હૈદરાબાદના નહેરૂ ઝૂલોજિક્લ પાર્કમાં 8 જેટલા સિહ કોરોના સંક્મિત થયા
ઘટના બાદ ગુજરાતમાં પણ તકેદારીઓ વધારી દેવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા એલર્ટ કરાયા બાદ દર સાત દિવસે ડિસઇન્ફેક્શનનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે
WatchGujarat. હૈદરાબાદ ખાતે આવેલા ઝૂમાં 8 જેટલા સિંહ કોરોના પોઝીટીવ થયા છે. જેને લઈને ગુજરાતમાં પણ ખાસ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. સુરતના સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમજ પ્રાણીઓ પાસે બિન જરૂરી અવર જવર પણ બંધ કરી દેવામાં આવી છે.
https://youtu.be/J942Il8msJw
મીડિયા રીપોર્ટના પ્રમાણે હૈદરાબાદના નહેરૂ ઝૂઓલોજિક્લ પાર્કમાં 8 જેટલા સિહ કોરોના સંક્મિત થયા છે. ઝૂમાં કામ કરતા કર્મચારીઓએ 24 એપ્રિલે સિંહમાં કોરોનાના લક્ષણ નોટિસ કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ સિંહની ભૂખ ઘટી ગઈ હતી. તેમના નાકમાંથી પાણી આવતું હતું અને તેમનામાં શરદી-ઉધરસ જેવાં લક્ષણો પણ હતા. લક્ષણ દેખાયા બાદ કર્મચારીઓએ આ વાતની જાણકારી ઝૂ મેનેજમેન્ટને કરી હતી. મેનેજમેન્ટે તમામના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો હતો. જો કે આ ઘટના બાદ ગુજરાતમાં પણ તકેદારીઓ વધારી દેવામાં આવી છે. સુરત ખાતે આવેલા સરથાણા ઝૂમાં પણ ખાસ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.
સુરતના ઝૂમાં તકેદારી વધારવામાં આવી
સરથાણા ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં અધિકારીઓ દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. સિંહ, વાઘ, શિયાળ, વાંદરા જેવા વન્ય પ્રાણીઓમાં કોરોના સંક્રમણ થવાની વધુ શક્યતા જોવા મળી છે. અધિકારીઓ દ્વારા પ્રાણીઓ અને આપવામાં આવતા ખોરાકને જંતુ મુક્ત કરવા માટેની વિશેષ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જે પાંજરામાં તેમને રાખવામાં આવે છે તેને પહેલા દર પંદર દિવસે ડિસઇન્ફેકશન કરવામાં આવતા હતાં. હવે રાજ્ય સરકાર દ્વારા એલર્ટ કરાયા બાદ દર સાત દિવસે ડિસઇન્ફેક્શન કરવામાં આવી રહ્યા છે.
સ્ટાફને રસીના બંને ડોઝ અપાયા
સરથાણા ઝૂના ઇન્ચાર્જ સુપ્રીડેન્ટ ડો. રાજેશ પટેલે જણાવ્યું હતું કે હૈદરાબાદ ઝૂમાં 8 સિંહ કોરોના પોઝીટીવ આવ્યા હતા. જેને લઈને ગુજરાતમાં પણ તકેદારીના પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે સુરતના પ્રાણી સંગ્રહાલયમાં સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલય હાલમાં મુલાકાતીઓ માટે બંધ છે. તેમજ બિનજરૂરી અવર જવર પણ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પ્રાણી સંગ્રહાલયને સેનેટાઈઝ અને દવાનો છંટકવ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહી અહી કામગીરી કરતા સ્ટાફને કોરોનાની રસીના બંને ડોઝ પણ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈ સ્ટાફના ઘરે પણ કોઈ લક્ષણ દેખાય તો નોકરી પર ન આવવા સુચના આપવામાં આવી છે.
હૈદરાબાદના નહેરૂ ઝૂલોજિક્લ પાર્કમાં 8 જેટલા સિહ કોરોના સંક્મિત થયા
ઘટના બાદ ગુજરાતમાં પણ તકેદારીઓ વધારી દેવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા એલર્ટ કરાયા બાદ દર સાત દિવસે ડિસઇન્ફેક્શનનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે
WatchGujarat. હૈદરાબાદ ખાતે આવેલા ઝૂમાં 8 જેટલા સિંહ કોરોના પોઝીટીવ થયા છે. જેને લઈને ગુજરાતમાં પણ ખાસ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. સુરતના સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમજ પ્રાણીઓ પાસે બિન જરૂરી અવર જવર પણ બંધ કરી દેવામાં આવી છે.
મીડિયા રીપોર્ટના પ્રમાણે હૈદરાબાદના નહેરૂ ઝૂઓલોજિક્લ પાર્કમાં 8 જેટલા સિહ કોરોના સંક્મિત થયા છે. ઝૂમાં કામ કરતા કર્મચારીઓએ 24 એપ્રિલે સિંહમાં કોરોનાના લક્ષણ નોટિસ કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ સિંહની ભૂખ ઘટી ગઈ હતી. તેમના નાકમાંથી પાણી આવતું હતું અને તેમનામાં શરદી-ઉધરસ જેવાં લક્ષણો પણ હતા. લક્ષણ દેખાયા બાદ કર્મચારીઓએ આ વાતની જાણકારી ઝૂ મેનેજમેન્ટને કરી હતી. મેનેજમેન્ટે તમામના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો હતો. જો કે આ ઘટના બાદ ગુજરાતમાં પણ તકેદારીઓ વધારી દેવામાં આવી છે. સુરત ખાતે આવેલા સરથાણા ઝૂમાં પણ ખાસ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.
સુરતના ઝૂમાં તકેદારી વધારવામાં આવી
સરથાણા ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં અધિકારીઓ દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. સિંહ, વાઘ, શિયાળ, વાંદરા જેવા વન્ય પ્રાણીઓમાં કોરોના સંક્રમણ થવાની વધુ શક્યતા જોવા મળી છે. અધિકારીઓ દ્વારા પ્રાણીઓ અને આપવામાં આવતા ખોરાકને જંતુ મુક્ત કરવા માટેની વિશેષ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જે પાંજરામાં તેમને રાખવામાં આવે છે તેને પહેલા દર પંદર દિવસે ડિસઇન્ફેકશન કરવામાં આવતા હતાં. હવે રાજ્ય સરકાર દ્વારા એલર્ટ કરાયા બાદ દર સાત દિવસે ડિસઇન્ફેક્શન કરવામાં આવી રહ્યા છે.
સ્ટાફને રસીના બંને ડોઝ અપાયા
સરથાણા ઝૂના ઇન્ચાર્જ સુપ્રીડેન્ટ ડો. રાજેશ પટેલે જણાવ્યું હતું કે હૈદરાબાદ ઝૂમાં 8 સિંહ કોરોના પોઝીટીવ આવ્યા હતા. જેને લઈને ગુજરાતમાં પણ તકેદારીના પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે સુરતના પ્રાણી સંગ્રહાલયમાં સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલય હાલમાં મુલાકાતીઓ માટે બંધ છે. તેમજ બિનજરૂરી અવર જવર પણ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પ્રાણી સંગ્રહાલયને સેનેટાઈઝ અને દવાનો છંટકવ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહી અહી કામગીરી કરતા સ્ટાફને કોરોનાની રસીના બંને ડોઝ પણ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈ સ્ટાફના ઘરે પણ કોઈ લક્ષણ દેખાય તો નોકરી પર ન આવવા સુચના આપવામાં આવી છે.