કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના પરિવારજનોને જીવન રક્ષક રેમડેસીવીર ઇન્જેક્શનની અછતને પગલે તેને મેળવવા માટે ઠેર ઠેર ભટકવું પડી રહ્યું છે
કોરોનાની સ્થિતી બેકાબુ બનતા બેડની સુવિધામાં તાબડતોબ વધારો કરવામાં આવ્યો
મેડીકલ સપ્લાય સુનિશ્ચિત કરાવવા માટે ગુરૂવારે નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી
શહેરમાં રેમડીસીવીર ઇન્જેક્શન લોકોને મળી રહે તેવી વ્યવસ્થા નહિ કરવામાં આવે તો આવનારા સમયમાં ભારે અવ્યવસ્થા સર્જાઇ શકે
WatchGujarat. છેલ્લાં કેટલાંક દિવસોથી શહેરમાં કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. છતાં OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત તંત્ર જાણે હજી કાગળ પર જ વાઘ દોડાવવામાં વ્યસ્ત હોય એમ લાગી રહ્યું છે. એક તરફ રેમડેસિવીર ઇન્જેક્શનથી માંડી વેક્સિન સુધીની અછત હોવાની બૂમરાણ વચ્ચે આજરોજ ડો. વિનોદ રાવે શહેરમાં ઇન્જેક્શન – દવા વગેરેના જથ્થાની સ્થિતિ પર ધ્યાન રાખવા એવાં અધિકારીની નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરી, જેમનો સમગ્ર પરિવાર કોરોનાગ્રસ્ત છે. એકંદરે, કોઈ અધિકારીની કોઈ જગ્યા પર નિમણૂંક કરતાં પહેલાં, તેમના વિશેની પુરતી માહિતી ડો. રાવના મેનેજમેન્ટ પાસે હોતી નથી એવું ગણી શકાય. જો કે, મોડી સાંજે મેડીકલ સપ્લાય માટે વધુ એક અધિકારી આર. બી. ત્રિવેદીના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. બે સક્ષમ અધિકારીઓ શહેરમાં દવા - ઇન્જેક્શનની અછતભરી સ્થિતીને જલ્દી થાળે પાડે તે અંગે સૌની મીટ મંડાયેલી છે.
શહેરમાં કોરોનાના સરકારી આંકડાથી વિપરીત હકીકત જોવા મળી રહી છે. ધીરે ધીરે હોસ્પિટલોના બેડ ભરાઇ રહ્યા હોવાને કારણે નવી કોવિડ કેરની સુવિધા તૈયાર કરવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે. શહેરમાં વણસતી સ્થિતી આટલેથી અટકતી નથી. શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના પરિવારજનોને જીવન રક્ષક રેમડેસીવીર ઇન્જેક્શનની અછતને પગલે તેને મેળવવા માટે ઠેર ઠેર ભટકવું પડી રહ્યું છે. જો કોઇ જગ્યાએથી ઇન્જેક્શન મળી જાય તો તેની માટે લોકો પાસેથી મોં માંગ્યા પૈસા ખંખેરવામાં આવે છે. છેલ્લા કેટલાય દિવસથી આ પ્રકારની અવ્યવસ્થા ચાલી રહી છે.
શહેરની સ્થિતીને ધ્યાને રાખીને કોવિડ મેનેજમેન્ટ માટેની વિશેષ ફરજ પર મુકાયેલા ડો. વિનોદ રાવે શહેરમાં રેમડેસીવીર ઇન્જેક્શન અને જરૂરી દવાઓ સુનિશ્ચિત કરાવવા માટે નોડલ અધિકારી તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના ડેપ્યુટી ડાયરેક્ટર આર. એ. પટેલની નિમણુંક કરી હતી. જે અંગેનું જાહેરનામું ગુરૂવારે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જો કે, સમગ્ર મામલે આર. એ. પટેલે watchgujarat.com સાથે વાત કરતા તેઓનો પરિવાર કોરોના પોઝીટીવ હોવાનું જણાવ્યું હતું. જો કે, મોડી સાંજે ડો. વિનોદ રાવે નોડલ ઓફિસર તરીકે વધુ એક અધિકારી આર. બી. ત્રિવેદીની નિમણુંક કરી હતી.
કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના પરિવારજનોને જીવન રક્ષક રેમડેસીવીર ઇન્જેક્શનની અછતને પગલે તેને મેળવવા માટે ઠેર ઠેર ભટકવું પડી રહ્યું છે
કોરોનાની સ્થિતી બેકાબુ બનતા બેડની સુવિધામાં તાબડતોબ વધારો કરવામાં આવ્યો
મેડીકલ સપ્લાય સુનિશ્ચિત કરાવવા માટે ગુરૂવારે નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી
શહેરમાં રેમડીસીવીર ઇન્જેક્શન લોકોને મળી રહે તેવી વ્યવસ્થા નહિ કરવામાં આવે તો આવનારા સમયમાં ભારે અવ્યવસ્થા સર્જાઇ શકે
WatchGujarat. છેલ્લાં કેટલાંક દિવસોથી શહેરમાં કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. છતાં OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત તંત્ર જાણે હજી કાગળ પર જ વાઘ દોડાવવામાં વ્યસ્ત હોય એમ લાગી રહ્યું છે. એક તરફ રેમડેસિવીર ઇન્જેક્શનથી માંડી વેક્સિન સુધીની અછત હોવાની બૂમરાણ વચ્ચે આજરોજ ડો. વિનોદ રાવે શહેરમાં ઇન્જેક્શન – દવા વગેરેના જથ્થાની સ્થિતિ પર ધ્યાન રાખવા એવાં અધિકારીની નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરી, જેમનો સમગ્ર પરિવાર કોરોનાગ્રસ્ત છે. એકંદરે, કોઈ અધિકારીની કોઈ જગ્યા પર નિમણૂંક કરતાં પહેલાં, તેમના વિશેની પુરતી માહિતી ડો. રાવના મેનેજમેન્ટ પાસે હોતી નથી એવું ગણી શકાય. જો કે, મોડી સાંજે મેડીકલ સપ્લાય માટે વધુ એક અધિકારી આર. બી. ત્રિવેદીના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. બે સક્ષમ અધિકારીઓ શહેરમાં દવા - ઇન્જેક્શનની અછતભરી સ્થિતીને જલ્દી થાળે પાડે તે અંગે સૌની મીટ મંડાયેલી છે.
શહેરમાં કોરોનાના સરકારી આંકડાથી વિપરીત હકીકત જોવા મળી રહી છે. ધીરે ધીરે હોસ્પિટલોના બેડ ભરાઇ રહ્યા હોવાને કારણે નવી કોવિડ કેરની સુવિધા તૈયાર કરવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે. શહેરમાં વણસતી સ્થિતી આટલેથી અટકતી નથી. શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના પરિવારજનોને જીવન રક્ષક રેમડેસીવીર ઇન્જેક્શનની અછતને પગલે તેને મેળવવા માટે ઠેર ઠેર ભટકવું પડી રહ્યું છે. જો કોઇ જગ્યાએથી ઇન્જેક્શન મળી જાય તો તેની માટે લોકો પાસેથી મોં માંગ્યા પૈસા ખંખેરવામાં આવે છે. છેલ્લા કેટલાય દિવસથી આ પ્રકારની અવ્યવસ્થા ચાલી રહી છે.
શહેરની સ્થિતીને ધ્યાને રાખીને કોવિડ મેનેજમેન્ટ માટેની વિશેષ ફરજ પર મુકાયેલા ડો. વિનોદ રાવે શહેરમાં રેમડેસીવીર ઇન્જેક્શન અને જરૂરી દવાઓ સુનિશ્ચિત કરાવવા માટે નોડલ અધિકારી તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના ડેપ્યુટી ડાયરેક્ટર આર. એ. પટેલની નિમણુંક કરી હતી. જે અંગેનું જાહેરનામું ગુરૂવારે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જો કે, સમગ્ર મામલે આર. એ. પટેલે watchgujarat.com સાથે વાત કરતા તેઓનો પરિવાર કોરોના પોઝીટીવ હોવાનું જણાવ્યું હતું. જો કે, મોડી સાંજે ડો. વિનોદ રાવે નોડલ ઓફિસર તરીકે વધુ એક અધિકારી આર. બી. ત્રિવેદીની નિમણુંક કરી હતી.