વડોદરામાં ચોમાસાની ઋતુમાં મગર રહેણાંક વિસ્તારો સ્થવા માનવની અવર જવર હોય તેવી જગ્યાઓ પર આવી ચઢવાની ઘટનાઓ બનતી હોય છે
ગણેશજીના વિસર્જન માટે પાલિકા દ્વારા કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે
ગત મોડી રાત્રે નવલખીના કૃત્રિમ તળાવમાં મગર આવી ચઢ્યો
અમારા સ્વયંસેવકો સ્ટીક અને મોબાઈલ ટોર્ચના સહારે તળાવમાં ઉતર્યા
પાણી અને કાદવમાં ત્રણ કલાકની ભારે જહેમત બાદ મગર રેસ્ક્યુ કરાયો
[caption id="attachment_1396236" align="aligncenter" width="1600"] crocodile[/caption]
WatchGujarat. વિશ્વમાં મગર અને માનવ વસવાટ નજીક રહેતા હોય તેવા જૂજ શહેરોમાં વડોદરાનો સમાવેશ થાય છે. ગતરોજ મોડી રાત્રે ગણેશજીના વિસર્જન માટે તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવમાં મગર આવી ચઢ્યો હતો. અંધારી રાત્રે લાઈટો અને મગરને પકડવાની નેટ વગર વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના સ્વયંસેવકોએ દિલ ધડક રીતે માત્ર મોબાઈલ ટોર્ચ લાઈટ અને સ્ટીકના સહારે જ 3 કલાક કીચડમાં ઉતરી મગરને રેસ્ક્યુ કર્યો હતો.
વડોદરામાં ચોમાસાની ઋતુમાં મગર રહેણાંક વિસ્તારો સ્થવા માનવની અવર જવર હોય તેવી જગ્યાઓ પર આવી ચઢવાની ઘટનાઓ બનતી હોય છે. વડોદરામાં વન્ય જીવો માટે કામ કરતી મોટી સ્વયંસેવી સંસ્થાઓ અને વન વિભાગના સતત પ્રયત્નોને કારણે માનવો અને મગર વચ્ચે ઘર્ષણની ઘટનાઓ જૂજ બનતી હોય છે. વડોદરામાં મગરની વસ્તી અને તેમને રેસ્ક્યુ કરવા માટે જરૂરી સંસાધનોની ઘટ વચ્ચે પણ સંસ્થાઓ સફળ રેસ્ક્યુ કરી રહી છે. આ વાત પર વિશ્વાસ બેસાડે તેવી ઘટના ગતરોજ વડોદરામાં બની હતી.
https://twitter.com/WatchGujarat/status/1436569045411590148?s=20
હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ગણેશજીના વિસર્જન માટે પાલિકા દ્વારા કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રેસ્ક્યુ અંગે વધુ માહિતી આપતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવારે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગતરોજ રાત્રે પાલિકાના નવલખી સ્થિત કૃત્રિમ તળાવમાં પાણી ભરવાની કામગીરી ચાલી રહી હતી. દરમીયાન પાણી ભરાવવા અંગેની ચકાસણી કરવા જતાં પાણી માં કોઈ સરિસરૂ હોવાની આશંકા કર્મીને ગઈ હતી. શંકાના આધારે ટોર્ચ લાઈટ મારતા મગર દેખાયો હતો. તુરંત જ કર્મીએ તળાવમાંથી બહાર નીકળીને ઉપરી અધિકારીને જાણ કરી હતી.
વધુમાં અરવિંદ પવારે જણાવ્યું કે, મગર આવ્યાની જાણકારી મળતા જ અમારી ટિમના સ્વયં સેવકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. તળાવ નજીક પહોંચતા જ અંધારું હતું. તે સમયે લાઇટની વ્યવસ્થા થઈ શકે તેમ ન હતી. વન વિભાગ તથા ફાયર ડિપાર્ટમેન્ટ ને જાણ કરવામાં આવી પરંતુ તેમની પાસેથી મગર પકડવા માટે નેટ ની વ્યવસ્થા થઈ શકે તેમ ન હતું. તો બીજી તરફ વરસાદને કારણે તળાવ ભરાઈ જાય તો મગરને શોધવું મુશ્કેલ બની જામ તેમ હતું.
અરવિંદ પવારે ઉમેર્યું કે, અમારા સ્વયંસેવકોએ સમય બગડ્યા વગર રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું. સ્ટીક અને મોબાઈલ ટોર્ચના સહારે તેઓ તળાવમાં ઉતર્યા. કાદવ અબે પાણીમાં ઉતરી રેસ્ક્યુ કરવું પડકારજનક તો હતું, પણ સ્વયંસેવકોએ કામ આગળ ધપાવ્યું. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આખરે સાડા ચાર ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું હતું.
વડોદરામાં ચોમાસાની ઋતુમાં મગર રહેણાંક વિસ્તારો સ્થવા માનવની અવર જવર હોય તેવી જગ્યાઓ પર આવી ચઢવાની ઘટનાઓ બનતી હોય છે
ગણેશજીના વિસર્જન માટે પાલિકા દ્વારા કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે
ગત મોડી રાત્રે નવલખીના કૃત્રિમ તળાવમાં મગર આવી ચઢ્યો
અમારા સ્વયંસેવકો સ્ટીક અને મોબાઈલ ટોર્ચના સહારે તળાવમાં ઉતર્યા
પાણી અને કાદવમાં ત્રણ કલાકની ભારે જહેમત બાદ મગર રેસ્ક્યુ કરાયો
WatchGujarat. વિશ્વમાં મગર અને માનવ વસવાટ નજીક રહેતા હોય તેવા જૂજ શહેરોમાં વડોદરાનો સમાવેશ થાય છે. ગતરોજ મોડી રાત્રે ગણેશજીના વિસર્જન માટે તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવમાં મગર આવી ચઢ્યો હતો. અંધારી રાત્રે લાઈટો અને મગરને પકડવાની નેટ વગર વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના સ્વયંસેવકોએ દિલ ધડક રીતે માત્ર મોબાઈલ ટોર્ચ લાઈટ અને સ્ટીકના સહારે જ 3 કલાક કીચડમાં ઉતરી મગરને રેસ્ક્યુ કર્યો હતો.
વડોદરામાં ચોમાસાની ઋતુમાં મગર રહેણાંક વિસ્તારો સ્થવા માનવની અવર જવર હોય તેવી જગ્યાઓ પર આવી ચઢવાની ઘટનાઓ બનતી હોય છે. વડોદરામાં વન્ય જીવો માટે કામ કરતી મોટી સ્વયંસેવી સંસ્થાઓ અને વન વિભાગના સતત પ્રયત્નોને કારણે માનવો અને મગર વચ્ચે ઘર્ષણની ઘટનાઓ જૂજ બનતી હોય છે. વડોદરામાં મગરની વસ્તી અને તેમને રેસ્ક્યુ કરવા માટે જરૂરી સંસાધનોની ઘટ વચ્ચે પણ સંસ્થાઓ સફળ રેસ્ક્યુ કરી રહી છે. આ વાત પર વિશ્વાસ બેસાડે તેવી ઘટના ગતરોજ વડોદરામાં બની હતી.
હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ગણેશજીના વિસર્જન માટે પાલિકા દ્વારા કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રેસ્ક્યુ અંગે વધુ માહિતી આપતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવારે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગતરોજ રાત્રે પાલિકાના નવલખી સ્થિત કૃત્રિમ તળાવમાં પાણી ભરવાની કામગીરી ચાલી રહી હતી. દરમીયાન પાણી ભરાવવા અંગેની ચકાસણી કરવા જતાં પાણી માં કોઈ સરિસરૂ હોવાની આશંકા કર્મીને ગઈ હતી. શંકાના આધારે ટોર્ચ લાઈટ મારતા મગર દેખાયો હતો. તુરંત જ કર્મીએ તળાવમાંથી બહાર નીકળીને ઉપરી અધિકારીને જાણ કરી હતી.
વધુમાં અરવિંદ પવારે જણાવ્યું કે, મગર આવ્યાની જાણકારી મળતા જ અમારી ટિમના સ્વયં સેવકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. તળાવ નજીક પહોંચતા જ અંધારું હતું. તે સમયે લાઇટની વ્યવસ્થા થઈ શકે તેમ ન હતી. વન વિભાગ તથા ફાયર ડિપાર્ટમેન્ટ ને જાણ કરવામાં આવી પરંતુ તેમની પાસેથી મગર પકડવા માટે નેટ ની વ્યવસ્થા થઈ શકે તેમ ન હતું. તો બીજી તરફ વરસાદને કારણે તળાવ ભરાઈ જાય તો મગરને શોધવું મુશ્કેલ બની જામ તેમ હતું.
અરવિંદ પવારે ઉમેર્યું કે, અમારા સ્વયંસેવકોએ સમય બગડ્યા વગર રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું. સ્ટીક અને મોબાઈલ ટોર્ચના સહારે તેઓ તળાવમાં ઉતર્યા. કાદવ અબે પાણીમાં ઉતરી રેસ્ક્યુ કરવું પડકારજનક તો હતું, પણ સ્વયંસેવકોએ કામ આગળ ધપાવ્યું. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આખરે સાડા ચાર ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું હતું.