રાત્રી કર્ફ્યુના અમલ અંગે સુરત પોલીસ કમિશ્નરની પ્રેસ કોન્ફરન્સ
લોકોની સુગમતા ખાતર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે
આજથી રાજ્યના સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાશે
WatchGujarat. સુરત શહેરમાં રાત્રે 9 વગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફર્યું લગાવવામાં આવ્યો છે. જેના અનુસંધાને સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી. પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, કર્ફ્યુંનો કડક અમલ કરાવવામાં આવશે. કારણ વગર બહાર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત લોકોને પણ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી
દિવાળીના તહેવાર બાદ રાજ્યમાં કોરોના વકર્યો છે. જેને લઈને સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કફર્યુ લગાવવામાં આવ્યો છે. આ કર્ફ્યું સરકારનો નવો આદેશ ન આવે ત્યાં સુધી યથાવત રહેશે. અને આજ રાતથી કફર્યુ લાગુ કરવામાં આવશે. જેના અનુસંધાને સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે પત્રકાર પરિષદ યોજી જાણાવ્યું હતું કે સુરતમાં કફર્યુનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવશે. તેમજ વગર કારણે કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત કર્ફ્યુ દરમિયાન આવશ્યક સેવા ચાલુ રહેશે.
પોલીસ કમિશ્નરે ઉમેર્યું હતું કે, હાલમાં લગ્નસારાની સીઝન ચાલુ છે. જેને લઈને લોકો રાત્રે 9 થી 6 દરમિયાન લગ્નનું આયોજન ન કરે. તેમજ જેમ બને તેમ ઓછા માણસો બોલાવે જે સૌના હિતમાં છે. અને કફર્યુ દરમ્યાન આવશ્કય સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.
રાત્રી કર્ફ્યુના અમલ અંગે સુરત પોલીસ કમિશ્નરની પ્રેસ કોન્ફરન્સ
લોકોની સુગમતા ખાતર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે
આજથી રાજ્યના સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાશે
WatchGujarat. સુરત શહેરમાં રાત્રે 9 વગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફર્યું લગાવવામાં આવ્યો છે. જેના અનુસંધાને સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી. પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, કર્ફ્યુંનો કડક અમલ કરાવવામાં આવશે. કારણ વગર બહાર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત લોકોને પણ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી
દિવાળીના તહેવાર બાદ રાજ્યમાં કોરોના વકર્યો છે. જેને લઈને સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કફર્યુ લગાવવામાં આવ્યો છે. આ કર્ફ્યું સરકારનો નવો આદેશ ન આવે ત્યાં સુધી યથાવત રહેશે. અને આજ રાતથી કફર્યુ લાગુ કરવામાં આવશે. જેના અનુસંધાને સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે પત્રકાર પરિષદ યોજી જાણાવ્યું હતું કે સુરતમાં કફર્યુનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવશે. તેમજ વગર કારણે કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત કર્ફ્યુ દરમિયાન આવશ્યક સેવા ચાલુ રહેશે.
પોલીસ કમિશ્નરે ઉમેર્યું હતું કે, હાલમાં લગ્નસારાની સીઝન ચાલુ છે. જેને લઈને લોકો રાત્રે 9 થી 6 દરમિયાન લગ્નનું આયોજન ન કરે. તેમજ જેમ બને તેમ ઓછા માણસો બોલાવે જે સૌના હિતમાં છે. અને કફર્યુ દરમ્યાન આવશ્કય સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.