આજની મારી વાતની શરૂઆત હિંદી ચલચિત્રનાં સંવાદ સાથે... હકીકતે આ બે સંવાદ જ મારા છેલ્લાં ચાર-પાંચ દિવસોનાં અનુભવને સમજાવવામાં મદદરૂપ થશે...
પ્રથમ ચલચિત્ર: સરકાર, અભિનેતા: અમિતાભ બચ્ચન: - मणि, कितनी बार में समझाया तेरे को नजदीकी फायदा देखने से पहेले दुर का नुकशान सोचना चाहीये।
દ્વિતીય ચલચિત્ર: ઉરી, અભિનેતા:- વિક્કી કૌશલ:- How's the जोश...?
મારી વાત આગળ વઘારું એ પહેલા મારા પોતાનાં મારી વાત લખવાનાં બે મુખ્ય નિયમ... જે લખવું તે સાચું લખવું અને લખાણ ઈમાનદારીપુર્વકનું હોવું જોઈએ... છળ-કપટ વગરનું.
તો આગળ વઘીએ... આપણી એક ગુજરાતી કહેવત છે કે જોશમાં હોશ નહી ખોવાનાં... હમણાં બે દિવસ પહેલાં રાત્રીનાં ૧૧:૧૦ ની આસપાસ મારા પરમ સ્નેહી મિત્ર અને મોટાભાઈ સમાન શ્રીમાન શ્રી ભાવિકભાઈએ મને અંગત રીતે એક સંદેશો આપવો પડ્યો, Relax man, don't be abusive or abrasive. આગળની વાત પછી સર્વ પ્રથમ ભાવિકભાઈની માફી માંગી લંઉ કારણ કે મારી અંગત વાત એમની પણ અંગત વાત છે.. જે આમ જાહેર કરવાનો મને એકલાને હક્ક નથી... તેમ છતાં જાહેરમાં લખી રહયો છું એ મારો એમનાં પ્રત્યેનો આદરભાવ છે બીજું કશું નહી.
"મીઠા ઝાડનાં મુળિયા ન કાપવા" એ પણ એમની મને આપવામાં આવેલી અનેક ઉપયોગી સલાહમાંની એક સલાહ છે. ભાવિકભાઈ હું કદીએ મારા લક્ષ તરફ દુર્લક્ષ નથી રાખતો. તમને જરૂર થયું હશે કે અમિષએ આવેગમાં આવીને પંકજભાઈ સાથે તડાફડી કરી નાંખી પણ એવું જરાકપણ નોહતું. તમે એક વડીલ તરીકે મને સંભાળવાની તમારી જવાબદારી પુરેપુરી લાગણીથી નિભાવી જે બદલ હું આપનો સદાય આભારી રહીશ. તમે જ વિચારો આપણે કોઈ લોહીનું સગપણ નથી તેમ છતાં તમે મારી પડખે વડીલ બનીને ઉભા રહ્યાં અને મને વિચલીત ન થવાં દીઘો. જે બદલ ફરી એકવખત હું તમારો આભારી છું.
મારી અત્યાર સુઘીની વાત થોડી અટપટી અને સમજવામાં ઘુંધળી જણાતી હશે, હા ખરેખર જાણી જોઈને એ ઘુંધળી રાખવામાં આવી છે... ભાવિકભાઈ સિવાય મારા બે મિત્રો સૌરભ અને સ્વાગતને કદાચ મારી અત્યાર સુઘીની મારી રોજનીશી પ્રમાણમાં પુરતી સમજાય હશે એવી આશા રાખું છું.
"સ્થિર રહેવું" અને "જોશમાં આવવું" આ બન્ને વાક્ય રચના અને એનાં ભાવાર્થની આસપાસની મારે તમને સહુને આજે વાત કરવી છે. મારી આજની વાતની શરૂઆતમાં જે બે સંવાદો લખ્યાંં છે તે બન્ને સંવાદો સ્થિર રહેવાનું અને જોશમાં આવવાનું સમજાવવા માટે લખવામાં આવ્યાં છે. આપણે કદી એવો વિચાર કર્યો કે આ વાક્ય રચના જો બદલી નાખીએ તો...? એટલે "સ્થિરતા મેળવવી" અને "જોશમાં રહેવું". જીવનમાં "સ્થિરતા" મેળવવા માટે જરૂરી છે જ્ઞાન, અનુભવ અને વિચારોની શુઘ્ઘતા, મારે મન આ ત્રણ પ્રાથમિક જરૂરીયાત છે અને બાકી અનેક ગૌણ જરૂરીયાતો જીવનમાં સ્થિરતા મેળવવા માટે જરૂરી છે. જુના જમાનાની દિવાલ ઘડીયાળ યાદ છે...? જેમાં સેકન્ડ કાંટો નોહતો... નાનો કાંટો સ્થિર જણાતો અને મોટો કાંટો થોડીવારે પોતાની જગ્યા બદલાતો... આ જુની ઘડિયાળોમાં સેકન્ડ કાંટાની જગ્યા પર "લોલક" આવતું; જે અવિરતપણે ડોલ્યાં કરતું... યાદ છે...?
જ્ઞાન એ લોલક જેવું છે... અનુભવ મોટા કાંટા સમાન છે અને વિચારોની શુઘ્ઘતા કંઈક કંઈક નાના કાંટા જેવી છે. આ બઘું એક લયમાં રહે અને જયારે યોગ્ય સમય આવે ત્યારે જ ટકોરા પડે... ખરૂને...? મારા બાળપણમાં મારા દાદાને દિવસે બે દિવસે ઘરની બે, નાની અને મોટી બન્ને ઘડીયાળોને નિયમિત રીતે ચાવી ભરતાંં જોયા છે. ચાવી ભરવાની સાથે સાથે તેઓ પોતાનાં હાથની ઘડીયાળનો સમય અને ઘરની દિવાલ ઘડીયાળનો સમય એકબીજા સાથે મેળવી લેતાંં અને બઘું સમયસર કરી દેતાં. વિષય જ કપરો છે એટલે આજે દ્રષ્ટાંતો અને અનુભવોનો સથવારો લઈ રહ્યો છું. જો એ જુના જમાનાની ઘડીયાળોને માનવી સાથે સરખાવું તો ચાવી ભરવાવાળા તો અનેક છે પણ ટકોરો પાડવાવાળા ઓછા છે... કારણ લોકો એકાત્મતા નથી કેળવી શકાતાં... સ્થિરતા કેળવવા સૌથી જરૂરી તત્વ જ્ઞાનની અવગણનાં કરવામાં આવી છે. મને બઘું આવડે છે, મને બઘું સમજાય છે આ અભિગમ તમને ટકોરા પાડવાથી દુર લઈ જાય છે એટલું યાદ રાખજો. અને એટલે જ કદાચ આપણે રોજીંદી ભાષામાં "સ્થિર રેહવું" એવી વાક્ય રચનાનો પ્રયોગ વઘારે કરીએ છીએ... સ્થિર રહેવું એ અવિરત કાર્ય છે... રેહવું શબ્દનો અર્થ અંહીયા એજ છે... સતત, નિરંતર અને કાર્યરત. બંઘ થવાની રોકાવવાની કોઈ જગ્યા કે અવકાશ નથી.
સામાન્ય માનવી તરીકે આપણે નાનપણમાં સ્થિર જ હોય છે, ત્યારબાદ બુઘ્ઘિનાં અતિરેકથી દુષિત થઈને અસ્થિર થઈ જઈએ છીએ અને વળી પાછી સ્થિરતા મેળવવાં પ્રયત્નો કરતાંં રહીએ છીએ. જીવનાં સ્થિરતા મેળવવાનો અન્ય એક વિકલ્પ પણ છે... ભકિત અને સમર્પણ દ્વારા. પ્રથમ દ્રષ્ટીએ સરળ જણાતો આ માર્ગ કપરો છે એ જાણજો... "ભકિતનો મારગ એ શુરાનો મારગ" એ ઉકિત મને આજે અંહીયા સાર્થક જણાય રહી છે. કારણ કે અંહીયા ભકિત અને સમર્પણને સગવડીયું નથી ગણવાનું કે નથી આપણે પરમ ભકત્તો નરસિંહ મહેતા કે મીરાબાઈની વાત કરવાની. અંહીયા વાત જીવનની છે એટલે તમારો તમારા જીવન પ્રત્યેનાં અભિગમ માટે જરૂરી ભકિત અને સમર્પણ... આ ભકિત અને સમર્પણ નાના બાળકોમાં સહજભાવે હોય છે અને જેમ જેમ એ મોટા થતાં જાય તેમ તેમ આ સહજતા આછી થતી જાય છે... સરવાળે પાછલા બારણે જીવનમાં અસ્થિરતા આવે છે.
આજે મલહારની શાળામાં જવાનું થયું "Annual Day" નિમિત્તે... બાળમંદીરનાં બાળકોએ એમની સાચી શકિતનું પ્રદર્શન કર્યું અને લગભગ દોઢ કલાક અમારૂં સહુનું મનોરંજન કર્યું. આટલાં નાના બાળકો આટલી સુંદર રીતે દોઢ કલાક કેવી રીતે મંચ સાચવી શક્યાં...? તેઓ સ્થિર કેવી રીતે રહી શક્યાં...? બાળકો તો એકદમ ચંચળ હોય, સહેજ વારમાં ભુલે અને સહેજ વારમાંં યાદ કરે... તો મારો જવાબ છે "ભકિત" અને "સમર્પણ" થકી. મલહારનાં શિક્ષકોની તેમની શિક્ષક તરીકેનાં કાર્ય માટેની ભકિત અને એ ભકિતને કારણે મલહાર જેવાં ભુલકાઓનું સમર્પણ. જે લોકો પોતાનાં કાર્યને વરેલા હોય છે તેમનામાં ભકિત અને સમર્પણનો સમનવ્ય હોય છે... તમે તમારી રીતે તપાસી લેજો... મને વાંઘો નથી.
હવે વાત કરીએ "જોશની"...! જોશ વિશે મારે એટલું જ કહેવું છે કે "ઉરી" ચલચિત્રમાં 'મોહીત રાઈના" જોશમાંં આવી પ્રથમ પોતાનાં હોશ અને બાદમાં પોતાનો જીવ ખોઈ બેશે છે. જયારે 'વિક્કી કૌશલ" "જોશમાં" આવીને પણ "સ્થિરતા" ગુમાવતાં નથી. હા... પોતાનાં લક્ષને વરેલાં આવા કેટલાક વિરલાઓ પણ આપણી દુનિયામાં હજી આજે પણ હયાત, જીવિત અને હાજર છે. "ઉરી" ચલચિત્રમાં જે સમજાવવામાં આવ્યું છે એ એજ છે કે જયારે તમારી સાથે છળ કરવામાં આવે ત્યારે તમે "જોશમાંતો" આવી શકો છો પણ "હોશ" નથી ખોવી શકતાં અને તમારી "સ્થિરતા" તમારે અવશ્ય જાળવી રાખવાની છે.
મારી આજની વાતનાં અંતે મારો પોતાનો લખેલો એક સંવાદ સાદર રજુ છે... "દરેક છળનો જવાબ બળથી આપવો જરૂરી છે... પણ બળ કયું ઉપયોગમાં લેવું...? "આત્મબળ" (અલૌકિક) કે "શારીરિક બળ" (લૌકિક) એ તમારે જાતે નક્કી કરવાનું છે.
અમીષ જે. દાદાવાલા
(લખ્યા તારીખ 06/04/2019)
Share – Like – Comment
આજની મારી વાતની શરૂઆત હિંદી ચલચિત્રનાં સંવાદ સાથે... હકીકતે આ બે સંવાદ જ મારા છેલ્લાં ચાર-પાંચ દિવસોનાં અનુભવને સમજાવવામાં મદદરૂપ થશે...
પ્રથમ ચલચિત્ર: સરકાર, અભિનેતા: અમિતાભ બચ્ચન: - मणि, कितनी बार में समझाया तेरे को नजदीकी फायदा देखने से पहेले दुर का नुकशान सोचना चाहीये।
દ્વિતીય ચલચિત્ર: ઉરી, અભિનેતા:- વિક્કી કૌશલ:- How's the जोश...?
મારી વાત આગળ વઘારું એ પહેલા મારા પોતાનાં મારી વાત લખવાનાં બે મુખ્ય નિયમ... જે લખવું તે સાચું લખવું અને લખાણ ઈમાનદારીપુર્વકનું હોવું જોઈએ... છળ-કપટ વગરનું.
તો આગળ વઘીએ... આપણી એક ગુજરાતી કહેવત છે કે જોશમાં હોશ નહી ખોવાનાં... હમણાં બે દિવસ પહેલાં રાત્રીનાં ૧૧:૧૦ ની આસપાસ મારા પરમ સ્નેહી મિત્ર અને મોટાભાઈ સમાન શ્રીમાન શ્રી ભાવિકભાઈએ મને અંગત રીતે એક સંદેશો આપવો પડ્યો, Relax man, don't be abusive or abrasive. આગળની વાત પછી સર્વ પ્રથમ ભાવિકભાઈની માફી માંગી લંઉ કારણ કે મારી અંગત વાત એમની પણ અંગત વાત છે.. જે આમ જાહેર કરવાનો મને એકલાને હક્ક નથી... તેમ છતાં જાહેરમાં લખી રહયો છું એ મારો એમનાં પ્રત્યેનો આદરભાવ છે બીજું કશું નહી.
"મીઠા ઝાડનાં મુળિયા ન કાપવા" એ પણ એમની મને આપવામાં આવેલી અનેક ઉપયોગી સલાહમાંની એક સલાહ છે. ભાવિકભાઈ હું કદીએ મારા લક્ષ તરફ દુર્લક્ષ નથી રાખતો. તમને જરૂર થયું હશે કે અમિષએ આવેગમાં આવીને પંકજભાઈ સાથે તડાફડી કરી નાંખી પણ એવું જરાકપણ નોહતું. તમે એક વડીલ તરીકે મને સંભાળવાની તમારી જવાબદારી પુરેપુરી લાગણીથી નિભાવી જે બદલ હું આપનો સદાય આભારી રહીશ. તમે જ વિચારો આપણે કોઈ લોહીનું સગપણ નથી તેમ છતાં તમે મારી પડખે વડીલ બનીને ઉભા રહ્યાં અને મને વિચલીત ન થવાં દીઘો. જે બદલ ફરી એકવખત હું તમારો આભારી છું.
મારી અત્યાર સુઘીની વાત થોડી અટપટી અને સમજવામાં ઘુંધળી જણાતી હશે, હા ખરેખર જાણી જોઈને એ ઘુંધળી રાખવામાં આવી છે... ભાવિકભાઈ સિવાય મારા બે મિત્રો સૌરભ અને સ્વાગતને કદાચ મારી અત્યાર સુઘીની મારી રોજનીશી પ્રમાણમાં પુરતી સમજાય હશે એવી આશા રાખું છું.
"સ્થિર રહેવું" અને "જોશમાં આવવું" આ બન્ને વાક્ય રચના અને એનાં ભાવાર્થની આસપાસની મારે તમને સહુને આજે વાત કરવી છે. મારી આજની વાતની શરૂઆતમાં જે બે સંવાદો લખ્યાંં છે તે બન્ને સંવાદો સ્થિર રહેવાનું અને જોશમાં આવવાનું સમજાવવા માટે લખવામાં આવ્યાં છે. આપણે કદી એવો વિચાર કર્યો કે આ વાક્ય રચના જો બદલી નાખીએ તો...? એટલે "સ્થિરતા મેળવવી" અને "જોશમાં રહેવું". જીવનમાં "સ્થિરતા" મેળવવા માટે જરૂરી છે જ્ઞાન, અનુભવ અને વિચારોની શુઘ્ઘતા, મારે મન આ ત્રણ પ્રાથમિક જરૂરીયાત છે અને બાકી અનેક ગૌણ જરૂરીયાતો જીવનમાં સ્થિરતા મેળવવા માટે જરૂરી છે. જુના જમાનાની દિવાલ ઘડીયાળ યાદ છે...? જેમાં સેકન્ડ કાંટો નોહતો... નાનો કાંટો સ્થિર જણાતો અને મોટો કાંટો થોડીવારે પોતાની જગ્યા બદલાતો... આ જુની ઘડિયાળોમાં સેકન્ડ કાંટાની જગ્યા પર "લોલક" આવતું; જે અવિરતપણે ડોલ્યાં કરતું... યાદ છે...?
જ્ઞાન એ લોલક જેવું છે... અનુભવ મોટા કાંટા સમાન છે અને વિચારોની શુઘ્ઘતા કંઈક કંઈક નાના કાંટા જેવી છે. આ બઘું એક લયમાં રહે અને જયારે યોગ્ય સમય આવે ત્યારે જ ટકોરા પડે... ખરૂને...? મારા બાળપણમાં મારા દાદાને દિવસે બે દિવસે ઘરની બે, નાની અને મોટી બન્ને ઘડીયાળોને નિયમિત રીતે ચાવી ભરતાંં જોયા છે. ચાવી ભરવાની સાથે સાથે તેઓ પોતાનાં હાથની ઘડીયાળનો સમય અને ઘરની દિવાલ ઘડીયાળનો સમય એકબીજા સાથે મેળવી લેતાંં અને બઘું સમયસર કરી દેતાં. વિષય જ કપરો છે એટલે આજે દ્રષ્ટાંતો અને અનુભવોનો સથવારો લઈ રહ્યો છું. જો એ જુના જમાનાની ઘડીયાળોને માનવી સાથે સરખાવું તો ચાવી ભરવાવાળા તો અનેક છે પણ ટકોરો પાડવાવાળા ઓછા છે... કારણ લોકો એકાત્મતા નથી કેળવી શકાતાં... સ્થિરતા કેળવવા સૌથી જરૂરી તત્વ જ્ઞાનની અવગણનાં કરવામાં આવી છે. મને બઘું આવડે છે, મને બઘું સમજાય છે આ અભિગમ તમને ટકોરા પાડવાથી દુર લઈ જાય છે એટલું યાદ રાખજો. અને એટલે જ કદાચ આપણે રોજીંદી ભાષામાં "સ્થિર રેહવું" એવી વાક્ય રચનાનો પ્રયોગ વઘારે કરીએ છીએ... સ્થિર રહેવું એ અવિરત કાર્ય છે... રેહવું શબ્દનો અર્થ અંહીયા એજ છે... સતત, નિરંતર અને કાર્યરત. બંઘ થવાની રોકાવવાની કોઈ જગ્યા કે અવકાશ નથી.
સામાન્ય માનવી તરીકે આપણે નાનપણમાં સ્થિર જ હોય છે, ત્યારબાદ બુઘ્ઘિનાં અતિરેકથી દુષિત થઈને અસ્થિર થઈ જઈએ છીએ અને વળી પાછી સ્થિરતા મેળવવાં પ્રયત્નો કરતાંં રહીએ છીએ. જીવનાં સ્થિરતા મેળવવાનો અન્ય એક વિકલ્પ પણ છે... ભકિત અને સમર્પણ દ્વારા. પ્રથમ દ્રષ્ટીએ સરળ જણાતો આ માર્ગ કપરો છે એ જાણજો... "ભકિતનો મારગ એ શુરાનો મારગ" એ ઉકિત મને આજે અંહીયા સાર્થક જણાય રહી છે. કારણ કે અંહીયા ભકિત અને સમર્પણને સગવડીયું નથી ગણવાનું કે નથી આપણે પરમ ભકત્તો નરસિંહ મહેતા કે મીરાબાઈની વાત કરવાની. અંહીયા વાત જીવનની છે એટલે તમારો તમારા જીવન પ્રત્યેનાં અભિગમ માટે જરૂરી ભકિત અને સમર્પણ... આ ભકિત અને સમર્પણ નાના બાળકોમાં સહજભાવે હોય છે અને જેમ જેમ એ મોટા થતાં જાય તેમ તેમ આ સહજતા આછી થતી જાય છે... સરવાળે પાછલા બારણે જીવનમાં અસ્થિરતા આવે છે.
આજે મલહારની શાળામાં જવાનું થયું "Annual Day" નિમિત્તે... બાળમંદીરનાં બાળકોએ એમની સાચી શકિતનું પ્રદર્શન કર્યું અને લગભગ દોઢ કલાક અમારૂં સહુનું મનોરંજન કર્યું. આટલાં નાના બાળકો આટલી સુંદર રીતે દોઢ કલાક કેવી રીતે મંચ સાચવી શક્યાં...? તેઓ સ્થિર કેવી રીતે રહી શક્યાં...? બાળકો તો એકદમ ચંચળ હોય, સહેજ વારમાં ભુલે અને સહેજ વારમાંં યાદ કરે... તો મારો જવાબ છે "ભકિત" અને "સમર્પણ" થકી. મલહારનાં શિક્ષકોની તેમની શિક્ષક તરીકેનાં કાર્ય માટેની ભકિત અને એ ભકિતને કારણે મલહાર જેવાં ભુલકાઓનું સમર્પણ. જે લોકો પોતાનાં કાર્યને વરેલા હોય છે તેમનામાં ભકિત અને સમર્પણનો સમનવ્ય હોય છે... તમે તમારી રીતે તપાસી લેજો... મને વાંઘો નથી.
હવે વાત કરીએ "જોશની"...! જોશ વિશે મારે એટલું જ કહેવું છે કે "ઉરી" ચલચિત્રમાં 'મોહીત રાઈના" જોશમાંં આવી પ્રથમ પોતાનાં હોશ અને બાદમાં પોતાનો જીવ ખોઈ બેશે છે. જયારે 'વિક્કી કૌશલ" "જોશમાં" આવીને પણ "સ્થિરતા" ગુમાવતાં નથી. હા... પોતાનાં લક્ષને વરેલાં આવા કેટલાક વિરલાઓ પણ આપણી દુનિયામાં હજી આજે પણ હયાત, જીવિત અને હાજર છે. "ઉરી" ચલચિત્રમાં જે સમજાવવામાં આવ્યું છે એ એજ છે કે જયારે તમારી સાથે છળ કરવામાં આવે ત્યારે તમે "જોશમાંતો" આવી શકો છો પણ "હોશ" નથી ખોવી શકતાં અને તમારી "સ્થિરતા" તમારે અવશ્ય જાળવી રાખવાની છે.
મારી આજની વાતનાં અંતે મારો પોતાનો લખેલો એક સંવાદ સાદર રજુ છે... "દરેક છળનો જવાબ બળથી આપવો જરૂરી છે... પણ બળ કયું ઉપયોગમાં લેવું...? "આત્મબળ" (અલૌકિક) કે "શારીરિક બળ" (લૌકિક) એ તમારે જાતે નક્કી કરવાનું છે.