ભરૂચ પાલિકામાં સામાન્ય 1 મહિનામાં સરેરાશ 191 થી 192 ડેથ સર્ટિફિકેટ નીકળે છે, જેની સામે એપ્રિલના 28 દિવસમાં જ 614 ડેથ સર્ટી ઇસ્યુ
વર્ષ 2019 માં 7500 જન્મ, 2300 મરણના દાખલા નીકળ્યા
કોરોના વર્ષ 2020 માં 7000 જન્મ, 3000 મૃત્યુના દાખલા
મોતની આ જ ગતિ રહી તો જન્મના પ્રમાણપત્રને મૃત્યુનું પ્રમાણપત્ર 2021 માં ઓવરટેક કરી જશે
અંકલેશ્વર પાલિકામાં પણ એપ્રિલમાં 238 ડેથ સર્ટિફિકેટ નીકળ્યા
જિલ્લાની અન્ય 2 પાલિકા અને પંચાયતોનો આંક હજી અન ટચ હોય મૃત્યુદર અને તેના દાખલાનો આંક અનેકગણો વધુ
WatchGujarat. ભરૂચમાં જો કોરોનાને લઈ મૃત્યુ આવી રીતે જ વધતા જ રહેશે તો જન્મદર કરતા મૃત્યુદર 2021 માં ઓવરટેક કરી જાય તેવી દહેશત વર્તાઈ રહી છે.
કોરોનાકાળના 393 દિવસમાં સરકારી ડેથ ઓડિટ મુજબ અત્યાર સુધી 57 લોકોના ભરૂચ જિલ્લામાં મૃત્યુ થયા છે. જેની સામે ભરૂચ પાલિકા અને અંકલેશ્વર પાલિકામાંથી માત્ર એપ્રિલના 28 દિવસમાં જ ઇસ્યુ થયેલા ડેથ સર્ટિફિકેટનો આંક 852 છે. બે જ પાલિકાના મૃત્યુ પ્રમાણપત્રના આ અધધ નોંધાયેલા આ આંકડા બહાર આવ્યા છે, હજી તો આમોદ, જંબુસર પાલિકા અને ગ્રામ પંચાયતોમાં નોંધણીનો ડેટાથી સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન કેટલા મૃત્યુ ના દાખલા નીકળ્યા તેના પરથી કાતિલ કોરોનાનો બિહામણો ચિતાર બહાર આવે.
ભરૂચ પાલિકાની જ વાત કરીએ તો વર્ષ 2019 ના Covid-19 વાઇરસ રહિત નોર્મલ વર્ષમાં 7500 જન્મના દાખલા નીકળ્યા હતા , જ્યારે મૃત્યુના 2300 પ્રમાણપત્ર અપાયા હતા.
હવે 2020 થી કોરોનાની એન્ટ્રી સાથે જન્મના પ્રમાણપત્ર ઘટીને 7000 અને ડેથ સર્ટિફિકેટ વધીને 3000 થયા હતા. કોરોના બીજા વેવ અને હાલના પીક સમયમાં ભરૂચ પાલિકામાંથી એપ્રિલના 28 દિવસમાં જ 614 ડેથ સર્ટિફિકેટ નીકળ્યા છે. જે કોરોનામાં ભરૂચ શહેરમાં જ થયેલા મોતનું ભયાવહ ચિત્ર રજૂ કરી રહ્યા છે.
બીજી તરફ સરકારી ડેથ ઓડિટમાં કોરોના કાળના 393 દિવસમાં 57 લોકોના ભરૂચ જિલ્લામાં કોરોનાથી મૃત્યુ થયાનું સત્તાવાર જાહેર કરાયુ છે.
ભરૂચ પાલિકાની હવે કોરોના પહેલાના વર્ષ અને હાલ કોરોના કાળની તુલના કરીએ તો શહેરમાં ડેથ સર્ટિફિકેટની મહિનાની સરેરાશ 190 થી 192 ની છે. જે હાલ મહિનાની 600 ને પાર જોવા મળી રહી છે. આ આંકડામાં 200 જે દર મહિને થતા સરેરાશ મોત ગણીયે તો પણ ભરૂચ શહેરમાં જ હાલ મહિને 400 લોકોના કોરોનાથી મોત થઈ રહ્યા છે જે પાલિકામાં લોકો ડેથ સર્ટી કઢાવી રહ્યા છે તેનાથી ફલિત થઈ રહ્યું છે.
અંકલેશ્વર પાલિકામાં પણ એપ્રિલના 28 દિવસમાં મૃત્યુના પ્રમાણપત્ર 238 નીકળ્યા છે. જેની મહિનાની સામાન્ય સરેરાશ 60 થી 70 હતી. ભરૂચ-અંકલેશ્વરની 2 પાલિકામાંથી જ 28 દિવસમાં 852 ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયા છે ત્યારે આમોદ અને જંબુસર પાલિકા સાથે જિલ્લાની ગ્રામ પંચાયતો ગણીએ તો જિલ્લામાં હાલ થઈ રહેલા મૃત્યુ તેમજ નીકળતા મૃત્યુના દાખલાનો આંકડો અનેકગણો વધી જશે.
ફક્ત ભરૂચ પાલિકાની જ વાત કરીએ તો કોરોના મૃત્યુ અને નીકળતા ડેથ સર્ટિફિકેટની આ જ ગતિ રહી તો વર્ષ 2021 માં પાલિકા ચોપડે જન્મના નીકળતા દાખલા ને મૃત્યુના દાખલાઓ ચિંતાજનક રીતે ઓવરટેક કરી જશે.
ભરૂચ પાલિકામાં સામાન્ય 1 મહિનામાં સરેરાશ 191 થી 192 ડેથ સર્ટિફિકેટ નીકળે છે, જેની સામે એપ્રિલના 28 દિવસમાં જ 614 ડેથ સર્ટી ઇસ્યુ
વર્ષ 2019 માં 7500 જન્મ, 2300 મરણના દાખલા નીકળ્યા
કોરોના વર્ષ 2020 માં 7000 જન્મ, 3000 મૃત્યુના દાખલા
મોતની આ જ ગતિ રહી તો જન્મના પ્રમાણપત્રને મૃત્યુનું પ્રમાણપત્ર 2021 માં ઓવરટેક કરી જશે
અંકલેશ્વર પાલિકામાં પણ એપ્રિલમાં 238 ડેથ સર્ટિફિકેટ નીકળ્યા
જિલ્લાની અન્ય 2 પાલિકા અને પંચાયતોનો આંક હજી અન ટચ હોય મૃત્યુદર અને તેના દાખલાનો આંક અનેકગણો વધુ
WatchGujarat. ભરૂચમાં જો કોરોનાને લઈ મૃત્યુ આવી રીતે જ વધતા જ રહેશે તો જન્મદર કરતા મૃત્યુદર 2021 માં ઓવરટેક કરી જાય તેવી દહેશત વર્તાઈ રહી છે.
કોરોનાકાળના 393 દિવસમાં સરકારી ડેથ ઓડિટ મુજબ અત્યાર સુધી 57 લોકોના ભરૂચ જિલ્લામાં મૃત્યુ થયા છે. જેની સામે ભરૂચ પાલિકા અને અંકલેશ્વર પાલિકામાંથી માત્ર એપ્રિલના 28 દિવસમાં જ ઇસ્યુ થયેલા ડેથ સર્ટિફિકેટનો આંક 852 છે. બે જ પાલિકાના મૃત્યુ પ્રમાણપત્રના આ અધધ નોંધાયેલા આ આંકડા બહાર આવ્યા છે, હજી તો આમોદ, જંબુસર પાલિકા અને ગ્રામ પંચાયતોમાં નોંધણીનો ડેટાથી સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન કેટલા મૃત્યુ ના દાખલા નીકળ્યા તેના પરથી કાતિલ કોરોનાનો બિહામણો ચિતાર બહાર આવે.
ભરૂચ પાલિકાની જ વાત કરીએ તો વર્ષ 2019 ના Covid-19 વાઇરસ રહિત નોર્મલ વર્ષમાં 7500 જન્મના દાખલા નીકળ્યા હતા , જ્યારે મૃત્યુના 2300 પ્રમાણપત્ર અપાયા હતા.
હવે 2020 થી કોરોનાની એન્ટ્રી સાથે જન્મના પ્રમાણપત્ર ઘટીને 7000 અને ડેથ સર્ટિફિકેટ વધીને 3000 થયા હતા. કોરોના બીજા વેવ અને હાલના પીક સમયમાં ભરૂચ પાલિકામાંથી એપ્રિલના 28 દિવસમાં જ 614 ડેથ સર્ટિફિકેટ નીકળ્યા છે. જે કોરોનામાં ભરૂચ શહેરમાં જ થયેલા મોતનું ભયાવહ ચિત્ર રજૂ કરી રહ્યા છે.
બીજી તરફ સરકારી ડેથ ઓડિટમાં કોરોના કાળના 393 દિવસમાં 57 લોકોના ભરૂચ જિલ્લામાં કોરોનાથી મૃત્યુ થયાનું સત્તાવાર જાહેર કરાયુ છે.
ભરૂચ પાલિકાની હવે કોરોના પહેલાના વર્ષ અને હાલ કોરોના કાળની તુલના કરીએ તો શહેરમાં ડેથ સર્ટિફિકેટની મહિનાની સરેરાશ 190 થી 192 ની છે. જે હાલ મહિનાની 600 ને પાર જોવા મળી રહી છે. આ આંકડામાં 200 જે દર મહિને થતા સરેરાશ મોત ગણીયે તો પણ ભરૂચ શહેરમાં જ હાલ મહિને 400 લોકોના કોરોનાથી મોત થઈ રહ્યા છે જે પાલિકામાં લોકો ડેથ સર્ટી કઢાવી રહ્યા છે તેનાથી ફલિત થઈ રહ્યું છે.
અંકલેશ્વર પાલિકામાં પણ એપ્રિલના 28 દિવસમાં મૃત્યુના પ્રમાણપત્ર 238 નીકળ્યા છે. જેની મહિનાની સામાન્ય સરેરાશ 60 થી 70 હતી. ભરૂચ-અંકલેશ્વરની 2 પાલિકામાંથી જ 28 દિવસમાં 852 ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયા છે ત્યારે આમોદ અને જંબુસર પાલિકા સાથે જિલ્લાની ગ્રામ પંચાયતો ગણીએ તો જિલ્લામાં હાલ થઈ રહેલા મૃત્યુ તેમજ નીકળતા મૃત્યુના દાખલાનો આંકડો અનેકગણો વધી જશે.
ફક્ત ભરૂચ પાલિકાની જ વાત કરીએ તો કોરોના મૃત્યુ અને નીકળતા ડેથ સર્ટિફિકેટની આ જ ગતિ રહી તો વર્ષ 2021 માં પાલિકા ચોપડે જન્મના નીકળતા દાખલા ને મૃત્યુના દાખલાઓ ચિંતાજનક રીતે ઓવરટેક કરી જશે.