WatchGujarat. અલકાપુરી ગરનાળામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે 10 કિમી દુર સુધી તેનો ઘુમાડો જોઇ શકાતો હતો. આગ લાગવાને કારણે ફાટર ફાયટર તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
https://youtu.be/duVT-7sxzFs
શહેરમાં ગેસ લાઇનમાં લીકેજના કારણે આગ લાગવાની ઘટના અવાર – નવાર બનતી હોય છે. પરંતુ બુધવારે શહેરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ભીષણ આગની ઘટના બની હતી. અલકાપુરીથી સ્ટેશન જતા આવતા ગરનાળામાં શોર્ટ સર્કિટ થતા લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એ હદે વિકરાળ બની હતી કે, 10 કિમી દુર સુધી ઘુમાડાના ગોટા જોવા મળ્યા હતા.
ગરનાળા નજીક આગને પગલે બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. આગ લાગવાની ઘટનાને પગલે લોકોમાં ઉત્તેજના વ્યાપી હતી. અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક સુત્રના જણાવ્યા પ્રમાણે, જોત જોતામાં ગરનાળા ઉપર આવેલા પ્લેટફોર્મ સુધી આગની જ્વાળાઓ પ્રસરી હતી. હાલ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આગની ઘટના પર કાબુ મેળવવાની તજવિજ ચાલી રહી છે. સયાજીગંજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફીકનું નિયમન કરવાનું શરૂ કરી દીધું હતું.
https://youtu.be/UMOxSvd1ozM
આગની ઘટનાને પગલે સાવચેતીના ભાગ રૂપે ગરનાળા પાસેથી પસાર થતી ગેસ લાઇનને બંધ કરી દેવામાં આવી હતી. જેને પગલે મોટી દુર્ઘટના ટળી હતી.
WatchGujarat. અલકાપુરી ગરનાળામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે 10 કિમી દુર સુધી તેનો ઘુમાડો જોઇ શકાતો હતો. આગ લાગવાને કારણે ફાટર ફાયટર તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
શહેરમાં ગેસ લાઇનમાં લીકેજના કારણે આગ લાગવાની ઘટના અવાર – નવાર બનતી હોય છે. પરંતુ બુધવારે શહેરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ભીષણ આગની ઘટના બની હતી. અલકાપુરીથી સ્ટેશન જતા આવતા ગરનાળામાં શોર્ટ સર્કિટ થતા લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એ હદે વિકરાળ બની હતી કે, 10 કિમી દુર સુધી ઘુમાડાના ગોટા જોવા મળ્યા હતા.
ગરનાળા નજીક આગને પગલે બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. આગ લાગવાની ઘટનાને પગલે લોકોમાં ઉત્તેજના વ્યાપી હતી. અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક સુત્રના જણાવ્યા પ્રમાણે, જોત જોતામાં ગરનાળા ઉપર આવેલા પ્લેટફોર્મ સુધી આગની જ્વાળાઓ પ્રસરી હતી. હાલ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આગની ઘટના પર કાબુ મેળવવાની તજવિજ ચાલી રહી છે. સયાજીગંજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફીકનું નિયમન કરવાનું શરૂ કરી દીધું હતું.
આગની ઘટનાને પગલે સાવચેતીના ભાગ રૂપે ગરનાળા પાસેથી પસાર થતી ગેસ લાઇનને બંધ કરી દેવામાં આવી હતી. જેને પગલે મોટી દુર્ઘટના ટળી હતી.