તહેવાર બાદ કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો આવતા જ વહીવહી તંત્ર દોડતું થયું
શહેરમાં કોવિડ ટેસ્ટીંગ ડબલ કરવામાં આવ્યું
મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા શહેરમાં કોરોનાની સ્થિતી અંગે સઘન દેખરેખ
WatchGujarat. સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને તંત્ર એલર્ટ થઇ ગયું છે. મનપા કમિશ્નર દરરોજ અલગ અલગ વિસ્તારની મુલાકાત લઇ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. મંગળવારના રોજ મનપા કમિશનરે રાંદેર ઝોન વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરતમાં મુંબઈની જેમ ટેસ્ટીંગની સંખ્યા વધારવામાં આવી છે. પહેલા 9 હજાર ટેસ્ટીંગ થતા હતા અને હવે તેની સંખ્યા વધારીને 16 હજાર સુધી કરવામાં આવી છે. ઉપરાંત સુરતમાં કોરોના સંક્રમણ વધ્યું હોવાની વાત પણ મનપા કમિશનરે જણાવી હતી.
દિવાળી બાદ સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેને લઈને રાત્રે 9 થી સવારના 6 સુધી કર્ફ્યું લગાવવામાં આવ્યું છે. બીજી તરફ મનપા તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. સુરતમાં મનપા કમિશ્નર ખુદ અલગ અલગ વિસ્તારની મુલાકાત લઇ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ મંગળવારે રાંદેરઝોન વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓની મુલાકાત લીધી હતી. અને કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, દિવાળી બાદ સુરતમાં કોરોના સંક્મ્રણ વધ્યું છે. જેને લઈને તંત્ર ફરી એક વખત એલર્ટ થયું છે. પહેલા સુરતમાં 9 હજાર જેટલા ટેસ્ટીંગ થતા હતા, તે વધારીને હવે 16 હજાર જેટલા કરવામાં આવ્યા છે.
મુંબઈની જેમ સુરતમાં પણ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ડોર ટુ ડોર સર્વેની કામગીરી માટે 2,200 લોકોની ટીમ કામ કરી રહી છે. મ્યુનિસિપલ કમિશ્નરે લોકોને ટેસ્ટીંગ કરાવવા અને કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી.
તહેવાર બાદ કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો આવતા જ વહીવહી તંત્ર દોડતું થયું
શહેરમાં કોવિડ ટેસ્ટીંગ ડબલ કરવામાં આવ્યું
મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા શહેરમાં કોરોનાની સ્થિતી અંગે સઘન દેખરેખ
WatchGujarat. સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને તંત્ર એલર્ટ થઇ ગયું છે. મનપા કમિશ્નર દરરોજ અલગ અલગ વિસ્તારની મુલાકાત લઇ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. મંગળવારના રોજ મનપા કમિશનરે રાંદેર ઝોન વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરતમાં મુંબઈની જેમ ટેસ્ટીંગની સંખ્યા વધારવામાં આવી છે. પહેલા 9 હજાર ટેસ્ટીંગ થતા હતા અને હવે તેની સંખ્યા વધારીને 16 હજાર સુધી કરવામાં આવી છે. ઉપરાંત સુરતમાં કોરોના સંક્રમણ વધ્યું હોવાની વાત પણ મનપા કમિશનરે જણાવી હતી.
દિવાળી બાદ સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેને લઈને રાત્રે 9 થી સવારના 6 સુધી કર્ફ્યું લગાવવામાં આવ્યું છે. બીજી તરફ મનપા તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. સુરતમાં મનપા કમિશ્નર ખુદ અલગ અલગ વિસ્તારની મુલાકાત લઇ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ મંગળવારે રાંદેરઝોન વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓની મુલાકાત લીધી હતી. અને કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, દિવાળી બાદ સુરતમાં કોરોના સંક્મ્રણ વધ્યું છે. જેને લઈને તંત્ર ફરી એક વખત એલર્ટ થયું છે. પહેલા સુરતમાં 9 હજાર જેટલા ટેસ્ટીંગ થતા હતા, તે વધારીને હવે 16 હજાર જેટલા કરવામાં આવ્યા છે.
મુંબઈની જેમ સુરતમાં પણ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ડોર ટુ ડોર સર્વેની કામગીરી માટે 2,200 લોકોની ટીમ કામ કરી રહી છે. મ્યુનિસિપલ કમિશ્નરે લોકોને ટેસ્ટીંગ કરાવવા અને કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી.