રસ્તા પર લારી શરૂ કરીને ફટાકડા વેચવાનું ગંભીર પરિણામ આવી શકે છે
ગતરોજ કતાર ગામમાં એક ફટાકડા વેચતી લારીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
ફાયરના લાશ્કરોએ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો
સુરત. કતારગામ વિસ્તારમાં ફટકડાની લારીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવી લીધો હતો
સુરત શહેરના કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિર બહાર સોમવારની રાત્રે અચાનક ફટાકડાની લારીમાં ધડાકા સાથે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે એક જાગૃત નાગરિકે ઘટનાની ગંભીરતા માપી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી દેતા ફાયરના જવાનો ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
https://youtu.be/UBGbrgSc9zE
આગની લપેટમાં આવેલી ફટાકડાની લારી પાછળ એક એપાર્ટમેન્ટને લઈ લોકોમાં ભય નો માહોલ પણ જોવા મળ્યો હતો. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રસ્તાની બાજુ પર લાગી લઇને ફટાકડા વેચવાની છુટના અત્યંગ ગંભીર પરિણામો આવી શકે છે. લારી પર કોઇ પણ પ્રકારની આગથી બચનાવા જરૂરી સંસાધનોનો અભાવ જોવા મળે છે. ઓ લારી પર વેચાતા ફટાકડા બાબતે કોઇ નક્કર નિર્ણય નહિ લેવામાં આવે તો મુશ્કેલી સર્જાઇ શકે છે.
રસ્તા પર લારી શરૂ કરીને ફટાકડા વેચવાનું ગંભીર પરિણામ આવી શકે છે
ગતરોજ કતાર ગામમાં એક ફટાકડા વેચતી લારીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
ફાયરના લાશ્કરોએ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો
સુરત. કતારગામ વિસ્તારમાં ફટકડાની લારીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવી લીધો હતો
સુરત શહેરના કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિર બહાર સોમવારની રાત્રે અચાનક ફટાકડાની લારીમાં ધડાકા સાથે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે એક જાગૃત નાગરિકે ઘટનાની ગંભીરતા માપી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી દેતા ફાયરના જવાનો ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
આગની લપેટમાં આવેલી ફટાકડાની લારી પાછળ એક એપાર્ટમેન્ટને લઈ લોકોમાં ભય નો માહોલ પણ જોવા મળ્યો હતો. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રસ્તાની બાજુ પર લાગી લઇને ફટાકડા વેચવાની છુટના અત્યંગ ગંભીર પરિણામો આવી શકે છે. લારી પર કોઇ પણ પ્રકારની આગથી બચનાવા જરૂરી સંસાધનોનો અભાવ જોવા મળે છે. ઓ લારી પર વેચાતા ફટાકડા બાબતે કોઇ નક્કર નિર્ણય નહિ લેવામાં આવે તો મુશ્કેલી સર્જાઇ શકે છે.