સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા લોકો માટે કમાટીબાગ બનાવ્યું હતું.
કમાટીબાગના નવિનીકરણમાં કોન્ટ્રાક્ટરે પૈસા બચાવવા માટે બાળકોને મજુરીમાં ધકેલ્યા
બાળમજુરીમાંથી મુક્ત કરાયેલા 17 બાળકોને કેર સેન્ટરમાં મુકવામાં આવ્યા
WatchGujarat. રાજ્યભરના બાળકો માટે કમાટીબાગ મનોરંજનનું કેન્દ્ર છે. કમાટીબાગના નવિનીકરણમાં કોન્ટ્રાક્ટર દ્વારા સગીર વયના બાળકો પાસે બાંધકામ કરાવાતા હ્યુમન ટ્રાફીકીંગની ટીમે શુક્રવારે સવારે દરોડા પાડ્યા હતા. દરોડામાં કુલ 17 જેટલા બાળકોને બાળમજુરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. અને કોન્ટ્રાક્ટ લેનાર ફર્મ શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ. પ્રા. લી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા લોકો માટે કમાટીબાગ બનાવ્યું હતું. આજે પણ તેની લોકપ્રિયતા કાયમ છે. હાલ કમાટીબાગના નવિનીકરણની કામગીરી ચાલી રહી છે. તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા વિવિધ વિભાગોમાં બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરને નેતૃત્વમાં કામ કરતી બાળશ્રમનાબુદી ટાસ્ક ફોર્સ દ્વારા વિવિધ જગ્યાઓ પર કામ કરતા બાળમજુરોની ભાળ મેળવવામાં આવે છે.
જેમાં નાયબ શ્રમ આયુક્ત વડોદરાની ટીમ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઇલ્ડ લાઇન વડોદરા, એન. સી. એલ પી. સ્ટાફ ની ટીમ સંયુક્ત રીતે કામગીરી કરતી હોય છે. શુક્રવારે સવારે ટીમ દ્વારા કમાટીબાગમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન કમાટીબાગમાં પક્ષીઘરની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા 17 બાળમજુરોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. સવારે કરવામાં આવેલી કામગીરીને પગલે સ્થળ પર લોકટોળા ઉમટ્યા હતા.
વધુ પૈસા કમાવવાની લાલચે બાળકોને મજુરી તરફ ધકેલવામાં આવે છે
કમાટીબાગના નવિનીકરણમાં કોન્ટ્રાક્ટક દ્વારા ઉંચા ભાવે ટેન્ડર મંજુર કરાવવામાં આવે છે. પૈસા બચાવવા માટે રમવાની ઉંમરે બાળકોને મજુરી તરફ ધકેલવામાં પણ લાલચીઓ અટકાતા નથી. શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ. પ્રા.લી. દ્વારા પૈસા બચાવવા માટે બાળકોને મજુરી તરફ ધકેલવામાં આવ્યા હોઇ શકાય છે. જો કે, બાળમજુરી અટકાવવા માટે કામ કરતી ટાસ્ક ફોર્સ દ્વારા 17 બાળકોને મુક્ત કરાવી તેમનું બચપન જીવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કોન્ટ્રાક્ટ લેનાર ફર્મ સામે પોલીસ ફરિયાદ કરાઇ
શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ. પ્રા. લી દ્વારા કમાટીબાગના નવિનીકરણનો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા 17 બાળકોના બાળપણનું શોષણ કરીને તેમને મજુરી તરફ ધકેલવામાં આવ્યા હતા. બાળકો પાસેથી મજુરી કરાવનાર ફર્મ શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ. પ્રા. લી સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આવનાર સમયમાં ફર્મ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મજુરીમાંથી મુક્ત કરાયેલા બાળકોની સારી સારસંભાળ માટે કેર સેન્ટરમાં મુકાયા
કમાટીબાગમાંથી મુક્ત કરાયેલા 17 જેટલા બાળકોની સારી સારસંભાળ થાય તે માટે તમામને અલગ અલગ કેર સેન્ટરમાં મુકવામાં આવ્યા હતા. ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના આદેશથી 10 બાળકીઓને હરસિદ્ધિ એજ્યુકેશન ટ્રસ્ટ, કોયલી, ખાતે તેમજ 07 બાળકો ને બાલગોકુલમ ભૂતડીઝાપા,વડોદરા ખાતે સારસંભાળ માટે દાખલ કરાવવામાં આવ્યા હતા.
સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા લોકો માટે કમાટીબાગ બનાવ્યું હતું.
કમાટીબાગના નવિનીકરણમાં કોન્ટ્રાક્ટરે પૈસા બચાવવા માટે બાળકોને મજુરીમાં ધકેલ્યા
બાળમજુરીમાંથી મુક્ત કરાયેલા 17 બાળકોને કેર સેન્ટરમાં મુકવામાં આવ્યા
WatchGujarat. રાજ્યભરના બાળકો માટે કમાટીબાગ મનોરંજનનું કેન્દ્ર છે. કમાટીબાગના નવિનીકરણમાં કોન્ટ્રાક્ટર દ્વારા સગીર વયના બાળકો પાસે બાંધકામ કરાવાતા હ્યુમન ટ્રાફીકીંગની ટીમે શુક્રવારે સવારે દરોડા પાડ્યા હતા. દરોડામાં કુલ 17 જેટલા બાળકોને બાળમજુરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. અને કોન્ટ્રાક્ટ લેનાર ફર્મ શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ. પ્રા. લી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા લોકો માટે કમાટીબાગ બનાવ્યું હતું. આજે પણ તેની લોકપ્રિયતા કાયમ છે. હાલ કમાટીબાગના નવિનીકરણની કામગીરી ચાલી રહી છે. તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા વિવિધ વિભાગોમાં બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરને નેતૃત્વમાં કામ કરતી બાળશ્રમનાબુદી ટાસ્ક ફોર્સ દ્વારા વિવિધ જગ્યાઓ પર કામ કરતા બાળમજુરોની ભાળ મેળવવામાં આવે છે.
જેમાં નાયબ શ્રમ આયુક્ત વડોદરાની ટીમ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઇલ્ડ લાઇન વડોદરા, એન. સી. એલ પી. સ્ટાફ ની ટીમ સંયુક્ત રીતે કામગીરી કરતી હોય છે. શુક્રવારે સવારે ટીમ દ્વારા કમાટીબાગમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન કમાટીબાગમાં પક્ષીઘરની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા 17 બાળમજુરોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. સવારે કરવામાં આવેલી કામગીરીને પગલે સ્થળ પર લોકટોળા ઉમટ્યા હતા.
વધુ પૈસા કમાવવાની લાલચે બાળકોને મજુરી તરફ ધકેલવામાં આવે છે
કમાટીબાગના નવિનીકરણમાં કોન્ટ્રાક્ટક દ્વારા ઉંચા ભાવે ટેન્ડર મંજુર કરાવવામાં આવે છે. પૈસા બચાવવા માટે રમવાની ઉંમરે બાળકોને મજુરી તરફ ધકેલવામાં પણ લાલચીઓ અટકાતા નથી. શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ. પ્રા.લી. દ્વારા પૈસા બચાવવા માટે બાળકોને મજુરી તરફ ધકેલવામાં આવ્યા હોઇ શકાય છે. જો કે, બાળમજુરી અટકાવવા માટે કામ કરતી ટાસ્ક ફોર્સ દ્વારા 17 બાળકોને મુક્ત કરાવી તેમનું બચપન જીવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કોન્ટ્રાક્ટ લેનાર ફર્મ સામે પોલીસ ફરિયાદ કરાઇ
શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ. પ્રા. લી દ્વારા કમાટીબાગના નવિનીકરણનો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા 17 બાળકોના બાળપણનું શોષણ કરીને તેમને મજુરી તરફ ધકેલવામાં આવ્યા હતા. બાળકો પાસેથી મજુરી કરાવનાર ફર્મ શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ. પ્રા. લી સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આવનાર સમયમાં ફર્મ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મજુરીમાંથી મુક્ત કરાયેલા બાળકોની સારી સારસંભાળ માટે કેર સેન્ટરમાં મુકાયા
કમાટીબાગમાંથી મુક્ત કરાયેલા 17 જેટલા બાળકોની સારી સારસંભાળ થાય તે માટે તમામને અલગ અલગ કેર સેન્ટરમાં મુકવામાં આવ્યા હતા. ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના આદેશથી 10 બાળકીઓને હરસિદ્ધિ એજ્યુકેશન ટ્રસ્ટ, કોયલી, ખાતે તેમજ 07 બાળકો ને બાલગોકુલમ ભૂતડીઝાપા,વડોદરા ખાતે સારસંભાળ માટે દાખલ કરાવવામાં આવ્યા હતા.