કોરોના વકરતા શહેરમાં વેન્ટીલેટર અને વધુ બેડની સુવિધાઓ તૈયાર કરવા તંત્ર દોડતું થયું
ડો. વિનોદ રાવે IOCL ના એક્ઝીક્યુટીવ એમ.ડી. સમક્ષ શહેરમાં કોરોનાની સારવાર માટે 500 બેડની સુવિધા તૈયાર કરવા માટે સહયોગ માંગ્યો
તાજેતરમાં શહેરની મુકાલાતે આવેલા ડે. સી.એ. નીતિન પટેલે પણ લોકોના સહયોગથી કોરોનાનું સંક્રમણ ઘટાડવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો
WatchGujarat. વહીવટી તંત્ર દ્વારા કોરોનાના સાચા આંકડા રજુ કરવામાં રમત કરવામાં આવી રહી છે. પરંતુ શહેરમાં વેન્ટીલેટરની સંખ્યામાં ઉમેરો, કોરોનાની સારવાર માટે બેડની સુવિધામાં વધારો સહિતના પગલે શહેરમાં વણસી રહેલી સ્થિતીનો ચિતાર મેળવવા માટે કાફી છે. કોરોનાના જારી કહેર વચ્ચે ઓ.એસ.ડી. ડો. વિનોદ રાવે IOCL ના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની મિટીંગ કરી હતી. અને શહેરમાં વધુ 500 બેડની સુવિધા તૈયાર કરવા માટે સહયોગ માંગ્યો હતો.
શહેરમાં કોરોનાનો કહેર વિકરાળ બની રહ્યો છે. રોજે રોજ સેંકડો લોકો કોરોના પોઝીટીવ આવે છે. કોવિડ ટેસ્ટ કરાવવા માટે લેબોરેટરી પર લાંબી કતારો જોવા મળી રહી છે. તો બીજી તરફ સ્મશાનમાં કોવિડ ગાઇડલાઇન્સ સાથે અસંખ્યા મૃતદેહોની અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે. તેવા સમયે સરકારી તંત્ર દ્વારા કોરોનાની સ્થિતીના આંકડા છુપાવવામાં આવતા હોવાનું હવે સૌ કોઇથી છુપુ નથી. ચુંટણી બાદથી લઇને હવે વડોદરા સહિત રાજ્યા અનેક શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો આવ્યો છે. ત્યારે હવે વડોદરાના ઓ.એસ.ડી ડો. વિનોદ રાવના નેતૃત્વમાં શહેરમાં કોરોના સામેની તૈયારીઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ગત રોજ 100 નવા અદ્યતન વેન્ટીલેટરનો કોરોનાની સારવારમાં ઉમેરો કરવામાં આવ્યો હતો.
આજે શહેરના ઓ.એસ.ડી. ડો. વિનોદ રાવે IOCL ના એક્ઝીક્યુટીવ એમ.ડી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની મિટીંગ કરી હતી. મિટીંગમાં ડો. વિનોદ રાવે IOCL ના એક્ઝીક્યુટીવ એમ. ડી. સમક્ષ શહેરમાં કોરોનાની સારવાર માટે 500 બેડની સુવિધા તૈયાર કરવા માટે સહયોગ માંગ્યો હતો IOCL ના એક્ઝીક્યુટીવ એમ.ડી. એ ડો. વિનોદ રાવના પ્રસ્તાવને માન્ય રાખ્યો હતો. અને આગામી 4 – 5 દિવસમાં કામગીરી કરવા બાંહેધારી પણ આપી હતી. તેની સાથે શહેરમાં ઓક્સિજનનો સપ્લાય મળી રહે તે માટે ઓક્સિજનની કંપનીના સંચાલકો સાથે સંકલન સાધવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે વધુ ઘેરુ બની રહ્યું છે. લોકોએ કોવિડ ગાઇડલાઇનના અમલની સાથે નિયત ઉંમર ધરાવતા લોકોએ કોરોનાની વેક્સીન લેવી જોઇએ. સરકારી તંત્ર અને સ્થાનિકોના સંયુક્ત પ્રયાસોથી કોરોના પર કાબુ મેળવવામાં સફળતા મળી શકે તેમ છે. તાજેતરમાં શહેરની મુકાલાતે આવેલા ડે. સી.એ. નીતિન પટેલે પણ લોકોના સહયોગથી કોરોનાનું સંક્રમણ ઘટાડવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
કોરોના વકરતા શહેરમાં વેન્ટીલેટર અને વધુ બેડની સુવિધાઓ તૈયાર કરવા તંત્ર દોડતું થયું
ડો. વિનોદ રાવે IOCL ના એક્ઝીક્યુટીવ એમ.ડી. સમક્ષ શહેરમાં કોરોનાની સારવાર માટે 500 બેડની સુવિધા તૈયાર કરવા માટે સહયોગ માંગ્યો
તાજેતરમાં શહેરની મુકાલાતે આવેલા ડે. સી.એ. નીતિન પટેલે પણ લોકોના સહયોગથી કોરોનાનું સંક્રમણ ઘટાડવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો
WatchGujarat. વહીવટી તંત્ર દ્વારા કોરોનાના સાચા આંકડા રજુ કરવામાં રમત કરવામાં આવી રહી છે. પરંતુ શહેરમાં વેન્ટીલેટરની સંખ્યામાં ઉમેરો, કોરોનાની સારવાર માટે બેડની સુવિધામાં વધારો સહિતના પગલે શહેરમાં વણસી રહેલી સ્થિતીનો ચિતાર મેળવવા માટે કાફી છે. કોરોનાના જારી કહેર વચ્ચે ઓ.એસ.ડી. ડો. વિનોદ રાવે IOCL ના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની મિટીંગ કરી હતી. અને શહેરમાં વધુ 500 બેડની સુવિધા તૈયાર કરવા માટે સહયોગ માંગ્યો હતો.
શહેરમાં કોરોનાનો કહેર વિકરાળ બની રહ્યો છે. રોજે રોજ સેંકડો લોકો કોરોના પોઝીટીવ આવે છે. કોવિડ ટેસ્ટ કરાવવા માટે લેબોરેટરી પર લાંબી કતારો જોવા મળી રહી છે. તો બીજી તરફ સ્મશાનમાં કોવિડ ગાઇડલાઇન્સ સાથે અસંખ્યા મૃતદેહોની અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે. તેવા સમયે સરકારી તંત્ર દ્વારા કોરોનાની સ્થિતીના આંકડા છુપાવવામાં આવતા હોવાનું હવે સૌ કોઇથી છુપુ નથી. ચુંટણી બાદથી લઇને હવે વડોદરા સહિત રાજ્યા અનેક શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો આવ્યો છે. ત્યારે હવે વડોદરાના ઓ.એસ.ડી ડો. વિનોદ રાવના નેતૃત્વમાં શહેરમાં કોરોના સામેની તૈયારીઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ગત રોજ 100 નવા અદ્યતન વેન્ટીલેટરનો કોરોનાની સારવારમાં ઉમેરો કરવામાં આવ્યો હતો.
આજે શહેરના ઓ.એસ.ડી. ડો. વિનોદ રાવે IOCL ના એક્ઝીક્યુટીવ એમ.ડી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની મિટીંગ કરી હતી. મિટીંગમાં ડો. વિનોદ રાવે IOCL ના એક્ઝીક્યુટીવ એમ. ડી. સમક્ષ શહેરમાં કોરોનાની સારવાર માટે 500 બેડની સુવિધા તૈયાર કરવા માટે સહયોગ માંગ્યો હતો IOCL ના એક્ઝીક્યુટીવ એમ.ડી. એ ડો. વિનોદ રાવના પ્રસ્તાવને માન્ય રાખ્યો હતો. અને આગામી 4 – 5 દિવસમાં કામગીરી કરવા બાંહેધારી પણ આપી હતી. તેની સાથે શહેરમાં ઓક્સિજનનો સપ્લાય મળી રહે તે માટે ઓક્સિજનની કંપનીના સંચાલકો સાથે સંકલન સાધવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે વધુ ઘેરુ બની રહ્યું છે. લોકોએ કોવિડ ગાઇડલાઇનના અમલની સાથે નિયત ઉંમર ધરાવતા લોકોએ કોરોનાની વેક્સીન લેવી જોઇએ. સરકારી તંત્ર અને સ્થાનિકોના સંયુક્ત પ્રયાસોથી કોરોના પર કાબુ મેળવવામાં સફળતા મળી શકે તેમ છે. તાજેતરમાં શહેરની મુકાલાતે આવેલા ડે. સી.એ. નીતિન પટેલે પણ લોકોના સહયોગથી કોરોનાનું સંક્રમણ ઘટાડવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.