખલો બેસે. આવા પોલીસ અધિકારીઓ સત્તાનો દુરપયોગ કર્યો છે. તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.
સુરત કલેકટર કચેરીએ આવેદન આપવા આવેલા હરિભક્તોએ હાથમાંજસ્ટીસ ફોર ગઢડા જેવા બેનરો સાથે વિરોધ પણ નોંધાવ્યો હતો. સાથે જ દેવપક્ષ પર આક્ષેપ કરતા બેનરો લગાડવામાં આવ્યા હતા. અને રાજ્ય સરકારને પણ DySP રાજદિપ સિંહ નકુમની સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
More #Gadhada #Swaminarayan temple #devotees #ask #action on #Dysp #Rajdeep sinh nakum #Surat News
DySP રાજદિપ સિંહ નકુમની સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ
ગઢડામાં સ્વામિનારાયણ મંદિરના ચેરમેનની ઓફિસમાં DySP ઘુસી આવી ખુરશી પર બેસી દાદાગીરી કરી હતી
WatchGujarat. ગઢડામાં સ્વામિનારાયણ મંદિરના ચેરમેનની ઓફિસમાં દાદાગીરી અને ગેરવર્તન કરવા બદલ DySP રાજદિપ સિંહ નકુમની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુરતમાં સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત હરિભક્તોએ ચીમકી પણ આપી હતી કે આગમી દિવસોમાં આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે.
ગઢડામાં સ્વામિનારાયણ મંદિરના ચેરમેનની ઓફિસમાં DySP રાજદિપ સિંહ નકુમ ઘુસી આવ્યા હતા અને તેઓની ચેરમેનની ખુરશી પર બેસી દાદાગીરી કરી હતી તેમજ ગાળાગાળી કરી હતી. આ ઘટનાના પડઘા દેશ વિદેશમાં પડ્યા છે. ત્યારે સુરતમાં પણ આ ઘટનાના પડઘા જોવા મળી રહ્યા છે. સુરતમાં તમામ સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં માંગ કરવામાં આવી છે કે DySP રાજદિપ સિંહ નકુમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જેથી સમાજમાં એક દાખલો બેસે. આવા પોલીસ અધિકારીઓ સત્તાનો દુરપયોગ કર્યો છે. તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.
સુરત કલેકટર કચેરીએ આવેદન આપવા આવેલા હરિભક્તોએ હાથમાંજસ્ટીસ ફોર ગઢડા જેવા બેનરો સાથે વિરોધ પણ નોંધાવ્યો હતો. સાથે જ દેવપક્ષ પર આક્ષેપ કરતા બેનરો લગાડવામાં આવ્યા હતા. અને રાજ્ય સરકારને પણ DySP રાજદિપ સિંહ નકુમની સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
More #Gadhada #Swaminarayan temple #devotees #ask #action on #Dysp #Rajdeep sinh nakum #Surat News