ભરૂચની હોસ્પિટલમાં આગ લાગવાના કારણે જાનહાનિનો ભોગ બનનાર શોકગ્રસ્ત પરિવારોને સંવેદના : PM નરેન્દ્ર મોદી
ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દર્દીઓ, ડૉક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે : CM રૂપાણી
આગની દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના 2 સિનિયર IAS અધિકારીઓને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવાના આદેશ
રાજ્ય સરકાર ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનાની ન્યાયિક તપાસ સોંપવાની દિશામાં કાર્યવાહી
ભરૂચ વેલ્ફેર કોવિડ હોસ્પોટલના ICU વોર્ડમાં વેન્ટિલેટર સળગતા જિંદગીની આશામાં સારવારમાં રહેલા 14 દર્દી અને 2 નર્સ જીવતા ભૂંજાયા
વેન્ટિલેટર પર 12 અને બાયપેપ ઉપર 2 દર્દી હતા
અન્ય 35 દર્દીઓને ભરૂચ, જંબુસર, વાગરાની હોસ્પિટલોમાં 30 થી વધુ એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરાયા
વેન્ટીલેટરમાં પ્રથમ શોર્ટસર્કિટને કારણે લાગેલી આગમાં દાઝેલી 1 નર્સ બચી ગઈ
લોકોએ કોવિડ હોસ્પિટલની બારીઓના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયાસ કર્યો
16 મૃતદેહોની ઓળખવીધી 6 કલાકે થઈ શકી
રેસ્ક્યુ કરી અન્ય હોસ્પિટલોમાં શિફ્ટ કરાયેલા 35 દર્દીઓ પૈકી 11 સામાન્ય દાઝ્યા
સમગ્ર રાત્રી દરમિયાન પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં સ્વજનોના આક્રંદ, એમ્બ્યુલન્સના સતત ગુંજતા સાયરનો બાદ સવારે નીરવ શાંતિ
આગનું ચોકસ કારણ જાણવા FSL, DGVCL સહિત ની ટીમો હોસ્પિટલના બળી ને ખાખ થઈ ગયેલા કોવિડ ICU વોર્ડની કરશે તપાસ
Watchgujarat. ભરૂચમાં ગુજરાતના 61માં સ્થાપના દિવસની મધરાતે જ કોવિડ વેલફેર હોસ્પિટલના ICU વોર્ડમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટ થવાથી લાગેલી આગે કોરોના સામે જિંદગી બચાવવા દાખલ થયેલા 14 દર્દી અને તેમની સારવાર કરી રહેલી 2 નર્સને જીવતા જ આગનો કોળિયો બનાવી દીધા હતા. હૃદયને કપકપાવી દેનારી આ ગોઝારી ઘટના અંગે વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીએ જાનહાનિનો ભોગ બનનાર પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી CM વિજય રૂપાણી વેલફેર હોસ્પિટલના કોવિડ વિભાગમાં લાગેલી આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દર્દીઓ, ડૉક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે તેવી CM એ જાહેરાત કરી, આગની દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના 2 સિનિયર IAS અધિકારીઓને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવાના આદેશ પણ આપી દીધા છે.
હોનારતની ન્યાયિક તપાસ માટે
અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશ્નર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવાના આદેશ કરાયા છે.ભરૂચની વેલફેર હોસ્પિટલ કોરોનાની ગત વર્ષની શરૂઆતથી દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપી રહી છે. હોસ્પિટલની મુખ્ય બિલ્ડીંગ પાછળ આવેલી નવી ઇમારતમાં 70 બેડ નો કોવિડ વિભાગ કાર્યરત કરાયો હતો.
ઓક્સિજન, વેન્ટીલેટરો, અન્ય ઇલેક્ટ્રિક સાધનોના લીધે આગ વિકરાળ બની
કોવિડ વિભાગમાં ICU વોર્ડમાં 12 દર્દીઓ વેન્ટિલેટર અને 2 દર્દી બાયપેપ પર હતો. જ્યારે રાત્રી ફરજ પર 3 નર્સની ડ્યુટી હતી. ICU સિવાયના અન્ય વિભાગમાં કોરોનાના 35 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. શુક્રવારે મધરાતે 12.40 કલાકના અરસામાં ICU માં વેન્ટિલેટર શોર્ટ સર્કિટથી સળગી ઉઠતા અફરાતફરી મચી હતી. વોર્ડમાં રહેલી 1 નર્સે આગ ઓલવવાની કોશિશ પણ કરી હતી પરંતું તે ઓક્સિજન, વેન્ટીલેટરો, અન્ય ઇલેક્ટ્રિક સાધનોના લીધે જોતજોતામાં વિકરાળ બની હતી.
હોસ્પિટલમાં ICU નો કાચનો પાર્ટીશન દરવાજો અને કાચની બારીઓ તોડી લોકોના જીવ બચાવવાનો પ્રયાસ
અન્ય સ્ટાફ દોડી આવવા સાથે કાચની બારી તોડી લોકોને બચાવવાની કવાયત હાથ ધરાઈ હતી. જોતજોતમાં સોશ્યલ મીડિયા પર મદદ માટે લોકોની આજીજીના ઓડિયો વાયરલ થવા સાથે પોલીસ, ફાયર, વીજ કંપની, 108, અન્ય ખાનગી એમ્બ્યુલન્સ ને જાણ થતાં હોસ્પિટલ બહાર અને અંદર 3000 થી 4000 લોકો ઉમટી પડ્યા હતા. સતત એમ્બ્યુલન્સ અને પોલીસના વાહનોના સાયરન વચ્ચે કોવિડ હોસ્પિટલમાં ICU નો કાચનો પાર્ટીશન દરવાજો અને કાચની બારીઓ તોડી લોકોના જીવ બચાવવાનો લોકોએ પ્રયાસ શરૂ કર્યો હતો.
35 દર્દીઓને એક બાદ એક રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સોમાં શિફ્ટ કરાયા
ICU વોર્ડમાં લાગેલી આગે ગણતરીના સમયમાં જ બેડ પર જ વેન્ટિલેટર પર રહેલા 12 દર્દીઓ, બાયપેપ પરના 2 દર્દી અને ફરજ પર રહેલી 2 નર્સને જીવતા જ ભુંજી દીધા હતા. સ્ટ્રેચરો પર મૃતદેહો મૂકી હોસ્પિટલના આગળના ભાગે લવાયા હતા. જ્યારે ICU સિવાય અન્ય વોર્ડમાં રહેલા કોરોનાના 35 દર્દીઓને એક બાદ એક રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સોમાં ભરૂચની સિવિલ, સેવાશ્રમ સહિત અન્ય ખાનગી હોસ્પિટલો સાથે જંબુસર, વાગરા અને આમોડની હોસ્પિટલોમાં પણ યુદ્ધના ધોરણે શિફ્ટ કરાયા હતા.
સવારે 7 વાગ્યે તમામ મૃતહેદોને પરિજનોને સોંપવામાં આવ્યા
સમગ્ર ICU વોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો. જે બાદ કોરોના દર્દીઓના પરિજનોની ચિચિયારીઓ વચ્ચે સ્વજનોને શોધતા લોકોથી ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. હોસ્પિટલ બહાર અને અંદર હજારોની ભીડ વચ્ચે સ્ટ્રેચરો પર મુકાયેલા જીવતા જ બળી ગયેલા હતભાગીઓના મૃતદેહની ઓળખવિધિમાં સમગ્ર હોસ્પિટલમાં સ્વજનોના હૈયાફાટ રૂદનના પડઘા પડી રહ્યા હતા. સવારે 7 કલાકે તમામ 16 મૃતદેહોની ઓળખ તેમના સગા સબંધીઓ કરી દેતા મૃતદેહો સોંપવામાં આવ્યા હતા. જ્યારે 35 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાયાનો તાગ 7 કલાક સુધીમાં 22 દર્દીઓનો જ મેળવી શકાયો હતો.
ઘટનાની તપાસ માટે FSL, DGVCL, ફાયર સેફટીની ટીમ તપાસમાં લાગી
સમગ્ર રાત્રી દરમિયાન પટેલ વેલફેર હોસ્પિટલમાં સ્વજનોના આક્રંદ, એમ્બ્યુલન્સના સતત ગુંજતા સાયરનો બાદ સવારે નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. ઘટનાની તપાસ માટે FSL, DGVCL, ફાયર સેફટીની ટીમ દોડી આવી ક્યાં કારણોસર આગની ઘટના ઘટી તેનું કારણ જાણવા લાગી ગઈ હતી. બીજી તરફ વડોદરાના રેન્જ IG હરિકૃષ્ણ પટેલ પણ ભરૂચ આવવા રવાના થઈ ગયા હતા.
ભરૂચ વેલ્ફેર કોવિડ હોસ્પોટલના ICU વોર્ડમાં વેન્ટિલેટર સળગતા જિંદગીની આશામાં સારવારમાં રહેલા 14 દર્દી અને 2 નર્સ જીવતા ભૂંજાયા
વેન્ટિલેટર પર 12 અને બાયપેપ ઉપર 2 દર્દી હતા
અન્ય 35 દર્દીઓને ભરૂચ, જંબુસર, વાગરાની હોસ્પિટલોમાં 30 થી વધુ એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરાયા
વેન્ટીલેટરમાં પ્રથમ શોર્ટસર્કિટને કારણે લાગેલી આગમાં દાઝેલી 1 નર્સ બચી ગઈ
લોકોએ કોવિડ હોસ્પિટલની બારીઓના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયાસ કર્યો
16 મૃતદેહોની ઓળખવીધી 6 કલાકે થઈ શકી
રેસ્ક્યુ કરી અન્ય હોસ્પિટલોમાં શિફ્ટ કરાયેલા 35 દર્દીઓ પૈકી 11 સામાન્ય દાઝ્યા
સમગ્ર રાત્રી દરમિયાન પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં સ્વજનોના આક્રંદ, એમ્બ્યુલન્સના સતત ગુંજતા સાયરનો બાદ સવારે નીરવ શાંતિ
આગનું ચોકસ કારણ જાણવા FSL, DGVCL સહિત ની ટીમો હોસ્પિટલના બળી ને ખાખ થઈ ગયેલા કોવિડ ICU વોર્ડની કરશે તપાસ
Watchgujarat. ભરૂચમાં ગુજરાતના 61માં સ્થાપના દિવસની મધરાતે જ કોવિડ વેલફેર હોસ્પિટલના ICU વોર્ડમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટ થવાથી લાગેલી આગે કોરોના સામે જિંદગી બચાવવા દાખલ થયેલા 14 દર્દી અને તેમની સારવાર કરી રહેલી 2 નર્સને જીવતા જ આગનો કોળિયો બનાવી દીધા હતા. હૃદયને કપકપાવી દેનારી આ ગોઝારી ઘટના અંગે વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીએ જાનહાનિનો ભોગ બનનાર પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી CM વિજય રૂપાણી વેલફેર હોસ્પિટલના કોવિડ વિભાગમાં લાગેલી આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દર્દીઓ, ડૉક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે તેવી CM એ જાહેરાત કરી, આગની દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના 2 સિનિયર IAS અધિકારીઓને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવાના આદેશ પણ આપી દીધા છે.
હોનારતની ન્યાયિક તપાસ માટે
અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશ્નર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવાના આદેશ કરાયા છે.ભરૂચની વેલફેર હોસ્પિટલ કોરોનાની ગત વર્ષની શરૂઆતથી દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપી રહી છે. હોસ્પિટલની મુખ્ય બિલ્ડીંગ પાછળ આવેલી નવી ઇમારતમાં 70 બેડ નો કોવિડ વિભાગ કાર્યરત કરાયો હતો.
ઓક્સિજન, વેન્ટીલેટરો, અન્ય ઇલેક્ટ્રિક સાધનોના લીધે આગ વિકરાળ બની
કોવિડ વિભાગમાં ICU વોર્ડમાં 12 દર્દીઓ વેન્ટિલેટર અને 2 દર્દી બાયપેપ પર હતો. જ્યારે રાત્રી ફરજ પર 3 નર્સની ડ્યુટી હતી. ICU સિવાયના અન્ય વિભાગમાં કોરોનાના 35 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. શુક્રવારે મધરાતે 12.40 કલાકના અરસામાં ICU માં વેન્ટિલેટર શોર્ટ સર્કિટથી સળગી ઉઠતા અફરાતફરી મચી હતી. વોર્ડમાં રહેલી 1 નર્સે આગ ઓલવવાની કોશિશ પણ કરી હતી પરંતું તે ઓક્સિજન, વેન્ટીલેટરો, અન્ય ઇલેક્ટ્રિક સાધનોના લીધે જોતજોતામાં વિકરાળ બની હતી.
હોસ્પિટલમાં ICU નો કાચનો પાર્ટીશન દરવાજો અને કાચની બારીઓ તોડી લોકોના જીવ બચાવવાનો પ્રયાસ
અન્ય સ્ટાફ દોડી આવવા સાથે કાચની બારી તોડી લોકોને બચાવવાની કવાયત હાથ ધરાઈ હતી. જોતજોતમાં સોશ્યલ મીડિયા પર મદદ માટે લોકોની આજીજીના ઓડિયો વાયરલ થવા સાથે પોલીસ, ફાયર, વીજ કંપની, 108, અન્ય ખાનગી એમ્બ્યુલન્સ ને જાણ થતાં હોસ્પિટલ બહાર અને અંદર 3000 થી 4000 લોકો ઉમટી પડ્યા હતા. સતત એમ્બ્યુલન્સ અને પોલીસના વાહનોના સાયરન વચ્ચે કોવિડ હોસ્પિટલમાં ICU નો કાચનો પાર્ટીશન દરવાજો અને કાચની બારીઓ તોડી લોકોના જીવ બચાવવાનો લોકોએ પ્રયાસ શરૂ કર્યો હતો.
35 દર્દીઓને એક બાદ એક રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સોમાં શિફ્ટ કરાયા
ICU વોર્ડમાં લાગેલી આગે ગણતરીના સમયમાં જ બેડ પર જ વેન્ટિલેટર પર રહેલા 12 દર્દીઓ, બાયપેપ પરના 2 દર્દી અને ફરજ પર રહેલી 2 નર્સને જીવતા જ ભુંજી દીધા હતા. સ્ટ્રેચરો પર મૃતદેહો મૂકી હોસ્પિટલના આગળના ભાગે લવાયા હતા. જ્યારે ICU સિવાય અન્ય વોર્ડમાં રહેલા કોરોનાના 35 દર્દીઓને એક બાદ એક રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સોમાં ભરૂચની સિવિલ, સેવાશ્રમ સહિત અન્ય ખાનગી હોસ્પિટલો સાથે જંબુસર, વાગરા અને આમોડની હોસ્પિટલોમાં પણ યુદ્ધના ધોરણે શિફ્ટ કરાયા હતા.
સવારે 7 વાગ્યે તમામ મૃતહેદોને પરિજનોને સોંપવામાં આવ્યા
સમગ્ર ICU વોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો. જે બાદ કોરોના દર્દીઓના પરિજનોની ચિચિયારીઓ વચ્ચે સ્વજનોને શોધતા લોકોથી ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. હોસ્પિટલ બહાર અને અંદર હજારોની ભીડ વચ્ચે સ્ટ્રેચરો પર મુકાયેલા જીવતા જ બળી ગયેલા હતભાગીઓના મૃતદેહની ઓળખવિધિમાં સમગ્ર હોસ્પિટલમાં સ્વજનોના હૈયાફાટ રૂદનના પડઘા પડી રહ્યા હતા. સવારે 7 કલાકે તમામ 16 મૃતદેહોની ઓળખ તેમના સગા સબંધીઓ કરી દેતા મૃતદેહો સોંપવામાં આવ્યા હતા. જ્યારે 35 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાયાનો તાગ 7 કલાક સુધીમાં 22 દર્દીઓનો જ મેળવી શકાયો હતો.
ઘટનાની તપાસ માટે FSL, DGVCL, ફાયર સેફટીની ટીમ તપાસમાં લાગી
સમગ્ર રાત્રી દરમિયાન પટેલ વેલફેર હોસ્પિટલમાં સ્વજનોના આક્રંદ, એમ્બ્યુલન્સના સતત ગુંજતા સાયરનો બાદ સવારે નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. ઘટનાની તપાસ માટે FSL, DGVCL, ફાયર સેફટીની ટીમ દોડી આવી ક્યાં કારણોસર આગની ઘટના ઘટી તેનું કારણ જાણવા લાગી ગઈ હતી. બીજી તરફ વડોદરાના રેન્જ IG હરિકૃષ્ણ પટેલ પણ ભરૂચ આવવા રવાના થઈ ગયા હતા.