વર્ષ 2020માં કોરોનાની શરૂઆતમાં કેસોની સંખ્યા 150ને પણ પાર ન હતી થઇ
માર્ચ 2021ના અંતમાં કોરોનાની બીજી વેવ શરૂ થતાં કોરોના દર્દીઓની સંખ્યામાં પુષ્કળ વધારો થઇ રહ્યો છે
કોરોના સંક્રમિત થયેલા દર્દીઓના શંકાસ્પદ મોતથી દિવસ રાત શહેરના સ્મશાનો ઉભરાઇ રહ્યાં છે
વર્ષ 2020માં કોરોનાના વધી રહેલા વ્યાપને ડામવા કરાયેલી ડો. વિનોદ રાવની કામગીરી કેટલીક હદે સફળ નિવળી હતી
WatchGujarat. કોરોનાની એન્ટ્રી ભારતમાં થઇ તેના થોડા જ સમયમાં એટલે કે વર્ષ 2020 માર્ચ 24ની રાતે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં લોકડાઉનની પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી. આ સમય લોકડાઉન કરવા માટે ઉચીત હતો. કારણ કે કોરોના વાઇરસ અને તેની મહામારી તમામ માટે એક નવી ચેલેન્જ હતી. કોરોના વાઇરસ શુ છે તેનો કોઇનો પુરેપુરો અંદાજો ન હતો. કોરોનાથી કંઇ રીતે બચવુ તેનો પણ કોઇને પુરતો ખ્યાલ ન હતો. રાજ્યમાં વણસી રહેલી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા માટે ચાર મહાનગરોમાં OSD અધિકારીઓની રાજ્ય સરકાર દ્વારા નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં વડોદરા ખાતે OSD તરીકે ડો. વિનોદ રાવને મોકલવામાં આવ્યાં હતા. કોરોનાની કપરી પરિસ્થિતિને પહોંચી વળવા ડો. વિનોદ રાવ દ્વારા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં, જેનો અમલ કરાતા કેટલીક હદે શહેરમાં વણસેલી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવામાં સફળતા પણ મળી હતી. જોકે હવે શહેરની પરિસ્થિતિ વર્ષ 2020 કરતા પણ વધુ વિકટ બની છે. ત્યારે OSD ડો. વિનોદ રાવે અગાઉ કરેલી કામગીરીનુ પુનરાવર્તન કરવામાં આવે તો કોરોનાની વિકટ પરિસ્થિતિને અટકાવવામાં સફળતા મળી શકે છે.
વર્ષ 2020 માર્ચ મહિનાથી કોરોનાની શરૂઆત થઇ હતી. સમગ્ર દેશમાં લોકડાઉન લાદી દેવાયુ હતુ. ગુજરાતના ચાર મહાનગરોમાં પરિસ્થિતિ વિકટ બનતા OSD અધિકારીઓની નિમણૂંક કરી કરાઇ હતી. ત્યારે OSD ડો. વિનોદ રાવને વડોદરાનો હવાલો સોંપાયો હતો. ડો. વિનોદ રાવ વડોદરા આવતા શહેરમાં વણસેલી કોરોનાની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો અને તાત્કાલીક અસરથી જે વિસ્તારોમાં કોરોના કેસોની સંખ્યા વધારે હતી. ત્યાં પતરા મારી રેડ ઝોન તરીકે જાહેર કરાયા હતા. આમ તબક્કા વાર કેસોની સંખ્યાના રેડ, ઓરેન્જ, યેલો અને ગ્રીન ઝોન જાહેર કરાતા. તેમજ કન્ટેનમેઇન્ટ ઝોન, માઇક્રો કન્ટેન્મેઇન્ટ ઝોન જાહેર કરતા હતા. આમ કરવાથી કયા વિસ્તારમાં કોરોનાનુ સંક્રમણ વધારે વધારે છે તે જાણ શકાતુ હતુ.
કોરોનાના કેસો વધી રહ્યાં હતા, તેવામાં બહાર ગામ અને વિદેશથી આવતા લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવાના ચુસ્ત આદેશો અપાયા હતા. તેમજ જે વ્યક્તિ કોરોના પોઝિટીવ છે પરંતુ રિપોર્ટમાં પ્રાથમિક લક્ષ્ણો જણાતા, તેવી વ્યક્તિને હોમ આઇસોલેટ કરી ઘરની બહાર સ્ટીકર ચોટાડવામાં આવતાં હતા. હોમ આઇસોલેશન/ ક્વોરોન્ટાઇન કરાયેલી વ્યક્તિ તેનુ પુરતુ પાલન કરે છે કે કેમ તેનુ પાલિકા અને પોલીસની ટીમ દ્વારા મોનિટરીંગ કરવામાં આવતુ હતુ. જો કોઇ વ્યક્તિ હોમ આઇસોલેશનનુ પુરતુ પાલન કરતી ન જણાઇ તો પાલિક અને પોલીસને સંપર્ક કરવાની પણ સુવિધા ઉભી કરવામાં આવી હતી. જ્યારે હાલની પરિસ્થિતિમાં આ પ્રકારની કોઇ કામગીરી ન થતાં હોમ આઇસોલેટ થયેલી વ્યક્તિઓ બિંદાસ્ત બહાર ફરતી જોવા મળે છે. જેના કારણે કોરોના કેસોની સંખ્યામાં વધારો થતો હોય તેવુ કહેવુ સ્હેજ પણ ખોટુ નથી. તેની સાથે કોરોનાને વકરતો અટકાવવા માટે ખાસ કરીને કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરી પણ કરવામાં આવી હતી.
શહેરમાં એક વર્ષ અગાઉ વણસેલી કોરોનાની સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા માટે જે રીતે પાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી હતી. તેનુ પુનરાવર્તન કરવાની જરૂર છે. સુપર સ્પ્રેડરને શોધવા માટે પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ સતત કામગીરી કરતી જોવા મળતી હતી. શાકભાજી અથવા ફ્રુટની લારી ચલાવતી વ્યક્તિનુ ચુસ્તપણે ચેકિંગ કરવામાં આવતુ હતુ. જે હાલ થઇ રહ્યું નથી.
પરિવારનો એક સભ્યો પણ કોરોના પોઝિટીવ હોય તો પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ તે ઘરના તમામ વ્યક્તિના કોરોના ટેસ્ટ કરતી હતી. જેની કામગીરી હાલ નહીં વત છે. તદઉપરાંત પરિવારનો એક સભ્યો કોરોના પોઝિટીવ હોય તેવી સ્થિતિમાં આખા પરિવારને હોમ આઇસોલેટ કરવામાં આવતુ, જેથી વાઇરસ અન્ય લોકોમાં ફેલાતો અટકાવી શકાય, અને જો નિયમનો ભંગ કરતી કોઇ વ્યક્તિ જણાઇ આવે તો તેની સામે કાયદાકીય પગલા લેવામાં આવતા હતા. આ કરવા પાછળનુ મુળ કારણ હતુ કે સંક્રમિત થયેલી વ્યકિત અથવા તેનો પરિવાર અન્ય લોકોના સંપર્કમાં ન આવે, જેથી કોરોના વાઇરસને ફેલાતો અટકાવી શકાય.
કોરોનાને ફેલાતો અટકાવવા માટે કલમ 144 પણ લાગુ પણ કરવામાં આવી હતી. જાહેર સ્થળો પર મેળાવડો ન થાય તેની જવાબદારી પોલીસના સીરે હતી. ઉપરોક્ત તમામ કામગીરી અંગે પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત નિર્ણય લઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોરોનાને નાથવા માટે OSD ડો. વિનોદ રાવની માઇક્રો લેવલ કામગીરી કેટલીક હદે સફળ નિવળી હતી, અને શહેરમાં વકરી રહેલા કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો પણ થયો હતો. જેથી હાલની વિકટ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા OSD ડો. વિનોદ રાવે પુનઃ વર્ષ 2020નુ પુનરાવર્તન કરવાની જરૂરી છે.
વર્ષ 2020માં કોરોનાની શરૂઆતમાં કેસોની સંખ્યા 150ને પણ પાર ન હતી થઇ
માર્ચ 2021ના અંતમાં કોરોનાની બીજી વેવ શરૂ થતાં કોરોના દર્દીઓની સંખ્યામાં પુષ્કળ વધારો થઇ રહ્યો છે
કોરોના સંક્રમિત થયેલા દર્દીઓના શંકાસ્પદ મોતથી દિવસ રાત શહેરના સ્મશાનો ઉભરાઇ રહ્યાં છે
વર્ષ 2020માં કોરોનાના વધી રહેલા વ્યાપને ડામવા કરાયેલી ડો. વિનોદ રાવની કામગીરી કેટલીક હદે સફળ નિવળી હતી
WatchGujarat. કોરોનાની એન્ટ્રી ભારતમાં થઇ તેના થોડા જ સમયમાં એટલે કે વર્ષ 2020 માર્ચ 24ની રાતે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં લોકડાઉનની પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી. આ સમય લોકડાઉન કરવા માટે ઉચીત હતો. કારણ કે કોરોના વાઇરસ અને તેની મહામારી તમામ માટે એક નવી ચેલેન્જ હતી. કોરોના વાઇરસ શુ છે તેનો કોઇનો પુરેપુરો અંદાજો ન હતો. કોરોનાથી કંઇ રીતે બચવુ તેનો પણ કોઇને પુરતો ખ્યાલ ન હતો. રાજ્યમાં વણસી રહેલી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા માટે ચાર મહાનગરોમાં OSD અધિકારીઓની રાજ્ય સરકાર દ્વારા નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં વડોદરા ખાતે OSD તરીકે ડો. વિનોદ રાવને મોકલવામાં આવ્યાં હતા. કોરોનાની કપરી પરિસ્થિતિને પહોંચી વળવા ડો. વિનોદ રાવ દ્વારા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં, જેનો અમલ કરાતા કેટલીક હદે શહેરમાં વણસેલી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવામાં સફળતા પણ મળી હતી. જોકે હવે શહેરની પરિસ્થિતિ વર્ષ 2020 કરતા પણ વધુ વિકટ બની છે. ત્યારે OSD ડો. વિનોદ રાવે અગાઉ કરેલી કામગીરીનુ પુનરાવર્તન કરવામાં આવે તો કોરોનાની વિકટ પરિસ્થિતિને અટકાવવામાં સફળતા મળી શકે છે.
વર્ષ 2020 માર્ચ મહિનાથી કોરોનાની શરૂઆત થઇ હતી. સમગ્ર દેશમાં લોકડાઉન લાદી દેવાયુ હતુ. ગુજરાતના ચાર મહાનગરોમાં પરિસ્થિતિ વિકટ બનતા OSD અધિકારીઓની નિમણૂંક કરી કરાઇ હતી. ત્યારે OSD ડો. વિનોદ રાવને વડોદરાનો હવાલો સોંપાયો હતો. ડો. વિનોદ રાવ વડોદરા આવતા શહેરમાં વણસેલી કોરોનાની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો અને તાત્કાલીક અસરથી જે વિસ્તારોમાં કોરોના કેસોની સંખ્યા વધારે હતી. ત્યાં પતરા મારી રેડ ઝોન તરીકે જાહેર કરાયા હતા. આમ તબક્કા વાર કેસોની સંખ્યાના રેડ, ઓરેન્જ, યેલો અને ગ્રીન ઝોન જાહેર કરાતા. તેમજ કન્ટેનમેઇન્ટ ઝોન, માઇક્રો કન્ટેન્મેઇન્ટ ઝોન જાહેર કરતા હતા. આમ કરવાથી કયા વિસ્તારમાં કોરોનાનુ સંક્રમણ વધારે વધારે છે તે જાણ શકાતુ હતુ.
કોરોનાના કેસો વધી રહ્યાં હતા, તેવામાં બહાર ગામ અને વિદેશથી આવતા લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવાના ચુસ્ત આદેશો અપાયા હતા. તેમજ જે વ્યક્તિ કોરોના પોઝિટીવ છે પરંતુ રિપોર્ટમાં પ્રાથમિક લક્ષ્ણો જણાતા, તેવી વ્યક્તિને હોમ આઇસોલેટ કરી ઘરની બહાર સ્ટીકર ચોટાડવામાં આવતાં હતા. હોમ આઇસોલેશન/ ક્વોરોન્ટાઇન કરાયેલી વ્યક્તિ તેનુ પુરતુ પાલન કરે છે કે કેમ તેનુ પાલિકા અને પોલીસની ટીમ દ્વારા મોનિટરીંગ કરવામાં આવતુ હતુ. જો કોઇ વ્યક્તિ હોમ આઇસોલેશનનુ પુરતુ પાલન કરતી ન જણાઇ તો પાલિક અને પોલીસને સંપર્ક કરવાની પણ સુવિધા ઉભી કરવામાં આવી હતી. જ્યારે હાલની પરિસ્થિતિમાં આ પ્રકારની કોઇ કામગીરી ન થતાં હોમ આઇસોલેટ થયેલી વ્યક્તિઓ બિંદાસ્ત બહાર ફરતી જોવા મળે છે. જેના કારણે કોરોના કેસોની સંખ્યામાં વધારો થતો હોય તેવુ કહેવુ સ્હેજ પણ ખોટુ નથી. તેની સાથે કોરોનાને વકરતો અટકાવવા માટે ખાસ કરીને કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરી પણ કરવામાં આવી હતી.
શહેરમાં એક વર્ષ અગાઉ વણસેલી કોરોનાની સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા માટે જે રીતે પાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી હતી. તેનુ પુનરાવર્તન કરવાની જરૂર છે. સુપર સ્પ્રેડરને શોધવા માટે પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ સતત કામગીરી કરતી જોવા મળતી હતી. શાકભાજી અથવા ફ્રુટની લારી ચલાવતી વ્યક્તિનુ ચુસ્તપણે ચેકિંગ કરવામાં આવતુ હતુ. જે હાલ થઇ રહ્યું નથી.
પરિવારનો એક સભ્યો પણ કોરોના પોઝિટીવ હોય તો પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ તે ઘરના તમામ વ્યક્તિના કોરોના ટેસ્ટ કરતી હતી. જેની કામગીરી હાલ નહીં વત છે. તદઉપરાંત પરિવારનો એક સભ્યો કોરોના પોઝિટીવ હોય તેવી સ્થિતિમાં આખા પરિવારને હોમ આઇસોલેટ કરવામાં આવતુ, જેથી વાઇરસ અન્ય લોકોમાં ફેલાતો અટકાવી શકાય, અને જો નિયમનો ભંગ કરતી કોઇ વ્યક્તિ જણાઇ આવે તો તેની સામે કાયદાકીય પગલા લેવામાં આવતા હતા. આ કરવા પાછળનુ મુળ કારણ હતુ કે સંક્રમિત થયેલી વ્યકિત અથવા તેનો પરિવાર અન્ય લોકોના સંપર્કમાં ન આવે, જેથી કોરોના વાઇરસને ફેલાતો અટકાવી શકાય.
કોરોનાને ફેલાતો અટકાવવા માટે કલમ 144 પણ લાગુ પણ કરવામાં આવી હતી. જાહેર સ્થળો પર મેળાવડો ન થાય તેની જવાબદારી પોલીસના સીરે હતી. ઉપરોક્ત તમામ કામગીરી અંગે પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત નિર્ણય લઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોરોનાને નાથવા માટે OSD ડો. વિનોદ રાવની માઇક્રો લેવલ કામગીરી કેટલીક હદે સફળ નિવળી હતી, અને શહેરમાં વકરી રહેલા કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો પણ થયો હતો. જેથી હાલની વિકટ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા OSD ડો. વિનોદ રાવે પુનઃ વર્ષ 2020નુ પુનરાવર્તન કરવાની જરૂરી છે.