WatchGujarat. કોરોનાને કારણે શૈક્ષણીક ક્ષેત્ર સહિત અન્ય ક્ષેત્રો અસરગ્રસ્ત થયા હતા. સરકાર દ્વારા બાળકોના શિક્ષણને ધ્યાને રાખીને ઓનલાઇન એજ્યુકેશન ચાલુ કરવામાં આવ્યું હતું. જો કે, રાજ્યમાં કોરોનાનો વેગ ધીમો પડતા શાળાઓ પુન: શરૂ કરવા માટેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવ્યો હતો. રાજ્યમાં અનેક જગ્યાઓ પર વાલીઓ દ્વારા શાળાઓ ખોલવાના નિર્ણયનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે શાળામાં આવતા બાળકો કોરોના પોઝીટીવ આવવાના કિસ્સાઓ સામે આવતા પુન : ઓનલાઇન શિક્ષણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ઉત્તર બુનિયાદી આદિવાસી આશ્રમશાળાના 173 વિદ્યાર્થીઓના અને 7 શિક્ષકોના કોરોના કોરોના 19 ના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 12 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામ ખાતે આવેલ ઉતર બુનિયાદી આદિવાસી આશ્રમશાળાના 173 બાળકો અને 7 જેટલા શિક્ષકો માંથી 12 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ભય જોવા મળ્યો હતો. કોરોના પોઝિટિવ આવેલ 12 બાળકોને છોટાઉદેપુર કોવિડ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને બાકીના બાળકોને પોતપોતાના ઘરે રવાના કરી દેવામાં આવ્યા હતા.
છોટાઉદેપુર આશ્રમશાળા સંચાલક મંડળના અધ્યક્ષ રમેશભાઈ ખત્રી એ જણાવ્યું હતું કે, ચિચોડ આશ્રમશાળાના વિદ્યાર્થીઓ ને શરદી ખાસીના લક્ષણો જણાતા આરોગ્ય વિભાગને જાણ કરી હતી. જે અંગે આરોગ્ય ખાતાની ટિમ તપાસ અર્થે આવતા 173 બાળકો અને 7 શિક્ષકોમાંથી 12 બાળકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ એક અઠવાડિયું આશ્રમ શાળા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
WatchGujarat. કોરોનાને કારણે શૈક્ષણીક ક્ષેત્ર સહિત અન્ય ક્ષેત્રો અસરગ્રસ્ત થયા હતા. સરકાર દ્વારા બાળકોના શિક્ષણને ધ્યાને રાખીને ઓનલાઇન એજ્યુકેશન ચાલુ કરવામાં આવ્યું હતું. જો કે, રાજ્યમાં કોરોનાનો વેગ ધીમો પડતા શાળાઓ પુન: શરૂ કરવા માટેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવ્યો હતો. રાજ્યમાં અનેક જગ્યાઓ પર વાલીઓ દ્વારા શાળાઓ ખોલવાના નિર્ણયનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે શાળામાં આવતા બાળકો કોરોના પોઝીટીવ આવવાના કિસ્સાઓ સામે આવતા પુન : ઓનલાઇન શિક્ષણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ઉત્તર બુનિયાદી આદિવાસી આશ્રમશાળાના 173 વિદ્યાર્થીઓના અને 7 શિક્ષકોના કોરોના કોરોના 19 ના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 12 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
છોટાઉદેપુર તાલુકાના ચિચોડ ગામ ખાતે આવેલ ઉતર બુનિયાદી આદિવાસી આશ્રમશાળાના 173 બાળકો અને 7 જેટલા શિક્ષકો માંથી 12 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ભય જોવા મળ્યો હતો. કોરોના પોઝિટિવ આવેલ 12 બાળકોને છોટાઉદેપુર કોવિડ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને બાકીના બાળકોને પોતપોતાના ઘરે રવાના કરી દેવામાં આવ્યા હતા.
છોટાઉદેપુર આશ્રમશાળા સંચાલક મંડળના અધ્યક્ષ રમેશભાઈ ખત્રી એ જણાવ્યું હતું કે, ચિચોડ આશ્રમશાળાના વિદ્યાર્થીઓ ને શરદી ખાસીના લક્ષણો જણાતા આરોગ્ય વિભાગને જાણ કરી હતી. જે અંગે આરોગ્ય ખાતાની ટિમ તપાસ અર્થે આવતા 173 બાળકો અને 7 શિક્ષકોમાંથી 12 બાળકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ એક અઠવાડિયું આશ્રમ શાળા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.