સબ રજિસ્ટ્રાર કચેરીઓની 2020ની કામગીરીનું સરવૈયું
કોરોના ગાઈડ લાઇન પાળીને 15 કચેરીઓમાં કામ થઈ રહ્યું છે
કોરોના કાળમાં ઇતિહાસમાં પ્રથમ વખત 38 દિવસ કચેરી બંધ રહી હતી
WatchGujarat વડોદરા શહેર અને જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા 15 સબ રજીસ્ટ્રાર કચેરીઓ શરૂ કરવામાં આવી છે. જ્યાં જમીન ઘર સહિતની સ્થાવર મિલકતોને લગતા દસ્તાવેજોની નોંધણીનું કામ કરવામાં આવે છે. આ કામ સામાજિક અને આર્થિક વ્યવહારોની ગતિશીલતા માટે ખૂબ જ અગત્યનું છે. મુખ્ય નોંધણી નિરીક્ષક અજય કુમાર ચારેલના જણાવ્યા પ્રમાણે વર્ષ 2020માં કોરોનાને લીધે ઇતિહાસમાં પ્રથમવાર લગભગ સવા મહિનાના સમયગાળા માટે દસ્તાવેજોની નોંધણી બંધ રહી હતી.
રાજ્ય સરકારના અને જિલ્લા કલેકટરના માર્ગદર્શનથી કોરોના ગાઇડલાઈન અનુસરીને તબક્કાવાર શહેરી ગ્રામીણ તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓ શરૂ કરવામાં આવી હતી જ્યાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળીને હાલમાં લગભગ પૂર્વવત સ્થિતિમાં દસ્તાવેજોની નોંધણી શરૂ થતાં,લોકોએ ખૂબ રાહત અનુભવી છે. રાજ્ય સરકારે સમયની સાથે તાલ મિલાવતા તેની સમગ્ર પ્રક્રિયાનું શકય તેટલું ડિજિટલિકરણ કર્યું છે અને હાલમાં અરજદારો નોંધણી માટે ઓનલાઈન અપોઈન્ટમેંટ લઈને જ કચેરીમાં આવી શકે છે અને જરૂરી નોંધણી ફી તેમજ ડયુટીની ચુકવણી પણ ઓનલાઇન જ સ્વીકારવામાં આવે છે. અરજદારો કચેરીમાં માસ્ક પહેરીને જ આવે અને સોશીયલ ડિસ્ટન્સ પાળે એવો ખાસ આગ્રહ રાખવામાં આવે છે.લોક ડાઉનના લીધે તમામ કચેરીઓ બંધ રહેતા આ વર્ષે કામગીરીને થોડી વિપરીત અસર પડી હતી.જો કે હવે એ તબક્કો પસાર થઈ ગયો છે.
કોરોનાના કારણે લોક ડાઉનને લઈને તા.24મી માર્ચથી 30 મી એપ્રીલ સુધી એટલે કે 38 દિવસ કચેરીઓ બંધ રહી હતી.તે પછી રાજ્ય સરકારે ઠરાવેલી કોવીડ- 19 ની ગાઈડ લાઇન અનુસરી ને તા.1 લી મે થી પ્રથમ શહેરી અને તે પછી ગ્રામીણ એમ તમામ 15 સબ રજીસ્ટ્રાર કચેરીઓ તબક્કાવાર શરૂ કરવામાં આવી હતી. અજય કુમારે વિગતવાર જાણકારી આપતાં જણાવ્યું કે 2000 ના વર્ષમાં તા. 1 લઈ જાન્યુઆરી થી 24 માર્ચ સુધીમાં વડોદરા શહેર અને જિલ્લાની કચેરીઓમાં 23,468 મિલકત વિષયક માલિકી પુરાવાને આધાર આપતાં દસ્તાવેજો નોંધાયા જેના લીધે નોંધણી ફી પેટે રૂ.22,71 કરોડની અને તેના માટે અરજદારો દ્વારા જરૂરી ડયુટીના વપરાશથી 1 અબજ 29 કરોડ 91 લાખની મળીને સરકારી તિજોરી ને કુલ રૂ.1 અબજ 52 કરોડ 63 લાખની આવક થઈ હતી.
લોક ડાઉનના પગલે લગભગ 38દિવસના વિરામ બાદ તા. 1 લી મે થી કચેરીઓ નવેસર થી શરૂ થઈ તે પછી,વર્ષના અંત એટલે કે તા.31 મી ડીસેમ્બર સુધીમાં કુલ 55501 દસ્તાવેજોની નોંધણીથી, જરૂરી નોંધણી ફી ના રૂપમાં રૂ.58. 69 કરોડની અને નિર્ધારિત ડ્યૂટીના વપરાશ થી રૂ. 3 અબજ 14 કરોડ 78 લાખ મળીને કુલ રૂ.3 અબજ 73 કરોડ 47 લાખની આવક થઈ છે.
અજય કુમારે જણાવ્યું કે હવે આખા વર્ષની વાત કરીએ તો શહેર અને જિલ્લાની કુલ 15 કચેરીઓમાં 2020 દરમિયાન 78774 દસ્તાવેજોની અરજદારોએ નોંધણી કરાવી.તેના પગલે નોંધણી ફી પેટે રૂ.81.41 કરોડ અને જરૂરી ડ્યૂટીના ઉપયોગ પેટે રૂ. 4 અબજ 44 કરોડ 71 લાખ મળીને કુલ રૂ.5 અબજ 26 કરોડ 13 લાખની સરકારી તિજોરીને આવક થઈ છે.
વડોદરા શહેરમાં વડોદરા ખેતી, દંતેશ્વર, માણેજા, અકોટા, ગોરવા, બાપોદ અને છાણી અને વડોદરા એક મળીને આઠ કચેરીઓ અને શિનોર, કરજણ, ડેસર, ડભોઇ, પાદરા, સાવલી અને વાઘોડિયા તાલુકા મથકોએ સાત મળીને કુલ 15 કચેરીઓ કાર્યરત છે.રાજ્ય સરકારે શહેરમાં વિસ્તાર પ્રમાણે અને દરેક તાલુકા મથક ખાતે સબ રજિસ્ટ્રાર કચેરીઓ શરૂ કરીને લોકોને લગભગ ઘર આંગણે દસ્તાવેજોની નોંધણી કરાવવાની સુવિધા આપી છે ત્યારે પોતાની જમીન,ઘર જેવી મિલકતોની સુરક્ષા માટે લોકો યોગ્ય પ્રક્રિયા અનુસરી નોંધણી અવશ્ય કરાવે એવો અનુરોધ કરવાની સાથે મુખ્ય નોંધણી અધિકારીએ લોકો કચેરીમાં આવે ત્યારે કોવીડ ના નિયમો ચુસ્ત પણે પાળીને જરૂરી સહયોગ આપે તેવો ખાસ અનુરોધ કર્યો છે.
સબ રજિસ્ટ્રાર કચેરીઓની 2020ની કામગીરીનું સરવૈયું
કોરોના ગાઈડ લાઇન પાળીને 15 કચેરીઓમાં કામ થઈ રહ્યું છે
કોરોના કાળમાં ઇતિહાસમાં પ્રથમ વખત 38 દિવસ કચેરી બંધ રહી હતી
WatchGujarat વડોદરા શહેર અને જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા 15 સબ રજીસ્ટ્રાર કચેરીઓ શરૂ કરવામાં આવી છે. જ્યાં જમીન ઘર સહિતની સ્થાવર મિલકતોને લગતા દસ્તાવેજોની નોંધણીનું કામ કરવામાં આવે છે. આ કામ સામાજિક અને આર્થિક વ્યવહારોની ગતિશીલતા માટે ખૂબ જ અગત્યનું છે. મુખ્ય નોંધણી નિરીક્ષક અજય કુમાર ચારેલના જણાવ્યા પ્રમાણે વર્ષ 2020માં કોરોનાને લીધે ઇતિહાસમાં પ્રથમવાર લગભગ સવા મહિનાના સમયગાળા માટે દસ્તાવેજોની નોંધણી બંધ રહી હતી.
રાજ્ય સરકારના અને જિલ્લા કલેકટરના માર્ગદર્શનથી કોરોના ગાઇડલાઈન અનુસરીને તબક્કાવાર શહેરી ગ્રામીણ તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓ શરૂ કરવામાં આવી હતી જ્યાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળીને હાલમાં લગભગ પૂર્વવત સ્થિતિમાં દસ્તાવેજોની નોંધણી શરૂ થતાં,લોકોએ ખૂબ રાહત અનુભવી છે. રાજ્ય સરકારે સમયની સાથે તાલ મિલાવતા તેની સમગ્ર પ્રક્રિયાનું શકય તેટલું ડિજિટલિકરણ કર્યું છે અને હાલમાં અરજદારો નોંધણી માટે ઓનલાઈન અપોઈન્ટમેંટ લઈને જ કચેરીમાં આવી શકે છે અને જરૂરી નોંધણી ફી તેમજ ડયુટીની ચુકવણી પણ ઓનલાઇન જ સ્વીકારવામાં આવે છે. અરજદારો કચેરીમાં માસ્ક પહેરીને જ આવે અને સોશીયલ ડિસ્ટન્સ પાળે એવો ખાસ આગ્રહ રાખવામાં આવે છે.લોક ડાઉનના લીધે તમામ કચેરીઓ બંધ રહેતા આ વર્ષે કામગીરીને થોડી વિપરીત અસર પડી હતી.જો કે હવે એ તબક્કો પસાર થઈ ગયો છે.
કોરોનાના કારણે લોક ડાઉનને લઈને તા.24મી માર્ચથી 30 મી એપ્રીલ સુધી એટલે કે 38 દિવસ કચેરીઓ બંધ રહી હતી.તે પછી રાજ્ય સરકારે ઠરાવેલી કોવીડ- 19 ની ગાઈડ લાઇન અનુસરી ને તા.1 લી મે થી પ્રથમ શહેરી અને તે પછી ગ્રામીણ એમ તમામ 15 સબ રજીસ્ટ્રાર કચેરીઓ તબક્કાવાર શરૂ કરવામાં આવી હતી. અજય કુમારે વિગતવાર જાણકારી આપતાં જણાવ્યું કે 2000 ના વર્ષમાં તા. 1 લઈ જાન્યુઆરી થી 24 માર્ચ સુધીમાં વડોદરા શહેર અને જિલ્લાની કચેરીઓમાં 23,468 મિલકત વિષયક માલિકી પુરાવાને આધાર આપતાં દસ્તાવેજો નોંધાયા જેના લીધે નોંધણી ફી પેટે રૂ.22,71 કરોડની અને તેના માટે અરજદારો દ્વારા જરૂરી ડયુટીના વપરાશથી 1 અબજ 29 કરોડ 91 લાખની મળીને સરકારી તિજોરી ને કુલ રૂ.1 અબજ 52 કરોડ 63 લાખની આવક થઈ હતી.
લોક ડાઉનના પગલે લગભગ 38દિવસના વિરામ બાદ તા. 1 લી મે થી કચેરીઓ નવેસર થી શરૂ થઈ તે પછી,વર્ષના અંત એટલે કે તા.31 મી ડીસેમ્બર સુધીમાં કુલ 55501 દસ્તાવેજોની નોંધણીથી, જરૂરી નોંધણી ફી ના રૂપમાં રૂ.58. 69 કરોડની અને નિર્ધારિત ડ્યૂટીના વપરાશ થી રૂ. 3 અબજ 14 કરોડ 78 લાખ મળીને કુલ રૂ.3 અબજ 73 કરોડ 47 લાખની આવક થઈ છે.
અજય કુમારે જણાવ્યું કે હવે આખા વર્ષની વાત કરીએ તો શહેર અને જિલ્લાની કુલ 15 કચેરીઓમાં 2020 દરમિયાન 78774 દસ્તાવેજોની અરજદારોએ નોંધણી કરાવી.તેના પગલે નોંધણી ફી પેટે રૂ.81.41 કરોડ અને જરૂરી ડ્યૂટીના ઉપયોગ પેટે રૂ. 4 અબજ 44 કરોડ 71 લાખ મળીને કુલ રૂ.5 અબજ 26 કરોડ 13 લાખની સરકારી તિજોરીને આવક થઈ છે.
વડોદરા શહેરમાં વડોદરા ખેતી, દંતેશ્વર, માણેજા, અકોટા, ગોરવા, બાપોદ અને છાણી અને વડોદરા એક મળીને આઠ કચેરીઓ અને શિનોર, કરજણ, ડેસર, ડભોઇ, પાદરા, સાવલી અને વાઘોડિયા તાલુકા મથકોએ સાત મળીને કુલ 15 કચેરીઓ કાર્યરત છે.રાજ્ય સરકારે શહેરમાં વિસ્તાર પ્રમાણે અને દરેક તાલુકા મથક ખાતે સબ રજિસ્ટ્રાર કચેરીઓ શરૂ કરીને લોકોને લગભગ ઘર આંગણે દસ્તાવેજોની નોંધણી કરાવવાની સુવિધા આપી છે ત્યારે પોતાની જમીન,ઘર જેવી મિલકતોની સુરક્ષા માટે લોકો યોગ્ય પ્રક્રિયા અનુસરી નોંધણી અવશ્ય કરાવે એવો અનુરોધ કરવાની સાથે મુખ્ય નોંધણી અધિકારીએ લોકો કચેરીમાં આવે ત્યારે કોવીડ ના નિયમો ચુસ્ત પણે પાળીને જરૂરી સહયોગ આપે તેવો ખાસ અનુરોધ કર્યો છે.