આઇશાના આપઘાતની ઘટના હજુ લોકો ભૂલ્યા પણ નથી કે સુરતમાં પણ આઇશાના આપઘાત જેમ જ એક ઘટના બનતા રહી ગઈ
પતિના ત્રાસથી કંટાળેલી પરિણીતા સુરતના હોપ વે બ્રિજથી કુદવા જઈ રહી હતી
WatchGujarat અમદાવાદની આઇશાના આપઘાતની ઘટના હજુ લોકો ભૂલ્યા પણ નથી કે સુરતમાં પણ આઇશાના આઘાત જેવી એક ઘટના બનતા રહી ગઈ છે. સુરતના હોપ વે બ્રિજથી એક પરણિત મહિલા કુદવા જઈ રહી હતી. ત્યારે રિક્ષા ચાલકે તેમને ખેંચી તેનો જીવ બચાવ્યો હતો. પતિના મેણા ટોણાથી કંટાળેલી પરિણીતાએ અમદાવાદની આઇશાની જેમ જ આપઘાત નો રસ્તો અપનાવ્યો હતો. દરમિયાન સમયસર રિક્ષાચાલક ત્યાં પહોંચ્યો ન હોત તો વધુ એક પરિણીતા અમદાવાદની આઇશાની જેમ જીવનનો અંત લાવી દીધો હોત.
ભારતમાં માત્ર આઇશા જ નહીં આઇશાની જેમ અનેક યુવતીઓ પારિવારિક અત્યાચારનો શિકાર બનતી હોય છે. એવી જ એક મનીષા નામની પરિણીતા પતિના ત્રાસથી કંટાળી શહેરના ચોક વિસ્તાર ખાતે આવેલા હોપ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદકો મારવા પહોંચી હતી. રડતા રડતા રસ્તા પરથી પસાર થઇ રહેલી મનીષા પર રિક્ષાચાલક તોસીફ શેખની નજર પડી હતી. મનીષાને જોતા જ રિક્ષાચાલક તોસીફના મનમાં વિચાર્ય આવ્યો કે આ મહિલા શા માટે રડતા રડતા બ્રિજ તરફ જઈ રહી છે.
દરમિયાન તેના ધ્યાનમાં આઇશાની ઘટના સામે આવી ગઈ. જેથી તે મહિલાનો પીછો કરતા હોપ બ્રિજ સુધી પહોંચ્યો હતો. ત્યારે મહિલા બ્રિજની વચ્ચેથી તાપી નદીમાં કુદવા જઈ રહી હતી. તે જ સમયે તોસિફે મનીષાનો હાથ ખેંચીને તેનો જીવ બચાવી લીધો હતો.
પતિના ત્રાસથી મહિલા આત્મહત્યા કરવા જઈ રહી હતી
તોસીફે જણાવ્યું હતું કે, આઇશા આપઘાતની ઘટના તેને જોઈ હતી એજ કારણ છે કે તેને લાગ્યું કે, મનીષા પણ આપઘાત કરવા જઈ રહી છે. મનીષાને તેને સમજાવી હતી અને સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી. જેથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તોસીફએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલા બે પુત્રીની માતા છે. અને તેનો પતિ મેણાં ટોણા મારી ત્રાસ આપી રહ્યો હતો અને તારે જે પણ કરવું હોય તે કરી લેજે તે જણાવ્યું હતું. જેથી મહિલા આ પગલું ભરવા જઇ રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આઇશાને પણ જો કોઈ તોસિફ જેવો ઈશ્વરનો દૂત મળી ગયો હોત તો કદાચ આયશાનો પણ જીવ બચી ગયો હોત. આજે એક રિક્ષા ચાલકની સૂઝબૂઝના કારણે અમદાવાદમાં આઈશાની સાથે જે ઘટના બની તે ઘટના ફરી થતા રહી ગઈ છે.
આઇશાના આપઘાતની ઘટના હજુ લોકો ભૂલ્યા પણ નથી કે સુરતમાં પણ આઇશાના આપઘાત જેમ જ એક ઘટના બનતા રહી ગઈ
પતિના ત્રાસથી કંટાળેલી પરિણીતા સુરતના હોપ વે બ્રિજથી કુદવા જઈ રહી હતી
WatchGujarat અમદાવાદની આઇશાના આપઘાતની ઘટના હજુ લોકો ભૂલ્યા પણ નથી કે સુરતમાં પણ આઇશાના આઘાત જેવી એક ઘટના બનતા રહી ગઈ છે. સુરતના હોપ વે બ્રિજથી એક પરણિત મહિલા કુદવા જઈ રહી હતી. ત્યારે રિક્ષા ચાલકે તેમને ખેંચી તેનો જીવ બચાવ્યો હતો. પતિના મેણા ટોણાથી કંટાળેલી પરિણીતાએ અમદાવાદની આઇશાની જેમ જ આપઘાત નો રસ્તો અપનાવ્યો હતો. દરમિયાન સમયસર રિક્ષાચાલક ત્યાં પહોંચ્યો ન હોત તો વધુ એક પરિણીતા અમદાવાદની આઇશાની જેમ જીવનનો અંત લાવી દીધો હોત.
ભારતમાં માત્ર આઇશા જ નહીં આઇશાની જેમ અનેક યુવતીઓ પારિવારિક અત્યાચારનો શિકાર બનતી હોય છે. એવી જ એક મનીષા નામની પરિણીતા પતિના ત્રાસથી કંટાળી શહેરના ચોક વિસ્તાર ખાતે આવેલા હોપ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદકો મારવા પહોંચી હતી. રડતા રડતા રસ્તા પરથી પસાર થઇ રહેલી મનીષા પર રિક્ષાચાલક તોસીફ શેખની નજર પડી હતી. મનીષાને જોતા જ રિક્ષાચાલક તોસીફના મનમાં વિચાર્ય આવ્યો કે આ મહિલા શા માટે રડતા રડતા બ્રિજ તરફ જઈ રહી છે.
દરમિયાન તેના ધ્યાનમાં આઇશાની ઘટના સામે આવી ગઈ. જેથી તે મહિલાનો પીછો કરતા હોપ બ્રિજ સુધી પહોંચ્યો હતો. ત્યારે મહિલા બ્રિજની વચ્ચેથી તાપી નદીમાં કુદવા જઈ રહી હતી. તે જ સમયે તોસિફે મનીષાનો હાથ ખેંચીને તેનો જીવ બચાવી લીધો હતો.
પતિના ત્રાસથી મહિલા આત્મહત્યા કરવા જઈ રહી હતી
તોસીફે જણાવ્યું હતું કે, આઇશા આપઘાતની ઘટના તેને જોઈ હતી એજ કારણ છે કે તેને લાગ્યું કે, મનીષા પણ આપઘાત કરવા જઈ રહી છે. મનીષાને તેને સમજાવી હતી અને સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી. જેથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તોસીફએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલા બે પુત્રીની માતા છે. અને તેનો પતિ મેણાં ટોણા મારી ત્રાસ આપી રહ્યો હતો અને તારે જે પણ કરવું હોય તે કરી લેજે તે જણાવ્યું હતું. જેથી મહિલા આ પગલું ભરવા જઇ રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આઇશાને પણ જો કોઈ તોસિફ જેવો ઈશ્વરનો દૂત મળી ગયો હોત તો કદાચ આયશાનો પણ જીવ બચી ગયો હોત. આજે એક રિક્ષા ચાલકની સૂઝબૂઝના કારણે અમદાવાદમાં આઈશાની સાથે જે ઘટના બની તે ઘટના ફરી થતા રહી ગઈ છે.