કોરોના પછી મ્યુકરના દર્દીઓની જીવન રક્ષામાં ખૂબ અગત્યનું યોગદાન આપી રહ્યો છે બરોડા મેડિકલ કોલેજનો પેથોલોજી વિભાગ
છેલ્લા એક વર્ષ દરમિયાન સંભવિત કોરોનાના અંદાજે ૩૦ હજારથી વધુ દર્દીઓની સચોટ સારવારમાં ઉપયોગી અંદાજે દોઢ લાખથી વધુ વિવિધ પ્રકારના ટેસ્ટ આ વિભાગે કર્યા છે
મ્યુકર ના નિદાન માટે 500 થી વધુ બાયોપ્સી પરીક્ષણ આ વિભાગની હિસ્ટોપેથોલોજી લેબે કર્યા: ધારાસભ્ય અનુદાનથી ફાળવાયેલા બે અદ્યતન સેલ કાઉન્ટર યંત્રો ઉપયોગી બની રહેશે
[caption id="attachment_1225046" align="aligncenter" width="1280"] Gujarat, Sayaji Hospital Pathology Laboratry[/caption]
Watchgujarat. કોરોનાનું સંકટ પૂરેપૂરૂ શમ્યું નથી ત્યાં તો મ્યુકરે માથું ઊંચક્યું.છેલ્લા લગભગ સવા વર્ષ કરતાં વધુ સમયથી આ બંને અઘરાં તબીબી પડકારોમાં બરોડા મેડિકલ કોલેજ અને સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોએ સંકલિત રીતે અને અવિરત,ખૂબ ઉમદા આરોગ્ય સેવાઓ દ્વારા દર્દીઓની જીવનરક્ષા કરી છે.તેમાં બરોડા મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગે ખૂબ ઉમદા યોગદાન આપ્યું છે.તબીબી અધિક્ષક ડો.રંજનકૃષ્ણ ઐયર અને મેડિકલ કોલેજના ડીન ડો.તનુજા જાવડેકરના માર્ગદર્શન અને વિભાગના વડા ડો.સ્મિતા પટેલના નેતૃત્વ હેઠળ આ વિભાગે, આ બંને રોગોની સચોટ સારવાર નિર્ધારિત કરવામાં વિવિધ પ્રકારના પરીક્ષણો તાકીદના ધોરણે કરી ખૂબ ઉમદા મદદ કરી છે.આ વિભાગની ઉમદા કામગીરીમાં ડો.એમ.પી.દિઘે અને ડો.શ્રીલક્ષ્મી હિરયુરનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું છે.
આ વિભાગે છેલ્લા એક વર્ષ દરમિયાન સંભવિત કોરોનાના અંદાજે 30 હજારથી વધુ દર્દીઓની સચોટ સારવારમાં ઉપયોગી અંદાજે દોઢ લાખથી વધુ વિવિધ પ્રકારના ટેસ્ટ કર્યા છે.તેમાં કમ્પલિટ બ્લડ સેલ કાઉન્ટ, પેરિફેરલ સ્મિયર,બોડી ફ્લુઇડ અને કો ઓગ્યુલેસન ટેસ્ટ નો સમાવેશ થાય છે.
[caption id="attachment_1225047" align="aligncenter" width="960"] Gujarat, Sayaji Hospital Pathology Laboratry[/caption]
આ વિભાગમાં કાર્યરત સિનિયર અને જુનિયર તબીબો તેમજ ટેકનીસિયનોએ સતત કામ કરીને કોરોના કટોકટી દરમિયાન કોવિડના દર્દીઓની સારવાર ની ચોક્કસ રણનીતિ અપનાવવામાં ઉપયોગી થઇ પડે તેવા લેબ રીપોર્ટસ તાત્કાલિક ધોરણે બે થી ત્રણ કલાકમાં આપ્યા છે.
કોવિડની સાથે હવે પેથોલોજી વિભાગ મ્યુકર ની સારવાર નિર્ધારિત કરવામાં ઉપયોગી બાયોપ્સી રિપોર્ટ એટલી જ તત્પરતા સાથે આપી રહ્યો છે તેવી જાણકારી આપતાં ડો.સ્મિતા પટેલે જણાવ્યું કે, મ્યુકરના સચોટ નિદાન માટે વિભાગની હિસ્ટોપેથોલોજી પ્રયોગશાળાએ 500 થી વધુ બાયોપ્સી પરીક્ષણો કર્યા છે.રોજ રોજ આ કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે.વિભાગની હિસ્ટોપેથોલોજી અને સાયટોલોજી લેબ ખાતે
સતત કેસોની બાયોપ્સી સ્વીકારી યુદ્ધના ધોરણે બે દિવસમાં પ્રોસેસ કરવામાં આવે છે.સામાન્ય સંજોગોમાં આ પ્રક્રિયામાં 3 – 4 દિવસ લાગે છે.આવશ્યક કેસોમાં ફંગસ માટેની ખાસ સ્ટેઇન કરી કન્ફર્મ કરવામાં આવે છે.
[caption id="attachment_1225048" align="aligncenter" width="960"] Gujarat, Sayaji Hospital Pathology Laboratry[/caption]
અત્યંત ગંભીર દર્દીઓનું તાત્કાલિક નિદાન અનિવાર્ય હોય છે.તેને અનુલક્ષીને સાયટોલોજી લેબમાં વિશેષ ઇમ્પ્રીન્ટ સ્મિયર ટેસ્ટ કરવામાં આવે છે અને તેના પર સ્પેશિયલ સ્ટેઇન કરી 3 – 4 કલાકમાં લેબ રિપોર્ટ આપી દેવાય છે.સામાન્ય સંજોગોમાં પ્રક્રિયામાં એક થી બે દિવસનો સમય લાગી જાય છે.
સયાજી હોસ્પિટલ અને પેથોલોજી વિભાગને હાલમાં ધારાસભ્યશ્રીના અનુદાનમાંથી બે અદ્યતન સેલ કાઉન્ટર યંત્રો ફાળવવામાં આવ્યા છે જે દર્દીઓના કંપ્લિટ બ્લડ સેલ કાઉન્ટ ટેસ્ટમાં ખૂબ ઉપયોગી બનશે.રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ સમયાંતરે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે.
કોરોના અને મ્યુકર તો પ્રાસંગિક છે.વાસ્તવમાં ઘણાં બધાં રોગોના નિદાન અને સારવારમાં પેથોલોજી વિભાગ અને તેની પ્રયોગશાળાઓ દ્વારા કરવામાં આવતા તબીબી પરીક્ષણો ખૂબ જ નિર્ણાયક અગત્યતા ધરાવે છે.એટલે આ વિભાગ સર્વકાલીન મહત્વનો અને આરોગ્ય સેવાની કરોડરજ્જુ સમાન છે.
કોરોના પછી મ્યુકરના દર્દીઓની જીવન રક્ષામાં ખૂબ અગત્યનું યોગદાન આપી રહ્યો છે બરોડા મેડિકલ કોલેજનો પેથોલોજી વિભાગ
છેલ્લા એક વર્ષ દરમિયાન સંભવિત કોરોનાના અંદાજે ૩૦ હજારથી વધુ દર્દીઓની સચોટ સારવારમાં ઉપયોગી અંદાજે દોઢ લાખથી વધુ વિવિધ પ્રકારના ટેસ્ટ આ વિભાગે કર્યા છે
મ્યુકર ના નિદાન માટે 500 થી વધુ બાયોપ્સી પરીક્ષણ આ વિભાગની હિસ્ટોપેથોલોજી લેબે કર્યા: ધારાસભ્ય અનુદાનથી ફાળવાયેલા બે અદ્યતન સેલ કાઉન્ટર યંત્રો ઉપયોગી બની રહેશે
Watchgujarat. કોરોનાનું સંકટ પૂરેપૂરૂ શમ્યું નથી ત્યાં તો મ્યુકરે માથું ઊંચક્યું.છેલ્લા લગભગ સવા વર્ષ કરતાં વધુ સમયથી આ બંને અઘરાં તબીબી પડકારોમાં બરોડા મેડિકલ કોલેજ અને સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોએ સંકલિત રીતે અને અવિરત,ખૂબ ઉમદા આરોગ્ય સેવાઓ દ્વારા દર્દીઓની જીવનરક્ષા કરી છે.તેમાં બરોડા મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગે ખૂબ ઉમદા યોગદાન આપ્યું છે.તબીબી અધિક્ષક ડો.રંજનકૃષ્ણ ઐયર અને મેડિકલ કોલેજના ડીન ડો.તનુજા જાવડેકરના માર્ગદર્શન અને વિભાગના વડા ડો.સ્મિતા પટેલના નેતૃત્વ હેઠળ આ વિભાગે, આ બંને રોગોની સચોટ સારવાર નિર્ધારિત કરવામાં વિવિધ પ્રકારના પરીક્ષણો તાકીદના ધોરણે કરી ખૂબ ઉમદા મદદ કરી છે.આ વિભાગની ઉમદા કામગીરીમાં ડો.એમ.પી.દિઘે અને ડો.શ્રીલક્ષ્મી હિરયુરનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું છે.
આ વિભાગે છેલ્લા એક વર્ષ દરમિયાન સંભવિત કોરોનાના અંદાજે 30 હજારથી વધુ દર્દીઓની સચોટ સારવારમાં ઉપયોગી અંદાજે દોઢ લાખથી વધુ વિવિધ પ્રકારના ટેસ્ટ કર્યા છે.તેમાં કમ્પલિટ બ્લડ સેલ કાઉન્ટ, પેરિફેરલ સ્મિયર,બોડી ફ્લુઇડ અને કો ઓગ્યુલેસન ટેસ્ટ નો સમાવેશ થાય છે.
આ વિભાગમાં કાર્યરત સિનિયર અને જુનિયર તબીબો તેમજ ટેકનીસિયનોએ સતત કામ કરીને કોરોના કટોકટી દરમિયાન કોવિડના દર્દીઓની સારવાર ની ચોક્કસ રણનીતિ અપનાવવામાં ઉપયોગી થઇ પડે તેવા લેબ રીપોર્ટસ તાત્કાલિક ધોરણે બે થી ત્રણ કલાકમાં આપ્યા છે.
કોવિડની સાથે હવે પેથોલોજી વિભાગ મ્યુકર ની સારવાર નિર્ધારિત કરવામાં ઉપયોગી બાયોપ્સી રિપોર્ટ એટલી જ તત્પરતા સાથે આપી રહ્યો છે તેવી જાણકારી આપતાં ડો.સ્મિતા પટેલે જણાવ્યું કે, મ્યુકરના સચોટ નિદાન માટે વિભાગની હિસ્ટોપેથોલોજી પ્રયોગશાળાએ 500 થી વધુ બાયોપ્સી પરીક્ષણો કર્યા છે.રોજ રોજ આ કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે.વિભાગની હિસ્ટોપેથોલોજી અને સાયટોલોજી લેબ ખાતે
સતત કેસોની બાયોપ્સી સ્વીકારી યુદ્ધના ધોરણે બે દિવસમાં પ્રોસેસ કરવામાં આવે છે.સામાન્ય સંજોગોમાં આ પ્રક્રિયામાં 3 – 4 દિવસ લાગે છે.આવશ્યક કેસોમાં ફંગસ માટેની ખાસ સ્ટેઇન કરી કન્ફર્મ કરવામાં આવે છે.
અત્યંત ગંભીર દર્દીઓનું તાત્કાલિક નિદાન અનિવાર્ય હોય છે.તેને અનુલક્ષીને સાયટોલોજી લેબમાં વિશેષ ઇમ્પ્રીન્ટ સ્મિયર ટેસ્ટ કરવામાં આવે છે અને તેના પર સ્પેશિયલ સ્ટેઇન કરી 3 – 4 કલાકમાં લેબ રિપોર્ટ આપી દેવાય છે.સામાન્ય સંજોગોમાં પ્રક્રિયામાં એક થી બે દિવસનો સમય લાગી જાય છે.
સયાજી હોસ્પિટલ અને પેથોલોજી વિભાગને હાલમાં ધારાસભ્યશ્રીના અનુદાનમાંથી બે અદ્યતન સેલ કાઉન્ટર યંત્રો ફાળવવામાં આવ્યા છે જે દર્દીઓના કંપ્લિટ બ્લડ સેલ કાઉન્ટ ટેસ્ટમાં ખૂબ ઉપયોગી બનશે.રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ સમયાંતરે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે.
કોરોના અને મ્યુકર તો પ્રાસંગિક છે.વાસ્તવમાં ઘણાં બધાં રોગોના નિદાન અને સારવારમાં પેથોલોજી વિભાગ અને તેની પ્રયોગશાળાઓ દ્વારા કરવામાં આવતા તબીબી પરીક્ષણો ખૂબ જ નિર્ણાયક અગત્યતા ધરાવે છે.એટલે આ વિભાગ સર્વકાલીન મહત્વનો અને આરોગ્ય સેવાની કરોડરજ્જુ સમાન છે.