ડભોઇ પાસે તેનતલાવ ગામ આવેલું છે
તેનતલાવ પાસે આવેલી નહેરમાં અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી છે
બુધવારે સ્કોર્પિયો કાર નદીમાં ખાબકી હતી, સ્થાનિકોએ મહામહેનતે કારને બહાર કાઢી
ઘટના સ્થળે પોલીસે પહોંચીને વધુ કાર્યવાહી શરૂ કરી
WatchGujarat. તેનતલાવ નજીકની નહેર અત્યાર સુધીમાં બે ગોઝારા અકસ્માતની સાક્ષી બની છે. બુધવારે ડભોઇ નજીક આવેલા તેનતલાન પાસે આવેલી નહેરમાં સ્કોર્પિયો કાર ખાબકી હતી. જેને લઇને નહેર નજીક લોકટોળા એકઠા થયા હતા. ફાયરના લાશ્કરો ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા સ્થાનિકોએ પાણીમાં ગરકાવ થઇ ગયેલી સ્કોર્પિયો કારને બહાર કાઢી હતી. પ્રાથમિક સુત્ર પ્રમાણે, કારમાંથી એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવી હતી.
ડભોઇ પાસે તેનતલાવ ગામ આવેલું છે. તેનતલાવ પાસે નર્મદાની નહેર આવેલી છે. થોડાક સમય અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયેલા પરિવારની કાર તેનતલાવ નજીક આવેલી નહેરમાં ખાબકતાં તમામ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી. અકસ્માતમાં પરિવારના બાળકો પણ મૃત્યુ પામ્યા હતા. ઘટના બાદ પણ સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના કોઇ પગલા લેવામાં આવ્યા નથી. શું હજી વધુ લોકોના જીવ ગયા બાદ તંત્ર એક્શનમાં આવશે તેવી દહેશત સ્થાનિકોએ વ્યક્ત કરી છે.
https://youtu.be/C69EWT5n48o
બુધવારે સવારે તેનતલાવ નજીકથી પસાર થતી નહેરમાં કાર ખાબકી હોવાનું રાહદારીઓના ધ્યાને આવ્યું હતું. ફાયરના દેવેન્દ્રસિહે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાહદારીએ સમગ્ર મામલે આશરે 12-30 કલાકે ફાયર વિભાગને જાણ કરી હતી. સંદેશો મળતાની સાથે ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયરના લાશ્કરો ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા ગ્રામજનોએ ટ્રેક્ટર વડે ખેંચીને ગાડીને બહાર કાઢી લીધી હતી. કારમાંથી ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોઇ શકે છે.
ફાયરના લાશ્કરોએ ઘટના સ્થળ પર પહોંચીને પરત ફરવાનો વારો આવ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી. અને ઘટના સંબંધિત વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
ડભોઇ પાસે તેનતલાવ ગામ આવેલું છે
તેનતલાવ પાસે આવેલી નહેરમાં અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી છે
બુધવારે સ્કોર્પિયો કાર નદીમાં ખાબકી હતી, સ્થાનિકોએ મહામહેનતે કારને બહાર કાઢી
ઘટના સ્થળે પોલીસે પહોંચીને વધુ કાર્યવાહી શરૂ કરી
WatchGujarat. તેનતલાવ નજીકની નહેર અત્યાર સુધીમાં બે ગોઝારા અકસ્માતની સાક્ષી બની છે. બુધવારે ડભોઇ નજીક આવેલા તેનતલાન પાસે આવેલી નહેરમાં સ્કોર્પિયો કાર ખાબકી હતી. જેને લઇને નહેર નજીક લોકટોળા એકઠા થયા હતા. ફાયરના લાશ્કરો ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા સ્થાનિકોએ પાણીમાં ગરકાવ થઇ ગયેલી સ્કોર્પિયો કારને બહાર કાઢી હતી. પ્રાથમિક સુત્ર પ્રમાણે, કારમાંથી એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવી હતી.
ડભોઇ પાસે તેનતલાવ ગામ આવેલું છે. તેનતલાવ પાસે નર્મદાની નહેર આવેલી છે. થોડાક સમય અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયેલા પરિવારની કાર તેનતલાવ નજીક આવેલી નહેરમાં ખાબકતાં તમામ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી. અકસ્માતમાં પરિવારના બાળકો પણ મૃત્યુ પામ્યા હતા. ઘટના બાદ પણ સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના કોઇ પગલા લેવામાં આવ્યા નથી. શું હજી વધુ લોકોના જીવ ગયા બાદ તંત્ર એક્શનમાં આવશે તેવી દહેશત સ્થાનિકોએ વ્યક્ત કરી છે.
બુધવારે સવારે તેનતલાવ નજીકથી પસાર થતી નહેરમાં કાર ખાબકી હોવાનું રાહદારીઓના ધ્યાને આવ્યું હતું. ફાયરના દેવેન્દ્રસિહે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાહદારીએ સમગ્ર મામલે આશરે 12-30 કલાકે ફાયર વિભાગને જાણ કરી હતી. સંદેશો મળતાની સાથે ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયરના લાશ્કરો ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા ગ્રામજનોએ ટ્રેક્ટર વડે ખેંચીને ગાડીને બહાર કાઢી લીધી હતી. કારમાંથી ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોઇ શકે છે.
ફાયરના લાશ્કરોએ ઘટના સ્થળ પર પહોંચીને પરત ફરવાનો વારો આવ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી. અને ઘટના સંબંધિત વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.