કોરોનાને કારણે વેપાર ધંધાની સાથે સિટી બસ સેવા પર પણ વિપરીત અસર પહોંચી
કોરોના કાળ પહેલા પ્રતિદીન 1.25 લાખ મુસાફરો બસમાં મુસાફરી કરતા હતા
હાલની સ્થિતીએ પ્રતિદીન 15 હજાર જેટલા જ મુસાફરો બસ સેવાનો લાભ લે છે
કોરોનાની રસી આપવાને કારણે મે ની શરૂઆત સુધીમાં સ્થિતી બદલાવવાનું અનુમાન - નરેન્દ્રસિંહ રાણા
WatchGujarat. કોરોના કાળમાં વેપાર ધંધાને માઠી અસર પહોંચી છે. તેની સાથે સાથે પબ્લીક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સિટી બસ સેવાને પણ ભારે અસર પહોંચવા પામી છે. કોરોનાની પહેલી વેવ બાદ સ્થિતી માંડ થાળે પડી જ હતી કે બીજી વેવ આક્રમક રીતે શરૂ થઇ હતી અને કોરોનાનું સંક્રમણ ઝડપી ફેલાવવાનું શરૂ થઇ ગયું હતું. કોરોના કાળ પહેલા અને હાલની સ્થિતી સિટી બસમાં મુસાફરી કરતા લોકોમાં 88 ટકા લોકોનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, સરકાર દ્વારા વેક્સીનેશન સઘન બનાવાતા એકાદ મહિનામાં સ્થિતી થાળે પડે તેવી આશા સિટી બસ સેવાના મેનેજરે વ્યક્ત કરી હતી.
[caption id="attachment_826798" align="aligncenter" width="786"] વિનાયક બસ સર્વિસના મેનેજર નરેન્દ્રસિંહ રાણા[/caption]
અગાઉ પ્રતિદીન સિટી બસમાં 1.25 લાખ લોકો મુસાફરી કરતા હતા
શહેરમાં સિટી બસ ચલાવતી વિનાયક બસ સર્વિસના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળ પહેલા લોકો મોટી સંખ્યામાં સિટી બસમાં મુસાફરી કરતા હતા. તે સમયે અમારા દ્વારા શહેરમાં 160 બસ દોડાવવામાં આવતી હતી. અને પ્રતિદીન સિટી બસમાં 1.25 લાખ લોકો મુસાફરી કરતા હતા. જો કે, કોરોના આવ્યા બાદથી સ્થિતી બદલાઇ છે.
કોરોનાના ભયને કારણે મુસાફરો ખુબ જ ઓછી સંખ્યામાં આવ્યા
કોરોના કાળમાં કોવિડ – 19 ગાઇડલાઇન્સ પ્રમાણે અમારા દ્વારા સિટી બસ સેવાનું સંચાલન કરવામાં આવતું હતું. પરંતુ કોરોનાના ભયને કારણે મુસાફરો ખુબ જ ઓછી સંખ્યામાં આવતા હતા. માર્ચ 2020 માં શરૂ થયેલા કોરોનાનું સંક્રમણ કાબુમાં આવ્યા બાદ બસ સેવા ધીમે ધીમે પુન: શરૂ થઇ રહી હતી. અને એક તબક્કે 40 હજાર જેટલા લોકો સિટી બસમાં મુસાફરી કરતા થયા હતા. જેને લઇને આશા બંધાઇ હતી. જો કે આશા લાંબો સમય રહી ન હતી.
મુસાફરોમાં ઘટાડો ચિંતાનો વિષય બન્યો
વધુમાં નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, હાલ શહેરમાં 120 જેટલી સિટી બસ દોડાવવામાં આવી રહી છે. જેમાં પ્રતિદીન 15 હજાર જેટલા મુસાફરો આવે છે. કોરોના કાળ પહેલાની સરખામણી અને હાલની સ્થિતીએ મુસાફરોની સંખ્યામાં 88 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. જે ચિંતા કરાવે તેવો વિષય છે.
રસીકરણના પ્રયાસોથી સ્થિતી જલ્દી સુધરે તેવી આશા
નરેન્દ્રસિંહ રાણાએ ઉમેર્યું કે, એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે. તો બીજી તરફ સરકાર દ્વારા કોરોનાની રસી આપવા માટેની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. જેને લઇને એપ્રીલ માસના અંતમાં અથવા તો મે માસની શરૂઆતમાં સ્થિતી થાળે પડે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. હાલ ઓછા મુસાફરોને કારણે સંચાલકોમાં ચિંતા તો જોવા મળી રહી છે. પરંતુ રસીકરણના પ્રયાસોથી સ્થિતી જલ્દી સુધરે તેવી આશા છે.
કોરોનાને કારણે વેપાર ધંધાની સાથે સિટી બસ સેવા પર પણ વિપરીત અસર પહોંચી
કોરોના કાળ પહેલા પ્રતિદીન 1.25 લાખ મુસાફરો બસમાં મુસાફરી કરતા હતા
હાલની સ્થિતીએ પ્રતિદીન 15 હજાર જેટલા જ મુસાફરો બસ સેવાનો લાભ લે છે
કોરોનાની રસી આપવાને કારણે મે ની શરૂઆત સુધીમાં સ્થિતી બદલાવવાનું અનુમાન - નરેન્દ્રસિંહ રાણા
WatchGujarat. કોરોના કાળમાં વેપાર ધંધાને માઠી અસર પહોંચી છે. તેની સાથે સાથે પબ્લીક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સિટી બસ સેવાને પણ ભારે અસર પહોંચવા પામી છે. કોરોનાની પહેલી વેવ બાદ સ્થિતી માંડ થાળે પડી જ હતી કે બીજી વેવ આક્રમક રીતે શરૂ થઇ હતી અને કોરોનાનું સંક્રમણ ઝડપી ફેલાવવાનું શરૂ થઇ ગયું હતું. કોરોના કાળ પહેલા અને હાલની સ્થિતી સિટી બસમાં મુસાફરી કરતા લોકોમાં 88 ટકા લોકોનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, સરકાર દ્વારા વેક્સીનેશન સઘન બનાવાતા એકાદ મહિનામાં સ્થિતી થાળે પડે તેવી આશા સિટી બસ સેવાના મેનેજરે વ્યક્ત કરી હતી.
અગાઉ પ્રતિદીન સિટી બસમાં 1.25 લાખ લોકો મુસાફરી કરતા હતા
શહેરમાં સિટી બસ ચલાવતી વિનાયક બસ સર્વિસના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળ પહેલા લોકો મોટી સંખ્યામાં સિટી બસમાં મુસાફરી કરતા હતા. તે સમયે અમારા દ્વારા શહેરમાં 160 બસ દોડાવવામાં આવતી હતી. અને પ્રતિદીન સિટી બસમાં 1.25 લાખ લોકો મુસાફરી કરતા હતા. જો કે, કોરોના આવ્યા બાદથી સ્થિતી બદલાઇ છે.
કોરોનાના ભયને કારણે મુસાફરો ખુબ જ ઓછી સંખ્યામાં આવ્યા
કોરોના કાળમાં કોવિડ – 19 ગાઇડલાઇન્સ પ્રમાણે અમારા દ્વારા સિટી બસ સેવાનું સંચાલન કરવામાં આવતું હતું. પરંતુ કોરોનાના ભયને કારણે મુસાફરો ખુબ જ ઓછી સંખ્યામાં આવતા હતા. માર્ચ 2020 માં શરૂ થયેલા કોરોનાનું સંક્રમણ કાબુમાં આવ્યા બાદ બસ સેવા ધીમે ધીમે પુન: શરૂ થઇ રહી હતી. અને એક તબક્કે 40 હજાર જેટલા લોકો સિટી બસમાં મુસાફરી કરતા થયા હતા. જેને લઇને આશા બંધાઇ હતી. જો કે આશા લાંબો સમય રહી ન હતી.
મુસાફરોમાં ઘટાડો ચિંતાનો વિષય બન્યો
વધુમાં નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, હાલ શહેરમાં 120 જેટલી સિટી બસ દોડાવવામાં આવી રહી છે. જેમાં પ્રતિદીન 15 હજાર જેટલા મુસાફરો આવે છે. કોરોના કાળ પહેલાની સરખામણી અને હાલની સ્થિતીએ મુસાફરોની સંખ્યામાં 88 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. જે ચિંતા કરાવે તેવો વિષય છે.
રસીકરણના પ્રયાસોથી સ્થિતી જલ્દી સુધરે તેવી આશા
નરેન્દ્રસિંહ રાણાએ ઉમેર્યું કે, એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે. તો બીજી તરફ સરકાર દ્વારા કોરોનાની રસી આપવા માટેની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. જેને લઇને એપ્રીલ માસના અંતમાં અથવા તો મે માસની શરૂઆતમાં સ્થિતી થાળે પડે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. હાલ ઓછા મુસાફરોને કારણે સંચાલકોમાં ચિંતા તો જોવા મળી રહી છે. પરંતુ રસીકરણના પ્રયાસોથી સ્થિતી જલ્દી સુધરે તેવી આશા છે.