રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વીટી પટેલ કેસ અંગે કરી મોટી જાહેરાત
સ્વીટી પટેલ કેસમાં જે લોકો સંકળાયેલા છે તમામની વિગતો એકત્ર કરવાની ચાલુ છે – પ્રદિપસિંહ જાડેજા, ગૃહમંત્રી
વડોદરા પોલીસ કમિશ્નરની ચેમ્બરમાં બંધ બારણ 20 મીનીટ સુધી ચાલેલી મીટીંગ બાદ ગૃહમંત્રીએ નિર્ણય કર્યો
બંધ બારણે થયેલી મીટીંગમાં ગૃહમંત્રી, સ્વીટી પટેલ કેસના તપાસ અધિકારી, વડોદરા રેન્જ આઇ.જી અને એસ.પી હાજર હતા.
આ કેસમાં કોઇને છોડાય નહીં, તમામ પાસાઓની નિષ્પક્ષ તપાસ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા
WatchGujarat. વડોદરા જિલ્લા એસ.ઓ.જી પી.આઇ અજય દેસાઇના પત્ની સ્વીટી પટેલ રહસ્યમય રીતે ગુમ થયા મામલે રાજ્ય ભરમાં ચકચાર મચાવી છે. 40 દિવસ કરતા વધુ સમયથી ગુમ થયેલા સ્વીટી પટેલનો હજી સુધી કોઇ પત્તો લાગ્યો નથી. જિલ્લા પોલીસ વિવિધ ટીમો બનાવી કેસને ઉકેલવામાં લાગી છે. પરંતુ હજી સુધી કોઇ સફળતા ન મળતા આ ચકચારીત કેસની જિલ્લા પોલીસ પાસેથી આંચકી લેવામાં આવી છે. જેથી હવે પછી આ સમગ્ર કેસની તપાસ ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંક્યુક્ત રીતે કરશે, તેવી રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે.
રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આજે વડોદરા પોલીસ ભવન ખાતે શી-ટીમ કાઉન્સીલીંગ સેન્ટરના આરંભ તેમજ કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાજ્ય ભરમાં ચકચાર મચાવી રહેલા સ્વીટી પટેલ કેસ મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા રેન્જ આઇ.જી, સ્વીટી પટેલ કેસની તપાસ કરી રહેલા DYSP કલપેશ સોલંકી અને એસ.પી ડો. સુધીર દેસાઇ સાથે પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘની ચેમ્બરમાં બંધ બારણે મીટીંગ કરી હતી.
આ દરમિયાન વડોદરા શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કાર્યક્રમમાં હાજર રહેલા નેતાઓ પણ મીટીંગ પૂર્ણ થવાની બહાર રાહ જોઇ રહ્યાં હતા. 20 મિનીટ સુધી ચાલેલી આ મીટીંગ બાદ પ્રદિપસિંહ જાડેજાએ મીડીયા સાથે વાતચિત કરતા જણાવ્યું હતુ કે, સ્વીટી પટેલ ગુમ થયા મામલે હાલ વડોદરા જિલ્લા પોલીસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહીં છે. જ્યાં જરૂરી હતા તેવા લોકોના પોલીગ્રાફ ટેસ્ટ, નાર્કોટેસ્ટ, ફોરેન્સીક મેડીસીન અને ટેક્નિકલ ડીટેઇલના આધાર પર જે સ્થળથી (દહેજના અટાલી ગામ) માનવના હાળકા હોવાની સંભાવના હતી, તે ફોરેન્સિક મેડિસીનની તપાસ અને એફ.એસ.એલ દ્વારા પણ શંકાસ્પદ વસ્તુઓની તપાસ અને નાર્કોટેસ્ટના સંદર્ભે પણ કાર્યવાહી ચાલી રહીં છે.
વધુમાં તેઓ જણાવ્યું કે, હ્યુમન ઇન્ટેલીજીન્સમાંથી મળેલા બાતમી અને ટેકનીકલ ઇન્ટેલીજન્સનો સમાવેશ કરીને તપાસ કરવામાં આવી રહીં છે. આ કેસમાં જેટલા પણ લોકો શંકાસ્પદ રીતે સંકળાયેલા છે, તેમની તપાસ અને પુછપરછની પ્રક્રિયા તેમજ વિગતો મેળવવાની કાર્યવાહી ચાલી રહીં છે. તેમજ આ કેસની તપાસ હવે ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કરશે.
ઉલ્લેખનીય છે કે, 40 દિવસના કરતા વધુ સમયથી રહસ્યમય રીતે ગુમ સ્વીટી પટેલની કોઇ સગળ પોલીસ મેળવી શકી નથી. તેમજ પી.આઇ અજય દેસાઇ કેટલાક જાણીતા રાજકારણીઓ સાથે નિકટતા ધરાવતા તેમની પુછપરછ કરવામાં આવી હતી. જેથી સ્વીટી પટેલ ચકચારી કેસમાં કોઇ રાજકીય દબાણ પોલીસ પર કામ ન લાગે તે માટે સ્વીટી પેટલ કેસની તપાસ આખરે ગુજરાત એ.ટી.એસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ હોવાનુ મનાઇ રહ્યું છે.
- રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વીટી પટેલ કેસ અંગે કરી મોટી જાહેરાત
- સ્વીટી પટેલ કેસમાં જે લોકો સંકળાયેલા છે તમામની વિગતો એકત્ર કરવાની ચાલુ છે – પ્રદિપસિંહ જાડેજા, ગૃહમંત્રી
- વડોદરા પોલીસ કમિશ્નરની ચેમ્બરમાં બંધ બારણ 20 મીનીટ સુધી ચાલેલી મીટીંગ બાદ ગૃહમંત્રીએ નિર્ણય કર્યો
- બંધ બારણે થયેલી મીટીંગમાં ગૃહમંત્રી, સ્વીટી પટેલ કેસના તપાસ અધિકારી, વડોદરા રેન્જ આઇ.જી અને એસ.પી હાજર હતા.
- આ કેસમાં કોઇને છોડાય નહીં, તમામ પાસાઓની નિષ્પક્ષ તપાસ થશે – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા
WatchGujarat. વડોદરા જિલ્લા એસ.ઓ.જી પી.આઇ અજય દેસાઇના પત્ની સ્વીટી પટેલ રહસ્યમય રીતે ગુમ થયા મામલે રાજ્ય ભરમાં ચકચાર મચાવી છે. 40 દિવસ કરતા વધુ સમયથી ગુમ થયેલા સ્વીટી પટેલનો હજી સુધી કોઇ પત્તો લાગ્યો નથી. જિલ્લા પોલીસ વિવિધ ટીમો બનાવી કેસને ઉકેલવામાં લાગી છે. પરંતુ હજી સુધી કોઇ સફળતા ન મળતા આ ચકચારીત કેસની જિલ્લા પોલીસ પાસેથી આંચકી લેવામાં આવી છે. જેથી હવે પછી આ સમગ્ર કેસની તપાસ ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંક્યુક્ત રીતે કરશે, તેવી રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે.
રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આજે વડોદરા પોલીસ ભવન ખાતે શી-ટીમ કાઉન્સીલીંગ સેન્ટરના આરંભ તેમજ કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાજ્ય ભરમાં ચકચાર મચાવી રહેલા સ્વીટી પટેલ કેસ મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા રેન્જ આઇ.જી, સ્વીટી પટેલ કેસની તપાસ કરી રહેલા DYSP કલપેશ સોલંકી અને એસ.પી ડો. સુધીર દેસાઇ સાથે પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘની ચેમ્બરમાં બંધ બારણે મીટીંગ કરી હતી.
આ દરમિયાન વડોદરા શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કાર્યક્રમમાં હાજર રહેલા નેતાઓ પણ મીટીંગ પૂર્ણ થવાની બહાર રાહ જોઇ રહ્યાં હતા. 20 મિનીટ સુધી ચાલેલી આ મીટીંગ બાદ પ્રદિપસિંહ જાડેજાએ મીડીયા સાથે વાતચિત કરતા જણાવ્યું હતુ કે, સ્વીટી પટેલ ગુમ થયા મામલે હાલ વડોદરા જિલ્લા પોલીસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહીં છે. જ્યાં જરૂરી હતા તેવા લોકોના પોલીગ્રાફ ટેસ્ટ, નાર્કોટેસ્ટ, ફોરેન્સીક મેડીસીન અને ટેક્નિકલ ડીટેઇલના આધાર પર જે સ્થળથી (દહેજના અટાલી ગામ) માનવના હાળકા હોવાની સંભાવના હતી, તે ફોરેન્સિક મેડિસીનની તપાસ અને એફ.એસ.એલ દ્વારા પણ શંકાસ્પદ વસ્તુઓની તપાસ અને નાર્કોટેસ્ટના સંદર્ભે પણ કાર્યવાહી ચાલી રહીં છે.
વધુમાં તેઓ જણાવ્યું કે, હ્યુમન ઇન્ટેલીજીન્સમાંથી મળેલા બાતમી અને ટેકનીકલ ઇન્ટેલીજન્સનો સમાવેશ કરીને તપાસ કરવામાં આવી રહીં છે. આ કેસમાં જેટલા પણ લોકો શંકાસ્પદ રીતે સંકળાયેલા છે, તેમની તપાસ અને પુછપરછની પ્રક્રિયા તેમજ વિગતો મેળવવાની કાર્યવાહી ચાલી રહીં છે. તેમજ આ કેસની તપાસ હવે ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કરશે.
ઉલ્લેખનીય છે કે, 40 દિવસના કરતા વધુ સમયથી રહસ્યમય રીતે ગુમ સ્વીટી પટેલની કોઇ સગળ પોલીસ મેળવી શકી નથી. તેમજ પી.આઇ અજય દેસાઇ કેટલાક જાણીતા રાજકારણીઓ સાથે નિકટતા ધરાવતા તેમની પુછપરછ કરવામાં આવી હતી. જેથી સ્વીટી પટેલ ચકચારી કેસમાં કોઇ રાજકીય દબાણ પોલીસ પર કામ ન લાગે તે માટે સ્વીટી પેટલ કેસની તપાસ આખરે ગુજરાત એ.ટી.એસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ હોવાનુ મનાઇ રહ્યું છે.