સેન્ટ્રલ જેલમાં અજ્જુ કાણીયાની હત્યા બાદ ફરી હિંસક ઘટનાઓ સામે આવવા લાગી
છેલ્લા 48 કલાકમાં બે ઘટનાને પગલે જેલમાં ફરજ બજાવતા કર્મીઓ તથઆ સિપાહીઓની સુરક્ષા સામે સવાલ ખડા થયા
હિંસાના બંને મામલે જેસ પ્રસાશને ગણતરીના સમયમાં કાબુ મેળવી લીધો
Watchgujarat. વડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લા 48 કલાકમાં હિંસાના બે બનાવો સામે આવ્યા હતા. જેને લઇને જેલમાં કેદીઓ અને ફરજ બજાતવા કર્મીઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠ્યા છે. અગાઉ કેદી દ્વારા ફોન નહિ કરવા દેવા મુદ્દે સિપાહી પર ઇંટના ટુકડાનો છુટ્ટો ઘા કરવામાં આવ્યો હતો. તો ગત રોજ રોઝા તોડતી વખતે બે જુથના કેદીઓ આમને - સામને આવી ગયા હતા. અને મારામારી થઇ હતી. જો કે, જેલ પ્રસાશને ગણતરીના સમયમાં મામલો થાળે પાડી દીધો હતો.
વડોદરા સેન્ટ્રલ ખાતે અનેક ખુંખાર કેદીઓ સજા કાપી રહ્યા છે. ગત વર્ષે વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા અજ્જુ કાણીયાના ગળે લોખંડની પટ્ટી ફેરવીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. જો કે ત્યાર બાદથી જેલમાં કોઇ માથાકુટ થઇ હોવાની ઘટના સામે આવી ન હતી. પરંતુ છેલ્લા 48 કલાકમાં સેન્ટ્રલ જેલમાં હિંસાની બે ઘટનાઓ સામે આવી હતી.
હિંસાની પહેલી ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાની સેન્ટ્રલ જેલમાં હર્ષદભાઈ પરમાર જેલમાં જનરલ સૂબેદાર તમામ કેદીઓ ઉપર તથા જેલની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખીને અધિક્ષક પોલીસ અધિકારીને રાઉન્ડ દરમિયાન લઈ જવાનું કામ કરતા હતા.દરમિયાન સોમવારે રાબેતા મુજબ યાર્ડ નં-12, 11, 10 ,9 ,8 અને 7 નો રાઉન્ડ હતો, જેથી તેઓ અધિકારી તથા બોર્ડવિંગના જવાન સાથે રાઉન્ડ પૂરો કરી તમામ કેદીઓની રજૂઆત સાંભળી હતી.
દરમિયાન બેરેક નંબર 1, 2 અને 4 કોરોના વાઇરસના સંક્રમણની ના પગલે ક્વોરન્ટીન કરી હતી અને ક્વોરન્ટીન ના હોય તેવા કેદીઓ બહાર લાઈનમાં ઊભા હતા. જે પૈકી કાચા કામનો કેદી અભિજીત ઉર્ફે અભી આનંદભાઈ ઝાએ અચાનક ઇટના ટુકડાનો ઘા કરતા સુબેદાર બચી ગયા હતા, ત્યાર બાદ હુમલાખોર કેદીએ હાજર સ્ટાફ તથા બોર્ડર વિંગ જવાનો જવાને હુમલો કરવાના ઈરાદે ધસી આવતા તે કેદીને અટકાવ્યો હતો.
બીજી ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા સેન્ટ્રલ જેલમાં રોઝા રાખતા કેદીઓને અપાતા ભોજન મુદ્દે બે જૂથ સામસામે આવી ગયા હતાં. રોઝા છોડવાના સમયે થયેલી આ મારામારી વધુ વણસે તે પહેલાં જ જેલ સિપાહિઓએ સ્થિતિ પર અંકુશ મેળવી લીધો હતો. જો કે, આ અંગે જેલ સત્તાધીશો પાસેથી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ શકી ન હતી.
સેન્ટ્રલ જેલમાં અજ્જુ કાણીયાની હત્યા બાદ ફરી હિંસક ઘટનાઓ સામે આવવા લાગી
છેલ્લા 48 કલાકમાં બે ઘટનાને પગલે જેલમાં ફરજ બજાવતા કર્મીઓ તથઆ સિપાહીઓની સુરક્ષા સામે સવાલ ખડા થયા
હિંસાના બંને મામલે જેસ પ્રસાશને ગણતરીના સમયમાં કાબુ મેળવી લીધો
Watchgujarat. વડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લા 48 કલાકમાં હિંસાના બે બનાવો સામે આવ્યા હતા. જેને લઇને જેલમાં કેદીઓ અને ફરજ બજાતવા કર્મીઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠ્યા છે. અગાઉ કેદી દ્વારા ફોન નહિ કરવા દેવા મુદ્દે સિપાહી પર ઇંટના ટુકડાનો છુટ્ટો ઘા કરવામાં આવ્યો હતો. તો ગત રોજ રોઝા તોડતી વખતે બે જુથના કેદીઓ આમને - સામને આવી ગયા હતા. અને મારામારી થઇ હતી. જો કે, જેલ પ્રસાશને ગણતરીના સમયમાં મામલો થાળે પાડી દીધો હતો.
વડોદરા સેન્ટ્રલ ખાતે અનેક ખુંખાર કેદીઓ સજા કાપી રહ્યા છે. ગત વર્ષે વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા અજ્જુ કાણીયાના ગળે લોખંડની પટ્ટી ફેરવીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. જો કે ત્યાર બાદથી જેલમાં કોઇ માથાકુટ થઇ હોવાની ઘટના સામે આવી ન હતી. પરંતુ છેલ્લા 48 કલાકમાં સેન્ટ્રલ જેલમાં હિંસાની બે ઘટનાઓ સામે આવી હતી.
હિંસાની પહેલી ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાની સેન્ટ્રલ જેલમાં હર્ષદભાઈ પરમાર જેલમાં જનરલ સૂબેદાર તમામ કેદીઓ ઉપર તથા જેલની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખીને અધિક્ષક પોલીસ અધિકારીને રાઉન્ડ દરમિયાન લઈ જવાનું કામ કરતા હતા.દરમિયાન સોમવારે રાબેતા મુજબ યાર્ડ નં-12, 11, 10 ,9 ,8 અને 7 નો રાઉન્ડ હતો, જેથી તેઓ અધિકારી તથા બોર્ડવિંગના જવાન સાથે રાઉન્ડ પૂરો કરી તમામ કેદીઓની રજૂઆત સાંભળી હતી.
દરમિયાન બેરેક નંબર 1, 2 અને 4 કોરોના વાઇરસના સંક્રમણની ના પગલે ક્વોરન્ટીન કરી હતી અને ક્વોરન્ટીન ના હોય તેવા કેદીઓ બહાર લાઈનમાં ઊભા હતા. જે પૈકી કાચા કામનો કેદી અભિજીત ઉર્ફે અભી આનંદભાઈ ઝાએ અચાનક ઇટના ટુકડાનો ઘા કરતા સુબેદાર બચી ગયા હતા, ત્યાર બાદ હુમલાખોર કેદીએ હાજર સ્ટાફ તથા બોર્ડર વિંગ જવાનો જવાને હુમલો કરવાના ઈરાદે ધસી આવતા તે કેદીને અટકાવ્યો હતો.
બીજી ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા સેન્ટ્રલ જેલમાં રોઝા રાખતા કેદીઓને અપાતા ભોજન મુદ્દે બે જૂથ સામસામે આવી ગયા હતાં. રોઝા છોડવાના સમયે થયેલી આ મારામારી વધુ વણસે તે પહેલાં જ જેલ સિપાહિઓએ સ્થિતિ પર અંકુશ મેળવી લીધો હતો. જો કે, આ અંગે જેલ સત્તાધીશો પાસેથી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ શકી ન હતી.