મને મારી જવાબદારી સમજાવવા અને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો, મારે કોઈ ચર્ચા કરવી નથી, તમે જઈ શકો છો, એ ન ગયા એટલે મેં મારી ચેમ્બર છોડી : CDMO ડો. જે. એસ. દુલેરા
મગજ ઉપર પારો રાખી ચાલતા અધિકારીથી ભરૂચ કઈ રીતે કોરોનામુક્ત થશે, મુખ્ય આરોગ્ય અધિકારીને ક્યાં વિસ્તારોમાં સેન્ટરો છે અને કયામાં નથી તેની જાણ નથી : કોંગી કોર્પોરેટર સમસાદ અલી સૈયદ
એક જ વિસ્તારમાં આડેધડ 2 થી 3 સેન્ટર અને અન્ય વિસ્તારને અન્યાય, લોકોની ભીડ વધતા સંક્રમણ ફેલાવાનો ખતરો
વધુ સેન્ટરો કાર્યરત કરવા કોંગી પાલિકા સભ્યોની ચીફ ઓફિસરને પણ રજુઆત
WatchGujarat. ભાગલામાં વહેંચાયેલા ભરૂચ શહેરમાં વર્ષોથી પશ્ચિમ ભરૂચને એક યા બીજા કારણોસર અન્યાય થતો રહેતો હોવાની બુમો પ્રજા અને કોંગી આગેવાનો ઉઠાવતા રહ્યાં છે. રાજકારણનો આ મુદ્દો હવે કોરોના કાળમાં વેકસીન સેન્ટરોને લઈને પણ સોમવારે ઉઠ્યો છે.
https://youtu.be/oHIexJeONZ8
હાલ ભરૂચમાં 18 થી 44 અને 45 થી વધુ વય માટે શહેરમાં પણ વેકસીનેશન સેન્ટરો ચાલી રહ્યાં છે. જોકે 18 કે 44 વર્ષની વય માટે સમગ્ર જિલ્લામાં માત્ર 10 સેન્ટરો જ છે, જેમાં પણ રજિસ્ટ્રેશન ફરજીયાત છે.
45 કે તેથી વધુ વયના લોકો સીધા જ સેન્ટર પર જઈ વેકસીન મુકાવી શકે છે. કોરોનાના બીજા વેવમાં રોજ નોંધાતા 100 થી 150 જેટલા સરેરાશ પોઝિટિવ કેસ અને કોવિડ સ્મશાનમાં મૃતદેહનો આંક 40 થી 50 જેટલો રહેતો હોય વેકસીનનું કવચ મેળવવા હવે લોકોમાં વિશેષ સ્વયંભૂ જનજાગૃતિ આવી રહી છે. પહેલા સરકાર, જિલ્લા વહીવટી, આરોગ્ય અને પોલીસ તંત્ર દ્વારા વેકસીન અંગે લોકોની ગેરસમજ દૂર કરવા છતાં અને સમજ આપતા પણ લોકો વેકસીન લેવાથી દૂર ભાગતા હતા.
હવે ભરૂચના વેકસીન સેન્ટરો પર સવાર થી જ કોરોના સામે રસી મેળવવા લાઈનો પડી રહી છે ત્યારે પશ્ચિમ ભરૂચમાં વેકસીન સેન્ટર નહિ હોવાને લઇ અન્યાય થઈ રહ્યો હોવાનો સુર સોમવારે કોંગી નગરજનોએ ઉઠાવી મુખ્ય અધિકારી સંજય સોની અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત કરવા ગયા હતા.
ભરૂચ પાલિકા CO એ તો કોંગી કોર્પોરેટરોની વાત સાંભળી સેન્ટરો વધારવા હામી ભણી હતી. જ્યારે કોંગી કોર્પોરેટરો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એસ. દુલેરા સમક્ષ રજુઆત કરવા ગયા ત્યાં વાત વણસી હતી.
કોંગી કોર્પોરેટરોએ CDMO ને સવાલ કર્યો હતો કે, ભરૂચમાં કેટલા સેન્ટર છે અને ક્યાં કયા વિસ્તારમાં આવેલા છે. મુખ્ય આરોગ્ય અધિકારીએ સેન્ટરોની સંખ્યા તો જણાવી હતી પણ ક્યાં વિસ્તારમાં સેન્ટરો છે તે તેમણે ખ્યાલ ન હતો. જે મુદ્દે CDMO અને કોંગી 4 કોર્પોરેટરો વચ્ચે ચકમક ઝરી હતી અંતે CDMO પોતાની ખુરશી છોડી ચેમ્બરમાંથી બહાર જતા રહ્યાં હતાં.
મને મારી જવાબદારી સમજાવી, ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો
CDMO ડો. દુલેરા એ જણાવ્યું હતું કે તેઓ વેકસીન સેન્ટરોને લઈ રજુઆત કરવા આવ્યા હતા. અમુક વિસ્તારમાં જ સેન્ટરો છે તો અમારા વિસ્તારમાં સેન્ટર નથી, મેં કહ્યું અત્યારે સરકાર તરફથી આટલા સેન્ટર છે, વધુ મળશે તો તમારા વિસ્તારમાં પણ રાખીશું. જે બાદ લિસ્ટ માંગતા મેં લિસ્ટ આપ્યું, ત્યારે કહ્યું આ પાટીદારની વાડી કઈ જગ્યાએ આવી, મેં કહ્યું મને ખબર નથી. તેમ કહેતા ઉશ્કેરાઈ ગયા અને કહ્યું જિલ્લાના આરોગ્ય અધિકારીને ખબર નથી, તેમ કહી મને ઉશ્કેરવાનો અને મારી જવાબદારી સમજાવવાનો પ્રયત્ન કર્યો. મેં કહ્યું મારે હવે તમારી સાથે કોઈ ચર્ચા કરવી નથી તમે લોકો જઇ શકો છો, એ લોકો ન નીકળ્યા એટલે મેં મારી ચેમ્બર છોડી દીધી.
આવા અધિકારીઓ કઈ રીતે ભરૂચની આરોગ્ય સેવા સુધારશે, બેજવાબદાર વર્તન અને જવાબ
કોંગી નગરસેવક સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ,હું , સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના કોંગી કોર્પોરેટરો રૂબરૂ મળવા ગયા હતા. એક જ વિસ્તારમાં આડેધડ વેકસીન સેન્ટર અને બીજા વિસ્તારમાં એક પણ નહીં અંગે રજુઆત કરી હતી. જોકે તેઓને ક્યાં વિસ્તારમાં વેકસીનેશન સેન્ટર આવેલા છે તે ખબર જ ન હતી. જવાબદાર અધિકારીએ બેજવાબદાર જવાબ આપી વર્તન કર્યું હતું. આવા મગજ ઉપર પારો રાખનારા અધિકારીથી ભરૂચમાં કોરોના સંક્રમણ કઈ રીતે ઘટશે.
મને મારી જવાબદારી સમજાવવા અને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો, મારે કોઈ ચર્ચા કરવી નથી, તમે જઈ શકો છો, એ ન ગયા એટલે મેં મારી ચેમ્બર છોડી : CDMO ડો. જે. એસ. દુલેરા
મગજ ઉપર પારો રાખી ચાલતા અધિકારીથી ભરૂચ કઈ રીતે કોરોનામુક્ત થશે, મુખ્ય આરોગ્ય અધિકારીને ક્યાં વિસ્તારોમાં સેન્ટરો છે અને કયામાં નથી તેની જાણ નથી : કોંગી કોર્પોરેટર સમસાદ અલી સૈયદ
એક જ વિસ્તારમાં આડેધડ 2 થી 3 સેન્ટર અને અન્ય વિસ્તારને અન્યાય, લોકોની ભીડ વધતા સંક્રમણ ફેલાવાનો ખતરો
વધુ સેન્ટરો કાર્યરત કરવા કોંગી પાલિકા સભ્યોની ચીફ ઓફિસરને પણ રજુઆત
WatchGujarat. ભાગલામાં વહેંચાયેલા ભરૂચ શહેરમાં વર્ષોથી પશ્ચિમ ભરૂચને એક યા બીજા કારણોસર અન્યાય થતો રહેતો હોવાની બુમો પ્રજા અને કોંગી આગેવાનો ઉઠાવતા રહ્યાં છે. રાજકારણનો આ મુદ્દો હવે કોરોના કાળમાં વેકસીન સેન્ટરોને લઈને પણ સોમવારે ઉઠ્યો છે.
હાલ ભરૂચમાં 18 થી 44 અને 45 થી વધુ વય માટે શહેરમાં પણ વેકસીનેશન સેન્ટરો ચાલી રહ્યાં છે. જોકે 18 કે 44 વર્ષની વય માટે સમગ્ર જિલ્લામાં માત્ર 10 સેન્ટરો જ છે, જેમાં પણ રજિસ્ટ્રેશન ફરજીયાત છે.
45 કે તેથી વધુ વયના લોકો સીધા જ સેન્ટર પર જઈ વેકસીન મુકાવી શકે છે. કોરોનાના બીજા વેવમાં રોજ નોંધાતા 100 થી 150 જેટલા સરેરાશ પોઝિટિવ કેસ અને કોવિડ સ્મશાનમાં મૃતદેહનો આંક 40 થી 50 જેટલો રહેતો હોય વેકસીનનું કવચ મેળવવા હવે લોકોમાં વિશેષ સ્વયંભૂ જનજાગૃતિ આવી રહી છે. પહેલા સરકાર, જિલ્લા વહીવટી, આરોગ્ય અને પોલીસ તંત્ર દ્વારા વેકસીન અંગે લોકોની ગેરસમજ દૂર કરવા છતાં અને સમજ આપતા પણ લોકો વેકસીન લેવાથી દૂર ભાગતા હતા.
હવે ભરૂચના વેકસીન સેન્ટરો પર સવાર થી જ કોરોના સામે રસી મેળવવા લાઈનો પડી રહી છે ત્યારે પશ્ચિમ ભરૂચમાં વેકસીન સેન્ટર નહિ હોવાને લઇ અન્યાય થઈ રહ્યો હોવાનો સુર સોમવારે કોંગી નગરજનોએ ઉઠાવી મુખ્ય અધિકારી સંજય સોની અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત કરવા ગયા હતા.
ભરૂચ પાલિકા CO એ તો કોંગી કોર્પોરેટરોની વાત સાંભળી સેન્ટરો વધારવા હામી ભણી હતી. જ્યારે કોંગી કોર્પોરેટરો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એસ. દુલેરા સમક્ષ રજુઆત કરવા ગયા ત્યાં વાત વણસી હતી.
કોંગી કોર્પોરેટરોએ CDMO ને સવાલ કર્યો હતો કે, ભરૂચમાં કેટલા સેન્ટર છે અને ક્યાં કયા વિસ્તારમાં આવેલા છે. મુખ્ય આરોગ્ય અધિકારીએ સેન્ટરોની સંખ્યા તો જણાવી હતી પણ ક્યાં વિસ્તારમાં સેન્ટરો છે તે તેમણે ખ્યાલ ન હતો. જે મુદ્દે CDMO અને કોંગી 4 કોર્પોરેટરો વચ્ચે ચકમક ઝરી હતી અંતે CDMO પોતાની ખુરશી છોડી ચેમ્બરમાંથી બહાર જતા રહ્યાં હતાં.
મને મારી જવાબદારી સમજાવી, ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો
CDMO ડો. દુલેરા એ જણાવ્યું હતું કે તેઓ વેકસીન સેન્ટરોને લઈ રજુઆત કરવા આવ્યા હતા. અમુક વિસ્તારમાં જ સેન્ટરો છે તો અમારા વિસ્તારમાં સેન્ટર નથી, મેં કહ્યું અત્યારે સરકાર તરફથી આટલા સેન્ટર છે, વધુ મળશે તો તમારા વિસ્તારમાં પણ રાખીશું. જે બાદ લિસ્ટ માંગતા મેં લિસ્ટ આપ્યું, ત્યારે કહ્યું આ પાટીદારની વાડી કઈ જગ્યાએ આવી, મેં કહ્યું મને ખબર નથી. તેમ કહેતા ઉશ્કેરાઈ ગયા અને કહ્યું જિલ્લાના આરોગ્ય અધિકારીને ખબર નથી, તેમ કહી મને ઉશ્કેરવાનો અને મારી જવાબદારી સમજાવવાનો પ્રયત્ન કર્યો. મેં કહ્યું મારે હવે તમારી સાથે કોઈ ચર્ચા કરવી નથી તમે લોકો જઇ શકો છો, એ લોકો ન નીકળ્યા એટલે મેં મારી ચેમ્બર છોડી દીધી.
આવા અધિકારીઓ કઈ રીતે ભરૂચની આરોગ્ય સેવા સુધારશે, બેજવાબદાર વર્તન અને જવાબ
કોંગી નગરસેવક સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ,હું , સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના કોંગી કોર્પોરેટરો રૂબરૂ મળવા ગયા હતા. એક જ વિસ્તારમાં આડેધડ વેકસીન સેન્ટર અને બીજા વિસ્તારમાં એક પણ નહીં અંગે રજુઆત કરી હતી. જોકે તેઓને ક્યાં વિસ્તારમાં વેકસીનેશન સેન્ટર આવેલા છે તે ખબર જ ન હતી. જવાબદાર અધિકારીએ બેજવાબદાર જવાબ આપી વર્તન કર્યું હતું. આવા મગજ ઉપર પારો રાખનારા અધિકારીથી ભરૂચમાં કોરોના સંક્રમણ કઈ રીતે ઘટશે.