દસ્તાન ફાટક પાસે વહેલી સવારે બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત
20 થી વધુ ઈજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
બસમાં બેઠેલા મુસાફરોની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા
સુરત. બારડોલી દસ્તાન ફાટક પાસે વહેલી સવારે બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઘાયલોને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરતના બારડોલી દસ્તાન ફાટક પાસે પણ વહેલી સવારે 6 વાગ્યે બે ખાનગી ટ્રાવેલર્સની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે અકસ્માતમાં હજુ કોઇ પણ મોતના સમાચાર સામે આવ્યા નથી. જ્યારે 20 થી વધુ ઈજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ 108ની 8 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બંને લક્ઝરી બસમાં બેઠેલા મુસાફરોની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોની ભીડ વચ્ચે મુસાફરોને બસોમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા છે.
મહારાષ્ટ્રથી સુરત આવતા પિતા-દીકરી ઈજાગ્રસ્ત થયા
બારડોલી થી આવતી મુસાફરો ભરેલી લકઝરી પુર ઝડપે ફાટક નજીક ઉભેલી બસ માં ઘુસી ગઈ હતી. મહારાષ્ટ્રથી નીકળેલી લક્ઝરી બસનો અકસ્માત થયો હતો. જેમાં સુરતના રહેવાસી દિલાવર ખાન મહારાષ્ટ્રથી દીકરીને લઈ સુરત આવતા હતા. દરમિયાન બસનો અકસ્માત થતા ઈજાગ્રસ્ત થયા હતા.
દસ્તાન ફાટક પાસે વહેલી સવારે બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત
20 થી વધુ ઈજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
બસમાં બેઠેલા મુસાફરોની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા
સુરત. બારડોલી દસ્તાન ફાટક પાસે વહેલી સવારે બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઘાયલોને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરતના બારડોલી દસ્તાન ફાટક પાસે પણ વહેલી સવારે 6 વાગ્યે બે ખાનગી ટ્રાવેલર્સની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે અકસ્માતમાં હજુ કોઇ પણ મોતના સમાચાર સામે આવ્યા નથી. જ્યારે 20 થી વધુ ઈજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ 108ની 8 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બંને લક્ઝરી બસમાં બેઠેલા મુસાફરોની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોની ભીડ વચ્ચે મુસાફરોને બસોમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા છે.
મહારાષ્ટ્રથી સુરત આવતા પિતા-દીકરી ઈજાગ્રસ્ત થયા
બારડોલી થી આવતી મુસાફરો ભરેલી લકઝરી પુર ઝડપે ફાટક નજીક ઉભેલી બસ માં ઘુસી ગઈ હતી. મહારાષ્ટ્રથી નીકળેલી લક્ઝરી બસનો અકસ્માત થયો હતો. જેમાં સુરતના રહેવાસી દિલાવર ખાન મહારાષ્ટ્રથી દીકરીને લઈ સુરત આવતા હતા. દરમિયાન બસનો અકસ્માત થતા ઈજાગ્રસ્ત થયા હતા.