WatchGujarat. પાવીજેતપુરના વનકુટીર પાસેની રંગલી ચોકડી તરફથી આવતી કારના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે ગાડી હંકારી ત્રણ બાઈક તેમજ પાવીજેતપુરના પીએસઆઇની કાર તથા એક ઇકો ગાડીને અડફેટે લીધી હતી. સળંગ વાહનો અથડાવવાને કારણે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. તો અન્ય 2 લોકોને વધુ સારવાર માટે રીફર કરી દેવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ કરાલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પોતાના સ્ટાફ સાથે વનકુટીરથી કરાલી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. તે સમયે હરખપુર નજીક સામેથી એક કારે રોડ ઉપર પુરપાટ ઝડપે આવતી હતી. દરમિયાન પોલીસની ગાડીના સાઈડ ગ્લાસને અડફેટે લઇ તોડ્યો હતો. પોલીસની કારના ચાલકે પોતાની ગાડીને રોડની નીચે ઉતારી દીધી હતી. જાણ થતા પાવીજેતપુરના પીએસઆઇ વન કુટીર ખાતે તાત્કાલિક પોતાના સ્ટાફ સાથે પહોંચી ગયા હતા.
આ અંગે વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે, બેકાબુ બની ચાલતી કારનો કરાલીના પીએસઆઈ.એ પોતાના સ્ટાફ સાથે પીછો કર્યો હતો. જેથી કાર ચાલક ગભરાઈ ગયો હતો. અને તેણે વન કુટીર ઉપરના મોલ પાસે એક બાઇક ચાલકને તેની ગાડી અડફેટે લીઘા હતા. ત્યારબાદ આગળ અન્ય બે બાઇક ચાલકોને પણ અથાડી દીધી હતી. બેકાબુનો કહેર આટલેથી અટક્યો નહોતો, આગળ જઇ વન કુટીર ઉપર ઉભેલા પાવીજેતપુરના પીએસઆઇની કારને પણ ભયંકર રીતે અથાડી ચાલકે નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર ઘટનામાં બે બાઇક ચાલકોને સામાન્ય ઇજા પહોંચી હતી. જેથી તેઓ સ્થળ છોડીને જતા રહ્યા હતા. જ્યારે કારે અડફેટે લેતા વેચાતભાઇ ઊંધિયાભાઈ રાઠવાનું ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. તથા રાકેશભાઈને અને હિતેશભાઈ લાલુભાઈ તડવીને ગંભીર ઇજાઓ થતાં આગળ રીફર કરવામાં આવ્યા હતા.
WatchGujarat. પાવીજેતપુરના વનકુટીર પાસેની રંગલી ચોકડી તરફથી આવતી કારના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે ગાડી હંકારી ત્રણ બાઈક તેમજ પાવીજેતપુરના પીએસઆઇની કાર તથા એક ઇકો ગાડીને અડફેટે લીધી હતી. સળંગ વાહનો અથડાવવાને કારણે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. તો અન્ય 2 લોકોને વધુ સારવાર માટે રીફર કરી દેવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ કરાલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પોતાના સ્ટાફ સાથે વનકુટીરથી કરાલી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. તે સમયે હરખપુર નજીક સામેથી એક કારે રોડ ઉપર પુરપાટ ઝડપે આવતી હતી. દરમિયાન પોલીસની ગાડીના સાઈડ ગ્લાસને અડફેટે લઇ તોડ્યો હતો. પોલીસની કારના ચાલકે પોતાની ગાડીને રોડની નીચે ઉતારી દીધી હતી. જાણ થતા પાવીજેતપુરના પીએસઆઇ વન કુટીર ખાતે તાત્કાલિક પોતાના સ્ટાફ સાથે પહોંચી ગયા હતા.
આ અંગે વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે, બેકાબુ બની ચાલતી કારનો કરાલીના પીએસઆઈ.એ પોતાના સ્ટાફ સાથે પીછો કર્યો હતો. જેથી કાર ચાલક ગભરાઈ ગયો હતો. અને તેણે વન કુટીર ઉપરના મોલ પાસે એક બાઇક ચાલકને તેની ગાડી અડફેટે લીઘા હતા. ત્યારબાદ આગળ અન્ય બે બાઇક ચાલકોને પણ અથાડી દીધી હતી. બેકાબુનો કહેર આટલેથી અટક્યો નહોતો, આગળ જઇ વન કુટીર ઉપર ઉભેલા પાવીજેતપુરના પીએસઆઇની કારને પણ ભયંકર રીતે અથાડી ચાલકે નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર ઘટનામાં બે બાઇક ચાલકોને સામાન્ય ઇજા પહોંચી હતી. જેથી તેઓ સ્થળ છોડીને જતા રહ્યા હતા. જ્યારે કારે અડફેટે લેતા વેચાતભાઇ ઊંધિયાભાઈ રાઠવાનું ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. તથા રાકેશભાઈને અને હિતેશભાઈ લાલુભાઈ તડવીને ગંભીર ઇજાઓ થતાં આગળ રીફર કરવામાં આવ્યા હતા.