મજબૂત ઈરાદા અને નવી સિવિલના ડોકટરોની યોગ્ય સારવાર થકી 39 દિવસ બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા
સિવિલના ડોકટરોએ મને મૃત્યુના મુખમાંથી ઉગાર્યો છે - પ્રવિણભાઈ શેટા
સુરતઃ નવી સિવિલમાં સતત 6 દિવસ વેન્ટિલેટર અને 20 દિવસ ઓક્સિજન પર રહ્યાં બાદ સુરતના 50 વર્ષીય પ્રવિણભાઈ શેટા કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યાં છે. પ્રવિણભાઈ ઘરે સુખરૂપ પરત ફરતાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. પ્રવિણભાઈના મજબૂત ઈરાદા અને નવી સિવિલના ડોકટરોની યોગ્ય સારવાર થકી 39 દિવસ બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.
પ્રવિણભાઈ શેટા સુરતના ડભોલી વિસ્તારમાં દેવપૂજા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તા.23મી જૂલાઈના રોજ તાવ, શરદી અને ઉધરસ સાથે શારીરિક નબળાઈ જેવા લક્ષણો જણાતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તંદુરસ્તીમાં કોઈ સુધારો ન થતાં 24મી જૂલાઈના રોજ નવી સિવિલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા.
પ્રવિણભાઈ શેટા જણાવે છે કે, સિવિલના ડોક્ટર્સની સારવારથી 6 દિવસ વેન્ટિલેટર પર રહી સ્વાસ્થ્યમાં સુધારો જણાયો હતો. ત્યારબાદ 20 દિવસ ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો. ફરજ પરના ડોક્ટરો સહિત નર્સિંગ સ્ટાફની સારવાર કારણે ધીરે ધીરે તબિયતમાં સુધારો આવ્યો હતો. ડોકટરોની નિયમિત વિઝિટ અને સતત મોનિટરીંગ થતું હતું. તા.31 ઓગસ્ટના રોજ કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા સિવિલમાંથી રજા આપવામાં આવી હતી.
આરોગ્ય તંત્ર દ્વારા કોરોના દર્દીઓની સારવાર સંતોષ વ્યકત કરતાં પ્રવીણભાઇ કહે છે કે, સિવિલના તબીબી સ્ટાફ તરફથી લેવાયેલી પુરતી કાળજી અને આત્મીયભાવથી કરવામાં આવેલી સમયસરની સારવાર થકી કોરોના સામે વિજયી બન્યો તેનો સંપૂર્ણ શ્રેય નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફને જાય છે. સિવિલના ડોકટરોએ મને મૃત્યુના મુખમાંથી ઉગાર્યો છે. સિવિલ હોસ્પિટલના તબીબોના કારણે નવજીવન મળ્યું છે.
નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 દર્દીઓની સારવારમાં કોઇ મુશ્કેલી ન પડે અને પ્રત્યેક દર્દી સ્વસ્થ થઈને ઘરે પરત જાય તે માટે આરોગ્યલક્ષી તમામ સાધન-સામગ્રી સહિત માળખાકીય સવલતો ઊભી કરવામાં આવી છે.
મજબૂત ઈરાદા અને નવી સિવિલના ડોકટરોની યોગ્ય સારવાર થકી 39 દિવસ બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા
સિવિલના ડોકટરોએ મને મૃત્યુના મુખમાંથી ઉગાર્યો છે - પ્રવિણભાઈ શેટા
સુરતઃ નવી સિવિલમાં સતત 6 દિવસ વેન્ટિલેટર અને 20 દિવસ ઓક્સિજન પર રહ્યાં બાદ સુરતના 50 વર્ષીય પ્રવિણભાઈ શેટા કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યાં છે. પ્રવિણભાઈ ઘરે સુખરૂપ પરત ફરતાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. પ્રવિણભાઈના મજબૂત ઈરાદા અને નવી સિવિલના ડોકટરોની યોગ્ય સારવાર થકી 39 દિવસ બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.
પ્રવિણભાઈ શેટા સુરતના ડભોલી વિસ્તારમાં દેવપૂજા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તા.23મી જૂલાઈના રોજ તાવ, શરદી અને ઉધરસ સાથે શારીરિક નબળાઈ જેવા લક્ષણો જણાતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તંદુરસ્તીમાં કોઈ સુધારો ન થતાં 24મી જૂલાઈના રોજ નવી સિવિલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા.
પ્રવિણભાઈ શેટા જણાવે છે કે, સિવિલના ડોક્ટર્સની સારવારથી 6 દિવસ વેન્ટિલેટર પર રહી સ્વાસ્થ્યમાં સુધારો જણાયો હતો. ત્યારબાદ 20 દિવસ ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો. ફરજ પરના ડોક્ટરો સહિત નર્સિંગ સ્ટાફની સારવાર કારણે ધીરે ધીરે તબિયતમાં સુધારો આવ્યો હતો. ડોકટરોની નિયમિત વિઝિટ અને સતત મોનિટરીંગ થતું હતું. તા.31 ઓગસ્ટના રોજ કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા સિવિલમાંથી રજા આપવામાં આવી હતી.
આરોગ્ય તંત્ર દ્વારા કોરોના દર્દીઓની સારવાર સંતોષ વ્યકત કરતાં પ્રવીણભાઇ કહે છે કે, સિવિલના તબીબી સ્ટાફ તરફથી લેવાયેલી પુરતી કાળજી અને આત્મીયભાવથી કરવામાં આવેલી સમયસરની સારવાર થકી કોરોના સામે વિજયી બન્યો તેનો સંપૂર્ણ શ્રેય નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફને જાય છે. સિવિલના ડોકટરોએ મને મૃત્યુના મુખમાંથી ઉગાર્યો છે. સિવિલ હોસ્પિટલના તબીબોના કારણે નવજીવન મળ્યું છે.
નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 દર્દીઓની સારવારમાં કોઇ મુશ્કેલી ન પડે અને પ્રત્યેક દર્દી સ્વસ્થ થઈને ઘરે પરત જાય તે માટે આરોગ્યલક્ષી તમામ સાધન-સામગ્રી સહિત માળખાકીય સવલતો ઊભી કરવામાં આવી છે.