ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ નાદારી જાહેર કરી હોય તેવો કિસ્સો સામે આવ્યો
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક સાથે 13 કોરોના દર્દીઓના સારવાર દરમિયાન મોત
ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓએ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં પોતાના જોખમે દાખલ થવું પડશે!!!!
WatchGujarat. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓને "નો એન્ટ્રી" બોર્ડ વાગી ચુક્યા છે. બોર્ડ પર એવું લખાણ લખ્યું કે કે "હાલ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા વાળા બેડ ફૂલ હોવાથી ઓક્સિજનની જરૂરિયાત વાળા પેસેન્ટને એડમિટ કરવામાં આવશે નહિ. જો પેશન્ટને એડમિટ થવું જ હોય તો ઓક્સિજન વગરના બેડ પર પેશન્ટની જવાબદારી પર એડમિટ કરાશે. જો પેશન્ટને કઈ પણ થાય તો એની સંપૂર્ણ જવાબદારી પેસેન્ટ અને એના સગાની રહેશે. હોસ્પિટલની કોઈ જ જવાબદારી રહેશે નહીં. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 13 દર્દીઓના મૃત્યુ થયા છે ત્યારે "નો એન્ટ્રી" નું બોર્ડ લગાવવું કેટલું યોગ્ય એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને જો અચાનક ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય તો હવે એમણે ક્યાં જવું તે પ્રશ્ન હાલ સતાવી રહ્યો છે. હાલ ડેડીયાપાડા અને સાગબારા જેવા અંતરિયાળ વિસ્તારમાં કોરોનાનો કહેર અને મૃત્યુ આંક પણ વધ્યો છે. વડોદરા, અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પણ બહારના જિલ્લાના દર્દીઓ માટે બેડ ખાલી હોતા નથી. ત્યારે નર્મદા જિલ્લાની ગરીબ પ્રજાની એક માત્ર આશા રાજપીપળા કોવિડ હોસ્પિટલ છે.તો નર્મદા જિલ્લાના પાંગળા વહીવટીતંત્રના અધિકારીઓએ પણ ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે રીતસરની નાદારી જાહેર કરી દીધી છે. અને હોસ્પિટલની બહાર નો એન્ટ્રીનું બોર્ડ મારી દીધું છે.
નર્મદા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા કરાયેલી આ જાહેરાત બાદ મક્કમ મને કોરોના સામે જંગ જીતવા આવેલો સામાન્ય દર્દી પણ આ વાંચી હિંમત ગુમાવી બેસશે. હમણાં લોકો માંથી કોરોનાનો ડર દૂર કરવાની જરૂર છે ત્યારે ડર દૂર થવાની જગ્યાએ વધુ ડર ઘર કરી જવાની પણ સંભાવનાઓ રહેલી છે. નર્મદા જિલ્લાના સત્તાધારી નેતાઓ આ બાબતે અધિકારીઓનું ધ્યાન દોરે અને આવું લખાણ દૂર કરાવે એવી લોકોની માંગણી છે.
ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ નાદારી જાહેર કરી હોય તેવો કિસ્સો સામે આવ્યો
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક સાથે 13 કોરોના દર્દીઓના સારવાર દરમિયાન મોત
WatchGujarat. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓને "નો એન્ટ્રી" બોર્ડ વાગી ચુક્યા છે. બોર્ડ પર એવું લખાણ લખ્યું કે કે "હાલ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા વાળા બેડ ફૂલ હોવાથી ઓક્સિજનની જરૂરિયાત વાળા પેસેન્ટને એડમિટ કરવામાં આવશે નહિ. જો પેશન્ટને એડમિટ થવું જ હોય તો ઓક્સિજન વગરના બેડ પર પેશન્ટની જવાબદારી પર એડમિટ કરાશે. જો પેશન્ટને કઈ પણ થાય તો એની સંપૂર્ણ જવાબદારી પેસેન્ટ અને એના સગાની રહેશે. હોસ્પિટલની કોઈ જ જવાબદારી રહેશે નહીં. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 13 દર્દીઓના મૃત્યુ થયા છે ત્યારે "નો એન્ટ્રી" નું બોર્ડ લગાવવું કેટલું યોગ્ય એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને જો અચાનક ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય તો હવે એમણે ક્યાં જવું તે પ્રશ્ન હાલ સતાવી રહ્યો છે. હાલ ડેડીયાપાડા અને સાગબારા જેવા અંતરિયાળ વિસ્તારમાં કોરોનાનો કહેર અને મૃત્યુ આંક પણ વધ્યો છે. વડોદરા, અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પણ બહારના જિલ્લાના દર્દીઓ માટે બેડ ખાલી હોતા નથી. ત્યારે નર્મદા જિલ્લાની ગરીબ પ્રજાની એક માત્ર આશા રાજપીપળા કોવિડ હોસ્પિટલ છે.તો નર્મદા જિલ્લાના પાંગળા વહીવટીતંત્રના અધિકારીઓએ પણ ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે રીતસરની નાદારી જાહેર કરી દીધી છે. અને હોસ્પિટલની બહાર નો એન્ટ્રીનું બોર્ડ મારી દીધું છે.
નર્મદા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા કરાયેલી આ જાહેરાત બાદ મક્કમ મને કોરોના સામે જંગ જીતવા આવેલો સામાન્ય દર્દી પણ આ વાંચી હિંમત ગુમાવી બેસશે. હમણાં લોકો માંથી કોરોનાનો ડર દૂર કરવાની જરૂર છે ત્યારે ડર દૂર થવાની જગ્યાએ વધુ ડર ઘર કરી જવાની પણ સંભાવનાઓ રહેલી છે. નર્મદા જિલ્લાના સત્તાધારી નેતાઓ આ બાબતે અધિકારીઓનું ધ્યાન દોરે અને આવું લખાણ દૂર કરાવે એવી લોકોની માંગણી છે.