મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ નર્મદા ઉદગમથી પહેલીવાર ભરૂચમાં સાગર સંગમ સ્થળના દર્શને
GNFC ના હેલિપેડ પર પત્ની સાથે ઝાડેશ્વર સ્વામી નારાયણ મંદિરની મુલાકાત લીધી, અભિષેક પૂજન
નર્મદા પાર્ક ખાતે સજોડે પાઠ શાળાના ભૂદેવો દ્વારા નર્મદા મૈયાની શાસ્ત્રોક્ત પૂજન-અર્ચન કરાવાયું
ગુરુવારે અરબી સમુદ્રને નર્મદા નદી મળે છે તે સાગર સંગમ સ્થળની GMB રો-રો જેટી એ પૂજાવિધિ કરશે, ભરૂચ મનન આશ્રમની મુલાકાત લેશે
WatchGujarat. નર્મદા મૈયાની જન્મજયંતી મધ્યપ્રદેશ તેના ઉદગમ રાજ્યમાં ધામધૂમથી કરાઈ છે. MP ના 18 વર્ષ થી CM શિવરાજસિંહ ચૌહાણ આ નર્મદા જયંતિ એ જ ભરૂચ આવવા ઇચ્છતા હતા. જોકે મધ્યપ્રદેશમાં મોટા પાયે કાર્યક્રમ હોય તે આવી શક્યા ન હતા.
વિશ્વમાં એક માત્ર નર્મદા નદીની જ પરિક્રમા થતી હોય ત્યારે MP ના BJP CM એ હજી સુધી ભરૂચમાં નર્મદા નદી જ્યાં અરબી સમુદ્રમાં ભળી જાય છે તે નર્મદા સાગર સંગમ સ્થળ જોયું ન હોય, બુધવારે સાંજે ભરૂચ હેલિકોપટર માં દોડી આવ્યા હતા. GNFC હેલિપેડ પર જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયા, પોલીસ વડા SP રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા BJP પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભરૂચની મુલાકાતે પધાર્યા છે. MP CM એ ભરૂચના નર્મદા પાર્ક ખાતે “ મા નર્મદા મૈયાનું ” પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે જણાવ્યું હતું કે, આજે જીવનનો સૌભાગ્ય દિવસ છે કે, નર્મદા મૈયા જ્યાં સમુદ્રને મળે છે તે સ્થળના દર્શન અને આરતીનો લ્હાવો મળ્યો છે.
ચૌહાણે નિલકંઠેશ્વર મંદિરની મુલાકાત લઈ ભક્તિભાવપૂર્વક દર્શન કરી સૌના કલ્યાણની કામના કરી હતી. આ વેળાએ તેઓની સાથે તેમના ધર્મપત્નિ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જીએનએફસી હેલીપેડ , ભરૂચના નર્મદાપાર્ક અને નિલકંઠેશ્વર મંદિરના આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે જિલ્લા કલેક્ટર , જિલ્લા પોલીસ વડા, વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, અન્ય પદાધિકારીઓ જોડાયા હતા. રાત્રી રોકાણ GNFC ખાતે કર્યા બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગુરૂવારે સવારે GMB રો - રો ફેરી જેટી ખાતે નર્મદા સંગમ દર્શન - પૂજનવિધિમાં ભાગ લેવા રવાના થયા હતા, ત્યારબાદ બપોરે ભરૂચના મનન આશ્રમની મુલાકાત લેશે. જે બાદ આઝાદી ક અમૃત મહોત્સવ INDIA@75 અને દાંડી યાત્રાના 91 વર્ષ નિમિતે આયોજિત દાંડી યાત્રામાં તેઓ જોડાનાર છે.
MP મુખ્યમંત્રી શિવરાજ સિંહે ભરૂચ નર્મદા નદી સાગર સંગમ સ્થળે કોવિડ19 સમાપ્ત હોવા સહિતના કર્યા સંકલ્પ
ભરૂચમાં નર્મદા નદી જ્યાં અરબી સમુદ્ર ને મળે છે તે રેવા સમુદ્ર સંગમ સ્થાને નર્મદા મૈયાની આરતી અને પૂજા કરી મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહે વિવિધ સંકલ્પો કરી નર્મદા મૈયાના આશીર્વાદ લીધા હતા.
આજે જીવનનો ભાગ્યશાળી દિવસ છે. નર્મદા મૈયાને સંગમ પર જોયા જ્યાં તે ખંભાતના અખાતમાં સમુદ્રને મળે છે. અમરકંટકથી નીકળતી નર્મદા મૈયા મધ્યપ્રદેશ અને ગુજરાતની જીવનરેખા છે. આ નદી સાક્ષાત આપણા માટે માઁ નર્મદા છે, જે આપણને પાણી, ખેતરોમાં પાક અને વીજળી આપે છે.
માતા રેવાના કાંઠે, એક નહીં અનેક ઋષી-સંતોએ તપસ્યા કરીને માનવતાને નવું માર્ગદર્શન આપ્યું છે.
આજે હું રેવા મૈયાના પવિત્ર સંગમ પર આવીને ધન્યતા અનુભવુ છું.
મા નર્મદાને પ્રાર્થના છે કે, હે માતા, સુખ, સમૃદ્ધિ, રિદ્ધિ-સિદ્ધિ દરેકના જીવનમાં આવે. એક સમૃદ્ધ અને વિકસિત મધ્યપ્રદેશનું નિર્માણ થવું જોઈએ, આત્મનિર્ભર ભારતનું નિર્માણ થવું જોઈએ. COVID 19 મહામારી સમાપ્ત થાય, અહીંથી નદીઓનું સંરક્ષણ અને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ પણ મજબુત થયો છે. નર્મદા માતા આ તમામ સંકલ્પો પૂરા કરવા આશીર્વાદ આપે અને અમે તે પરિપૂર્ણ કરી શકીએ, મૈયાના ચરણોમાં પ્રાર્થના છે તેમ કહી તેઓએ હર હર નર્મદે નો જયઘોષ અંતમાં કર્યો હતો.
GNFC ના હેલિપેડ પર પત્ની સાથે ઝાડેશ્વર સ્વામી નારાયણ મંદિરની મુલાકાત લીધી, અભિષેક પૂજન
નર્મદા પાર્ક ખાતે સજોડે પાઠ શાળાના ભૂદેવો દ્વારા નર્મદા મૈયાની શાસ્ત્રોક્ત પૂજન-અર્ચન કરાવાયું
ગુરુવારે અરબી સમુદ્રને નર્મદા નદી મળે છે તે સાગર સંગમ સ્થળની GMB રો-રો જેટી એ પૂજાવિધિ કરશે, ભરૂચ મનન આશ્રમની મુલાકાત લેશે
WatchGujarat. નર્મદા મૈયાની જન્મજયંતી મધ્યપ્રદેશ તેના ઉદગમ રાજ્યમાં ધામધૂમથી કરાઈ છે. MP ના 18 વર્ષ થી CM શિવરાજસિંહ ચૌહાણ આ નર્મદા જયંતિ એ જ ભરૂચ આવવા ઇચ્છતા હતા. જોકે મધ્યપ્રદેશમાં મોટા પાયે કાર્યક્રમ હોય તે આવી શક્યા ન હતા.
વિશ્વમાં એક માત્ર નર્મદા નદીની જ પરિક્રમા થતી હોય ત્યારે MP ના BJP CM એ હજી સુધી ભરૂચમાં નર્મદા નદી જ્યાં અરબી સમુદ્રમાં ભળી જાય છે તે નર્મદા સાગર સંગમ સ્થળ જોયું ન હોય, બુધવારે સાંજે ભરૂચ હેલિકોપટર માં દોડી આવ્યા હતા. GNFC હેલિપેડ પર જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયા, પોલીસ વડા SP રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા BJP પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભરૂચની મુલાકાતે પધાર્યા છે. MP CM એ ભરૂચના નર્મદા પાર્ક ખાતે “ મા નર્મદા મૈયાનું ” પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે જણાવ્યું હતું કે, આજે જીવનનો સૌભાગ્ય દિવસ છે કે, નર્મદા મૈયા જ્યાં સમુદ્રને મળે છે તે સ્થળના દર્શન અને આરતીનો લ્હાવો મળ્યો છે.
ચૌહાણે નિલકંઠેશ્વર મંદિરની મુલાકાત લઈ ભક્તિભાવપૂર્વક દર્શન કરી સૌના કલ્યાણની કામના કરી હતી. આ વેળાએ તેઓની સાથે તેમના ધર્મપત્નિ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જીએનએફસી હેલીપેડ , ભરૂચના નર્મદાપાર્ક અને નિલકંઠેશ્વર મંદિરના આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે જિલ્લા કલેક્ટર , જિલ્લા પોલીસ વડા, વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, અન્ય પદાધિકારીઓ જોડાયા હતા. રાત્રી રોકાણ GNFC ખાતે કર્યા બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગુરૂવારે સવારે GMB રો - રો ફેરી જેટી ખાતે નર્મદા સંગમ દર્શન - પૂજનવિધિમાં ભાગ લેવા રવાના થયા હતા, ત્યારબાદ બપોરે ભરૂચના મનન આશ્રમની મુલાકાત લેશે. જે બાદ આઝાદી ક અમૃત મહોત્સવ INDIA@75 અને દાંડી યાત્રાના 91 વર્ષ નિમિતે આયોજિત દાંડી યાત્રામાં તેઓ જોડાનાર છે.
MP મુખ્યમંત્રી શિવરાજ સિંહે ભરૂચ નર્મદા નદી સાગર સંગમ સ્થળે કોવિડ19 સમાપ્ત હોવા સહિતના કર્યા સંકલ્પ
ભરૂચમાં નર્મદા નદી જ્યાં અરબી સમુદ્ર ને મળે છે તે રેવા સમુદ્ર સંગમ સ્થાને નર્મદા મૈયાની આરતી અને પૂજા કરી મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહે વિવિધ સંકલ્પો કરી નર્મદા મૈયાના આશીર્વાદ લીધા હતા.
આજે જીવનનો ભાગ્યશાળી દિવસ છે. નર્મદા મૈયાને સંગમ પર જોયા જ્યાં તે ખંભાતના અખાતમાં સમુદ્રને મળે છે. અમરકંટકથી નીકળતી નર્મદા મૈયા મધ્યપ્રદેશ અને ગુજરાતની જીવનરેખા છે. આ નદી સાક્ષાત આપણા માટે માઁ નર્મદા છે, જે આપણને પાણી, ખેતરોમાં પાક અને વીજળી આપે છે.
માતા રેવાના કાંઠે, એક નહીં અનેક ઋષી-સંતોએ તપસ્યા કરીને માનવતાને નવું માર્ગદર્શન આપ્યું છે.
મા નર્મદાને પ્રાર્થના છે કે, હે માતા, સુખ, સમૃદ્ધિ, રિદ્ધિ-સિદ્ધિ દરેકના જીવનમાં આવે. એક સમૃદ્ધ અને વિકસિત મધ્યપ્રદેશનું નિર્માણ થવું જોઈએ, આત્મનિર્ભર ભારતનું નિર્માણ થવું જોઈએ. COVID 19 મહામારી સમાપ્ત થાય, અહીંથી નદીઓનું સંરક્ષણ અને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ પણ મજબુત થયો છે. નર્મદા માતા આ તમામ સંકલ્પો પૂરા કરવા આશીર્વાદ આપે અને અમે તે પરિપૂર્ણ કરી શકીએ, મૈયાના ચરણોમાં પ્રાર્થના છે તેમ કહી તેઓએ હર હર નર્મદે નો જયઘોષ અંતમાં કર્યો હતો.