કોરોના કાળમાં સેનીટાઇઝરનો ઉપયોગ લોકો વધુ સારી રીતે કરતા શીખ્યા
સેનીટાઇઝરના ગોડાઉનમાં આગ લાગવાને કારણે મચી અફરા તફરી
ભીષણ આગ પર કાબુ મેળવવા માટે 6 થી વધુ ફાયર ફાયટર કામે લાગ્યા હતા
બે વૃદ્ધોને ફાયરના લાશ્કરોએ રેસ્ક્યૂ કર્યા
WatchGujarat. શહેરના ખારીવાવ રોડ પર રહેણાંક બિલ્ડીંગોથી ઘેરાયેલી સેનીટાઇઝર બનાવતી બનાવતી ફર્મના ગોડાઉનમાં શનિવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોત જોતામાં આગની જ્વાળાઓ વકરતા 6 જેટલા ફાયર ફાયટરો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા. સમગ્ર ઘટનામાં ઘાબે ચઢી ગયેલી બે વૃદ્ધાઓનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
https://youtu.be/rY2FnKcHMyg
કોરોના કાળમાં સેનીટાઇઝરનો ઉપયોગ લોકો વધુ સારી રીતે કરતા શીખ્યા હતા. અને તેનું મહત્વ પણ સમજાયું હતું. તો બીજી તરફ માંગ ઉઠતા અનેક જગ્યાએ લોકોએ સેનીટાઇઝર બનાવવાનું તથા તેને રાખવા માટે ગોડાઉન લીધા હતા. શહેરના ખારીવાવ રોડ પર આવેલા સેનીટાઇઝરના ગોડાઉનમાં આગ લાગવાને કારણે શનિવારે વિસ્તારમાં ભારે અફરા તફરી મચી જવા પામી હતી. સમગ્ર ઘટના અંગે ફાયરના લાશ્કરોને જાણ થતાની સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.
શહેરના ખારીવાવ રોડ પર સેનીટાઇઝરનું ગોડાઉન આવેલુ છે. જ્યાં શનિવારે બપોરે સેનીટાઇઝરના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નિકળી હતી. સ્થાનિકોના મતે ફટાકડા ફુટતા હોય તેવો અવાજ સેનીટાઇઝરના ગોડાઉનમાંથી આવી રહ્યો હતો. જેને લઇને સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ફાયરના લાશ્કરોને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. આગ વિકરાળ બનતા ફ્લેટના રહીશો અગાસીએ જઇ ચઢ્યા હતા.
સેનીટાઇઝરના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે 6 થી વધુ ફાયર ફાયટરો આવી પહોંચ્યા હતા. એક તબક્કે લોકના જીવ પડીકે બંધાયા હતા. ફાયરના લાશ્કરોએ હાઇડ્રોલીક સીડીની મદદથી સાવચેતી પુર્વક વૃદ્ધાનું રેસ્ક્યૂ કર્યું હતું. ફાયરના લાશ્કરોની ત્વરીત કામગીરીને પગલે આગ વધુ વકરતા અટકી હતી. અને આગમાં ફસાયેલા લોકોને સમયસર રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રહેણાંક વિસ્તારમાં આવેલા સેનીટાઇઝરના ગોડાઉનમાં આગ લાગવાને કારણે અનેક સવાલો ચર્ચાઇ રહ્યા છે. ગોડાઉનના સંચાલક પાસે ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહિ, લોકોના જીવને જોખમમાં મુકે તેવી રીતે ગોડાઉન શરૂ કરવાની મંજુરી લેવામાં આવી છે કે, જો આ દુર્ઘટનામાં કોઇ જાન હાની થાત તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલોના જવાબો ઝીણવટભરી તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
કોરોના કાળમાં સેનીટાઇઝરનો ઉપયોગ લોકો વધુ સારી રીતે કરતા શીખ્યા
સેનીટાઇઝરના ગોડાઉનમાં આગ લાગવાને કારણે મચી અફરા તફરી
ભીષણ આગ પર કાબુ મેળવવા માટે 6 થી વધુ ફાયર ફાયટર કામે લાગ્યા હતા
બે વૃદ્ધોને ફાયરના લાશ્કરોએ રેસ્ક્યૂ કર્યા
WatchGujarat. શહેરના ખારીવાવ રોડ પર રહેણાંક બિલ્ડીંગોથી ઘેરાયેલી સેનીટાઇઝર બનાવતી બનાવતી ફર્મના ગોડાઉનમાં શનિવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોત જોતામાં આગની જ્વાળાઓ વકરતા 6 જેટલા ફાયર ફાયટરો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા. સમગ્ર ઘટનામાં ઘાબે ચઢી ગયેલી બે વૃદ્ધાઓનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
કોરોના કાળમાં સેનીટાઇઝરનો ઉપયોગ લોકો વધુ સારી રીતે કરતા શીખ્યા હતા. અને તેનું મહત્વ પણ સમજાયું હતું. તો બીજી તરફ માંગ ઉઠતા અનેક જગ્યાએ લોકોએ સેનીટાઇઝર બનાવવાનું તથા તેને રાખવા માટે ગોડાઉન લીધા હતા. શહેરના ખારીવાવ રોડ પર આવેલા સેનીટાઇઝરના ગોડાઉનમાં આગ લાગવાને કારણે શનિવારે વિસ્તારમાં ભારે અફરા તફરી મચી જવા પામી હતી. સમગ્ર ઘટના અંગે ફાયરના લાશ્કરોને જાણ થતાની સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.
શહેરના ખારીવાવ રોડ પર સેનીટાઇઝરનું ગોડાઉન આવેલુ છે. જ્યાં શનિવારે બપોરે સેનીટાઇઝરના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નિકળી હતી. સ્થાનિકોના મતે ફટાકડા ફુટતા હોય તેવો અવાજ સેનીટાઇઝરના ગોડાઉનમાંથી આવી રહ્યો હતો. જેને લઇને સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ફાયરના લાશ્કરોને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. આગ વિકરાળ બનતા ફ્લેટના રહીશો અગાસીએ જઇ ચઢ્યા હતા.
સેનીટાઇઝરના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે 6 થી વધુ ફાયર ફાયટરો આવી પહોંચ્યા હતા. એક તબક્કે લોકના જીવ પડીકે બંધાયા હતા. ફાયરના લાશ્કરોએ હાઇડ્રોલીક સીડીની મદદથી સાવચેતી પુર્વક વૃદ્ધાનું રેસ્ક્યૂ કર્યું હતું. ફાયરના લાશ્કરોની ત્વરીત કામગીરીને પગલે આગ વધુ વકરતા અટકી હતી. અને આગમાં ફસાયેલા લોકોને સમયસર રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રહેણાંક વિસ્તારમાં આવેલા સેનીટાઇઝરના ગોડાઉનમાં આગ લાગવાને કારણે અનેક સવાલો ચર્ચાઇ રહ્યા છે. ગોડાઉનના સંચાલક પાસે ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહિ, લોકોના જીવને જોખમમાં મુકે તેવી રીતે ગોડાઉન શરૂ કરવાની મંજુરી લેવામાં આવી છે કે, જો આ દુર્ઘટનામાં કોઇ જાન હાની થાત તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલોના જવાબો ઝીણવટભરી તપાસ બાદ જ સ્પષ્ટ થશે.