શહેરના ગીંચ વિસ્તાર પૈકીના લહેરીપુરા ગેટ પાસે અકસ્માત સર્જાતા સીટી બસનો ચાલક ફરાર
ભરચક વિસ્તારમાં બેફામ ચાલતી સીટી બસના કારણે રાહદરીઓને જીવનુ જોખમ વધ્યું
અકસ્માતને પગલે રસ્તા ભારે ભીડ એકઠી થતાં સ્ટેન્ડીંગ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ પણ દોડી આવ્યાં હતા.
WatchGujarat. શહેરના ચાર દરવાજા વિસ્તારના લહેરીપુરા ગેટ પાસે બેફામ દોડતી સીટી બસના ચાલકે એક સાયકલ ચાલકનો જીવ લીધો હતો. સીટી બસની અડફેટે આવેલા સાયકલ સવાર વૃદ્ધનુ માથુ કચડાઇ જતાં તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. બનાવને પગલે રસ્તા પર ભાડે ભીડ એકઠી થતા સીટી બસનો ચાલક ફરાર થઇ ગયો હતો.
શહેરના લહેરીપુરા ગેટ પાસેથી આજે બપોરના સમયે સાયકલ સવાર વૃદ્ધ નિતીનભાઇ લલ્લુભાઇ પટેલ (કાચ્છીયા) પસાર થઇ રહ્યાં હતા. માનવ મહેરામણથી ધમધમતા આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો કોઇ નિકાલ આવતો નથી. ગીંચ વિસ્તાર અને બજારો હોવાથી હમેશા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. તેવામાં અનેક વખત અકસ્માતના કિસ્સાઓ પણ સામે આવે છે. તેવું જ કંઇ -ક આજે એક વૃદ્ધ સાયકલ સવાર જોડે બન્યું હતુ.
આ બનાવની વિગત એવી છે કે, નિતિનભાઇ લલ્લુભાઇ પટેલ (કાચ્છીયા) સાયકલ લઇને લહેરીપુરા ગેટ પાસેથી પસાર થઇ રહ્યાં હતા. દરમિયાન ભરચક વિસ્તારમાં બેફામ દોડી રહેલી સીટી બસના ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના આ બનાવમાં નિતિનભાઇનુ માથુ કચડાઇ જતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. સમગ્ર ઘટનાને નજરે જોનાર લોકો તાત્કાલીક દોડી આવ્યાં હતા. 108ને પણ બોલાવી લેવામાં આવી હતી. પરંતુ નિતિનભાઇને સારવાર મળે તે પહેલા જ તેઓનુ મોત નિપજ્યું હતુ.
શહેરના ગીંચ વિસ્તાર પૈકીના લહેરીપુરા ગેટ પાસે અકસ્માત સર્જાતા સીટી બસનો ચાલક ફરાર
ભરચક વિસ્તારમાં બેફામ ચાલતી સીટી બસના કારણે રાહદરીઓને જીવનુ જોખમ વધ્યું
અકસ્માતને પગલે રસ્તા ભારે ભીડ એકઠી થતાં સ્ટેન્ડીંગ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ પણ દોડી આવ્યાં હતા.
WatchGujarat. શહેરના ચાર દરવાજા વિસ્તારના લહેરીપુરા ગેટ પાસે બેફામ દોડતી સીટી બસના ચાલકે એક સાયકલ ચાલકનો જીવ લીધો હતો. સીટી બસની અડફેટે આવેલા સાયકલ સવાર વૃદ્ધનુ માથુ કચડાઇ જતાં તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. બનાવને પગલે રસ્તા પર ભાડે ભીડ એકઠી થતા સીટી બસનો ચાલક ફરાર થઇ ગયો હતો.
શહેરના લહેરીપુરા ગેટ પાસેથી આજે બપોરના સમયે સાયકલ સવાર વૃદ્ધ નિતીનભાઇ લલ્લુભાઇ પટેલ (કાચ્છીયા) પસાર થઇ રહ્યાં હતા. માનવ મહેરામણથી ધમધમતા આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો કોઇ નિકાલ આવતો નથી. ગીંચ વિસ્તાર અને બજારો હોવાથી હમેશા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. તેવામાં અનેક વખત અકસ્માતના કિસ્સાઓ પણ સામે આવે છે. તેવું જ કંઇ -ક આજે એક વૃદ્ધ સાયકલ સવાર જોડે બન્યું હતુ.
આ બનાવની વિગત એવી છે કે, નિતિનભાઇ લલ્લુભાઇ પટેલ (કાચ્છીયા) સાયકલ લઇને લહેરીપુરા ગેટ પાસેથી પસાર થઇ રહ્યાં હતા. દરમિયાન ભરચક વિસ્તારમાં બેફામ દોડી રહેલી સીટી બસના ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના આ બનાવમાં નિતિનભાઇનુ માથુ કચડાઇ જતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. સમગ્ર ઘટનાને નજરે જોનાર લોકો તાત્કાલીક દોડી આવ્યાં હતા. 108ને પણ બોલાવી લેવામાં આવી હતી. પરંતુ નિતિનભાઇને સારવાર મળે તે પહેલા જ તેઓનુ મોત નિપજ્યું હતુ.