સાવલીના વાસનપુરા ગામમાં કાગડાના મોત થયા હતા, તેનું કારણ બર્ડ ફ્લૂ હોવાનું તપાસ બાદ સામે આવ્યું હતું
ત્યાર બાદ પક્ષીઓ મરવાના કિસ્સાઓમાં બર્ડ ફ્લૂ નેગેટીવ આવતા સ્થાનિક તંત્રને હાથકારો થયો હતો
ગુરૂવારે ડભાસાના તળાવમાં શંકાસ્પદ રીતે કાંકણસાર પક્ષીના મૃતદેહ મળતા ચકચાર મચી
WatchGujarat. બર્ડ ફ્લૂને કારણે દેશમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. ગુરૂવારે વડોદરાથી નજીક આવેલા પાદરાના ડભાસા ખાતે આવેલા તળાવ કિનારે 20 જેટલા કાંકણસાર પક્ષીઓના મૃત દેહ મળી આવ્યા હતા. જેને કારણે બર્ડ ફ્લૂની દહેશત વ્યાપી ગઇ છે. વન વિભાગ દ્વારા પક્ષીઓના મૃતદેહને કબ્જા કરીને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.
કોરોના કાળમાં બર્ડ ફ્લૂને પગલે દેશના અનેક રાજ્યોમાં અસંખ્યા પક્ષીઓના મોત થયા હતા. વડોદરા નજીક આવેલા સાવલીના વસંતપુરા ગામમાં કાગડાઓના મોત થયા હતા. મૃતદેહોના સેમ્પલને પુના પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બર્ડ ફ્લૂ ફેલાતો અટકાવવા માટે તકેદારીના પગલા લેવામાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ શહેરમાં અનેક જગ્યાઓ પર પક્ષીઓ મરવાની ઘટના સામે આવી હતી. પરંતુ તેવા કિસ્સામાં બર્ડ ફ્લુ રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.
ગુરૂવારે પાદરાના ડભાસા ગામના તળાવ કિનારે કાંકણસાર પક્ષીઓના શંકાસ્પદ મોત થયાની ઘટના સામે આવી હતી. તળાવ કિનારે 20 જેટસા કાંકણસાર પક્ષીઓના મૃતદેહ મળતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. વન વિભાગે તમામ કાંકણસાર પક્ષીઓના મૃતદેહને સાવચેતી પુર્વક કબ્જે કરી પીએમ અર્થે મોકલી આપ્યા હતા.
વન કર્મીએ જણાવ્યું હતું કે, કાંકણસાર પક્ષીઓના મૃત્યુ અંગેના કારણ જાણવા માટે પીએમ અર્થે મોકલવામાં આવશે. ત્યાર બાદ ચોક્કસ કારણ જાણી શકાશે. જો કે કાંકણસાર પક્ષીઓના મોટી સંખ્યામાં મૃત્યુ પાછળ બર્ડ ફ્લૂ કારણ છે કે નહિ તે અંગે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.
સાવલીના વાસનપુરા ગામમાં કાગડાના મોત થયા હતા, તેનું કારણ બર્ડ ફ્લૂ હોવાનું તપાસ બાદ સામે આવ્યું હતું
ત્યાર બાદ પક્ષીઓ મરવાના કિસ્સાઓમાં બર્ડ ફ્લૂ નેગેટીવ આવતા સ્થાનિક તંત્રને હાથકારો થયો હતો
WatchGujarat. બર્ડ ફ્લૂને કારણે દેશમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. ગુરૂવારે વડોદરાથી નજીક આવેલા પાદરાના ડભાસા ખાતે આવેલા તળાવ કિનારે 20 જેટલા કાંકણસાર પક્ષીઓના મૃત દેહ મળી આવ્યા હતા. જેને કારણે બર્ડ ફ્લૂની દહેશત વ્યાપી ગઇ છે. વન વિભાગ દ્વારા પક્ષીઓના મૃતદેહને કબ્જા કરીને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.
કોરોના કાળમાં બર્ડ ફ્લૂને પગલે દેશના અનેક રાજ્યોમાં અસંખ્યા પક્ષીઓના મોત થયા હતા. વડોદરા નજીક આવેલા સાવલીના વસંતપુરા ગામમાં કાગડાઓના મોત થયા હતા. મૃતદેહોના સેમ્પલને પુના પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બર્ડ ફ્લૂ ફેલાતો અટકાવવા માટે તકેદારીના પગલા લેવામાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ શહેરમાં અનેક જગ્યાઓ પર પક્ષીઓ મરવાની ઘટના સામે આવી હતી. પરંતુ તેવા કિસ્સામાં બર્ડ ફ્લુ રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.
ગુરૂવારે પાદરાના ડભાસા ગામના તળાવ કિનારે કાંકણસાર પક્ષીઓના શંકાસ્પદ મોત થયાની ઘટના સામે આવી હતી. તળાવ કિનારે 20 જેટસા કાંકણસાર પક્ષીઓના મૃતદેહ મળતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. વન વિભાગે તમામ કાંકણસાર પક્ષીઓના મૃતદેહને સાવચેતી પુર્વક કબ્જે કરી પીએમ અર્થે મોકલી આપ્યા હતા.
વન કર્મીએ જણાવ્યું હતું કે, કાંકણસાર પક્ષીઓના મૃત્યુ અંગેના કારણ જાણવા માટે પીએમ અર્થે મોકલવામાં આવશે. ત્યાર બાદ ચોક્કસ કારણ જાણી શકાશે. જો કે કાંકણસાર પક્ષીઓના મોટી સંખ્યામાં મૃત્યુ પાછળ બર્ડ ફ્લૂ કારણ છે કે નહિ તે અંગે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.