છેલ્લા સવા વર્ષમાં કોરોના ના અંદાજે બે લાખથી વધુ સેમ્પલનું સચોટ પરીક્ષણ કર્યું
સી.આર.પી.ની ચકાસણીની અગત્યની કામગીરી કરી અને હવે મ્યુકરના ૨૮૫ થી વધુ સેમ્પલની સચોટ ચકાસણી કરી
સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજના વિવિધ વિભાગો કોરોના કાળમાં જીવન રક્ષક તીર્થ ધામો બની રહ્યાં છે
Watchgujarat. કોરોનાની આડ અસરના રૂપમાં હવે સૂક્ષ્મ ફૂગ જન્ય મ્યુકર માયકોસિસિસના રોગચાળાએ માથું ઊંચક્યું છે.ત્યારે બરોડા મેડિકલ કોલેજનો માયક્રો બાયોલોજી વિભાગ અને તેને સંલગ્ન પ્રયોગશાળા ફંગસના સચોટ પરીક્ષણ દ્વારા આ રોગનું નિર્ધારણ કરવામાં ખૂબ જ અગત્યનું જીવન રક્ષક યોગદાન આપી રહ્યો છે.
સયાજી હોસ્પિટલના કાન,નાક અને ગળાના વિભાગ દ્વારા શંકાસ્પદ મ્યુકરના દર્દીઓના સેમ્પલ ચકાસણી માટે આ વિભાગને મોકલવામાં આવે છે.અત્યાર સુધીમાં આ વિભાગે અંદાજે ૨૮૫ જેટલાં સેમ્પલ ચકાસીને સચોટ રિપોર્ટ આપ્યો છે જેને આધારે દર્દીઓની અસરકારક સારવાર નિર્ધારિત કરવામાં ખૂબ મદદ મળી છે.
આ વિભાગ મેડિકલ કોલેજના ડીન ડો.તનુજા જાવડેકર અને સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન ઐયર ના માર્ગદર્શન હેઠળ સહ પ્રાધ્યાપક( એસોસિએટ પ્રોફેસર) ના નેતૃત્વ હેઠળ છેલ્લા સવા વર્ષ થી લગભગ રાત દિવસ સતત કામ કરીને મહામારીના પડકારને પહોંચી વાળવામાં ચાવી રૂપ યોગદાન આપી રહ્યો છે. કોરોના સારવારના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.ના સહયોગથી આ વિભાગ સંકલન જાળવી ને કાર્યરત છે.
આ વિભાગ અને પ્રયોગશાળા એ ઉપરોક્ત સમયગાળા દરમિયાન અંદાજે બે લાખથી વધુ કોવિડ સેમ્પલનું સચોટ પરીક્ષણ કર્યું છે.દૈનિક ૧૫૦૦ જેટલા આર.ટી.પી.સી.આર. સેમ્પલ અહી આવતા હોય ત્યારે ચોવીસ કલાકમાં અને ઇમરજન્સી કેસોમાં આઠ કલાકમાં રિપોર્ટ આપવા આ વિભાગના તબીબો અને કર્મયોગીઓએ અવિરત કામ કર્યું છે.તેની સાથે હવે મ્યુકરના સેમ્પલના પરીક્ષણને લીધે કાર્યભારણ ખૂબ વધવા છતાં આ વિભાગ સક્ષમ સેવાઓ આપી રહ્યો છે.
આ ઉપરાંત અહી અન્ય ચેપી રોગોના સેમ્પલના પરીક્ષણની રૂટિન કામગીરી યથાવત ચાલતી જ રહે છે.વધુમાં,દર્દીમાં કોવિડ ની અસરનું પ્રમાણ અને સારવાર ની અસરકારકતાનો નિર્દેશ આપતો સી.આર.પી.ટેસ્ટ પણ આ વિભાગ જ હેન્ડલ કરે છે.
આમ,તો આ વિભાગ મેડિકલ કોલેજની સ્થાપનાના સમયથી જ કાર્યરત છે.આ વિભાગમાં પ્રાધ્યાપક,સહ પ્રાધ્યાપક, મદદનીશ પ્રાધ્યાપક, ટ્યુટર, એમ.ડી. માઈક્રોબાયોલોજીનું ભણતા નિવાસી તબીબો,લેબ ટેકનીશ્યન, ડેટા એન્ટ્રી ઓપરેટર અને વર્ગ ચારના સેવકો એક ટીમ તરીકે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપે છે.
આ વિભાગની ટીમ કહે છે કે, અમારી ટીમ છેલ્લા સવા વર્ષથી સતત ખૂબ વધારે ભારણ વચ્ચે કાર્યરત છે. અમારા લેબ રિપોર્ટને આધારે દર્દીની રોગગ્રસ્તતા અને સારવારની દિશા,ઉપચારની અસર અને તેમાં ફેરફારનો નિર્ણય લેવાય છે. અમને ગૌરવ છે કે હજારો લોકો ની જીવન રક્ષામાં અમે શક્ય તેટલું યોગદાન આપી રહ્યાં છીએ.
એક રૂટિન તરીકે આ વિભાગમાં બેક્ટેરીયોલોજી અને વાયરોલોજીના તમામ ટેસ્ટ કરવામાં આવે છે.બેક્ટેરિયલ કલ્ચર દ્વારા ડેન્ગ્યુ, ચિકુન ગુનિયા,કમળો, ટાયફોઈડ જેવા રોગોને લગતા નમૂનાઓની ચકાસણી કરવામાં આવે છે. મ્યુકરનો ઉપદ્રવ થતાં હવે ફંગસ કલ્ચરની તપાસ થાય છે અને કોવિડનું વાયરોલોજીકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
માર્ચ ૨૦૨૦ થી અહી કોવિડ સેમ્પલની ચકાસણી કરવામાં આવી રહી છે.તેના જરૂરી ઉપકરણો તો પહેલાથી જ અહી હતા જેની મદદથી સ્વાઇન ફ્લૂના નમૂનાની ચકાસણી થતી જ હતી.તે પછી જરૂરી કીટની ફાળવણી સાથે અહી કોવિડના નમૂનાઓ ચકાસવાનું કામ શરૂ થયું.શરૂઆતમાં ૨ મશીન હતા,અત્યારે ૫ થી ૬ મશીનો છે.સ્વાઇન ફ્લૂનો રોગચાળો ફેલાયો ત્યારે દૈનિક ૯૦ જેટલા સેમ્પલની ચકાસણી થતી.તેની સામે કોવિડના લગભગ ૧૫૦૦ નમૂનાની પિક સમયમાં ચકાસણી કરવી પડતી.જેના માટે અલાયદો વિભાગ અને સ્ટાફ રાત દિવસ કામ કરતો રહે છે.
ચેપથી સ્ટાફને બચાવવા માટેના વૈશ્વિક માપદંડોને અનુસરીને બાયો સેફ્ટીની જરૂરી વ્યવસ્થાઓ વચ્ચે સલામત કામગીરીની કાળજી લેવામાં આવે છે.એન ૯૫ માસ્ક, પી.પી.ઇ.કીટ, હાથ મોજાં,હેન્ડ સ્ટરી લાઇઝેસન જેવી નિર્ધારિત તકેદારીઓ લેવાની વ્યવસ્થા છે.
આ વિભાગે મધ્ય ગુજરાતની ૧૨ જેટલી સરકારી અને ખાનગી સંસ્થાઓના સ્ટાફને આર.ટી.પી.સી.આર. સેમ્પલના પરીક્ષણની આઇ. સી. એમ. આર.ની ગાઈડ લાઇન પ્રમાણે તાલીમ આપી છે.તેમની વ્યવસ્થાઓનું જરૂરી સર્ટિફિકેશન કર્યું છે.જેના પરિણામે આ સંસ્થાઓમાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટના સેમ્પલનું પરીક્ષણ શરૂ થતાં ખૂબ સરળતા થઈ છે.
મેડિકલ કોલેજ અને સયાજી હોસ્પિટલના અન્ય વિભાગોની સાથે માઈક્રો બાયોલોજી વિભાગ કોવિડ અને મ્યુકર રોગોના પડકારોમાં લોકોના જીવનની રક્ષામાં સમર્પિત યોગદાન આપી રહ્યો છે.આ વિભાગના કોરોના વોરિયરની સમર્પિત સેવાઓ સલામ ને પાત્ર છે.
છેલ્લા સવા વર્ષમાં કોરોના ના અંદાજે બે લાખથી વધુ સેમ્પલનું સચોટ પરીક્ષણ કર્યું
સી.આર.પી.ની ચકાસણીની અગત્યની કામગીરી કરી અને હવે મ્યુકરના ૨૮૫ થી વધુ સેમ્પલની સચોટ ચકાસણી કરી
સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજના વિવિધ વિભાગો કોરોના કાળમાં જીવન રક્ષક તીર્થ ધામો બની રહ્યાં છે
Watchgujarat. કોરોનાની આડ અસરના રૂપમાં હવે સૂક્ષ્મ ફૂગ જન્ય મ્યુકર માયકોસિસિસના રોગચાળાએ માથું ઊંચક્યું છે.ત્યારે બરોડા મેડિકલ કોલેજનો માયક્રો બાયોલોજી વિભાગ અને તેને સંલગ્ન પ્રયોગશાળા ફંગસના સચોટ પરીક્ષણ દ્વારા આ રોગનું નિર્ધારણ કરવામાં ખૂબ જ અગત્યનું જીવન રક્ષક યોગદાન આપી રહ્યો છે.
સયાજી હોસ્પિટલના કાન,નાક અને ગળાના વિભાગ દ્વારા શંકાસ્પદ મ્યુકરના દર્દીઓના સેમ્પલ ચકાસણી માટે આ વિભાગને મોકલવામાં આવે છે.અત્યાર સુધીમાં આ વિભાગે અંદાજે ૨૮૫ જેટલાં સેમ્પલ ચકાસીને સચોટ રિપોર્ટ આપ્યો છે જેને આધારે દર્દીઓની અસરકારક સારવાર નિર્ધારિત કરવામાં ખૂબ મદદ મળી છે.
આ વિભાગ મેડિકલ કોલેજના ડીન ડો.તનુજા જાવડેકર અને સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન ઐયર ના માર્ગદર્શન હેઠળ સહ પ્રાધ્યાપક( એસોસિએટ પ્રોફેસર) ના નેતૃત્વ હેઠળ છેલ્લા સવા વર્ષ થી લગભગ રાત દિવસ સતત કામ કરીને મહામારીના પડકારને પહોંચી વાળવામાં ચાવી રૂપ યોગદાન આપી રહ્યો છે. કોરોના સારવારના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.ના સહયોગથી આ વિભાગ સંકલન જાળવી ને કાર્યરત છે.
આ વિભાગ અને પ્રયોગશાળા એ ઉપરોક્ત સમયગાળા દરમિયાન અંદાજે બે લાખથી વધુ કોવિડ સેમ્પલનું સચોટ પરીક્ષણ કર્યું છે.દૈનિક ૧૫૦૦ જેટલા આર.ટી.પી.સી.આર. સેમ્પલ અહી આવતા હોય ત્યારે ચોવીસ કલાકમાં અને ઇમરજન્સી કેસોમાં આઠ કલાકમાં રિપોર્ટ આપવા આ વિભાગના તબીબો અને કર્મયોગીઓએ અવિરત કામ કર્યું છે.તેની સાથે હવે મ્યુકરના સેમ્પલના પરીક્ષણને લીધે કાર્યભારણ ખૂબ વધવા છતાં આ વિભાગ સક્ષમ સેવાઓ આપી રહ્યો છે.
આ ઉપરાંત અહી અન્ય ચેપી રોગોના સેમ્પલના પરીક્ષણની રૂટિન કામગીરી યથાવત ચાલતી જ રહે છે.વધુમાં,દર્દીમાં કોવિડ ની અસરનું પ્રમાણ અને સારવાર ની અસરકારકતાનો નિર્દેશ આપતો સી.આર.પી.ટેસ્ટ પણ આ વિભાગ જ હેન્ડલ કરે છે.
આમ,તો આ વિભાગ મેડિકલ કોલેજની સ્થાપનાના સમયથી જ કાર્યરત છે.આ વિભાગમાં પ્રાધ્યાપક,સહ પ્રાધ્યાપક, મદદનીશ પ્રાધ્યાપક, ટ્યુટર, એમ.ડી. માઈક્રોબાયોલોજીનું ભણતા નિવાસી તબીબો,લેબ ટેકનીશ્યન, ડેટા એન્ટ્રી ઓપરેટર અને વર્ગ ચારના સેવકો એક ટીમ તરીકે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપે છે.
આ વિભાગની ટીમ કહે છે કે, અમારી ટીમ છેલ્લા સવા વર્ષથી સતત ખૂબ વધારે ભારણ વચ્ચે કાર્યરત છે. અમારા લેબ રિપોર્ટને આધારે દર્દીની રોગગ્રસ્તતા અને સારવારની દિશા,ઉપચારની અસર અને તેમાં ફેરફારનો નિર્ણય લેવાય છે. અમને ગૌરવ છે કે હજારો લોકો ની જીવન રક્ષામાં અમે શક્ય તેટલું યોગદાન આપી રહ્યાં છીએ.
એક રૂટિન તરીકે આ વિભાગમાં બેક્ટેરીયોલોજી અને વાયરોલોજીના તમામ ટેસ્ટ કરવામાં આવે છે.બેક્ટેરિયલ કલ્ચર દ્વારા ડેન્ગ્યુ, ચિકુન ગુનિયા,કમળો, ટાયફોઈડ જેવા રોગોને લગતા નમૂનાઓની ચકાસણી કરવામાં આવે છે. મ્યુકરનો ઉપદ્રવ થતાં હવે ફંગસ કલ્ચરની તપાસ થાય છે અને કોવિડનું વાયરોલોજીકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
માર્ચ ૨૦૨૦ થી અહી કોવિડ સેમ્પલની ચકાસણી કરવામાં આવી રહી છે.તેના જરૂરી ઉપકરણો તો પહેલાથી જ અહી હતા જેની મદદથી સ્વાઇન ફ્લૂના નમૂનાની ચકાસણી થતી જ હતી.તે પછી જરૂરી કીટની ફાળવણી સાથે અહી કોવિડના નમૂનાઓ ચકાસવાનું કામ શરૂ થયું.શરૂઆતમાં ૨ મશીન હતા,અત્યારે ૫ થી ૬ મશીનો છે.સ્વાઇન ફ્લૂનો રોગચાળો ફેલાયો ત્યારે દૈનિક ૯૦ જેટલા સેમ્પલની ચકાસણી થતી.તેની સામે કોવિડના લગભગ ૧૫૦૦ નમૂનાની પિક સમયમાં ચકાસણી કરવી પડતી.જેના માટે અલાયદો વિભાગ અને સ્ટાફ રાત દિવસ કામ કરતો રહે છે.
ચેપથી સ્ટાફને બચાવવા માટેના વૈશ્વિક માપદંડોને અનુસરીને બાયો સેફ્ટીની જરૂરી વ્યવસ્થાઓ વચ્ચે સલામત કામગીરીની કાળજી લેવામાં આવે છે.એન ૯૫ માસ્ક, પી.પી.ઇ.કીટ, હાથ મોજાં,હેન્ડ સ્ટરી લાઇઝેસન જેવી નિર્ધારિત તકેદારીઓ લેવાની વ્યવસ્થા છે.
આ વિભાગે મધ્ય ગુજરાતની ૧૨ જેટલી સરકારી અને ખાનગી સંસ્થાઓના સ્ટાફને આર.ટી.પી.સી.આર. સેમ્પલના પરીક્ષણની આઇ. સી. એમ. આર.ની ગાઈડ લાઇન પ્રમાણે તાલીમ આપી છે.તેમની વ્યવસ્થાઓનું જરૂરી સર્ટિફિકેશન કર્યું છે.જેના પરિણામે આ સંસ્થાઓમાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટના સેમ્પલનું પરીક્ષણ શરૂ થતાં ખૂબ સરળતા થઈ છે.
મેડિકલ કોલેજ અને સયાજી હોસ્પિટલના અન્ય વિભાગોની સાથે માઈક્રો બાયોલોજી વિભાગ કોવિડ અને મ્યુકર રોગોના પડકારોમાં લોકોના જીવનની રક્ષામાં સમર્પિત યોગદાન આપી રહ્યો છે.આ વિભાગના કોરોના વોરિયરની સમર્પિત સેવાઓ સલામ ને પાત્ર છે.