કોરોના કાળમાં મેડિકલ સ્ટાફ લોકો માટે દેવદૂત બનીને લોકોની સેવા કરી રહ્યા છે
ગોધરા એસઓજીએ બાતમીના આધારે છાપો મારતા અલગ અલગ કંપની ના 7 બોક્સ માં કુલ 135 નંગ રેપીડ એન્ટીજન કિટો મળી આવી
તપાસના આધારે પોલીસ દવારા ગોધરા બી ડિવિઝન પોલિસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
WatchGujarat. સમગ્ર વિશ્વ સાથે ભારત દેશ કોરોના સામે ઝઝુમી રહ્યો છે. દેશ ના તમામ લોકો કોરોનાને હરાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ઘણી સામાજિક સંસ્થાઓ લોકોની મદદ માટે આગળ આવી રહી છે. ત્યારે અમુક લેભાગુ તત્વો હાલની સ્થિતીનો ગેરલાભ લઇ રહ્યા છે. પહેલા રેમડીસીવર નકલી મળી આવ્યા તો ક્યાંક તેનો ઉંચો ભાવ વસુલવામાં આવતો હતો. અને જરૂરિયાત વાળી વ્યક્તિ પોતાના સ્વજન માટે કાળાબજારીમાં પણ ઇન્જેક્શન લેવા માટે મજબુર હતો.
હાલ કોરોના કાળમાં મેડિકલ સ્ટાફ લોકો માટે દેવદૂત બનીને લોકોની સેવા કરી રહ્યા છે. ત્યારે ગુરૂવારે સમગ્ર આરોગ્ય વિભાગની મહેનતને કલંકિત કરનારી કરાર આધારિત ફાર્માસિસ્ટની કરતુત સામે આવી છે. ફાર્મસીસ્ટ ઘરે એન્ટીજન ટેસ્ટની કીટ દ્વારા કોરોનાનો ટેક્સ કરતો હતો. જો કે, પંચમહાલ એસઓજીએ ફાર્માસિસ્ટની ઘરપકડ કરી હતી.
ગોધરા એસ ઓ જી ના પી આઈ એમ. પી. પંડ્યા માહિતી મળી હતી કે, ગોધરાના રાણી મસ્જિદ સામે મીઠીખાના મહોલ્લામાં એક વ્યક્તિ ઘરે જ કોરોનાના ટેસ્ટ ઘરે કરી રહ્યો છે. અને તેના વધુ નાણાં વસુલી રહ્યો છે. જાણ થતાં પી આઈ પંડ્યા તેમજ એસ ઓ જી શાખાના કર્મીએ અને જિલ્લા ફાર્માસિસ્ટ એ એન પારેખ તથા બીજા અન્ય પંચો ને સાથે રાખી માહિતી વાળી જગાએ છાપો મારવામાં આવ્યો હતો. છાપામાં રિઝવાન એહમદ ભાઈજમાલ ના ઘરે તપાસ કરતા અલગ અલગ કંપની ના 7 બોક્સ માં કુલ 135 નંગ રેપીડ એન્ટીજન કિટો મળી આવી હતી. અને જેની કિંમત 2,02,500 (બે લાખ બે હજાર પાંચસો) મળી આવ્યા હતા.
વધુ તપાસ કરતા ઘરમાં કોરોના ટેસ્ટ કરી આપતી વ્યક્તિ વેજપુલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં ફાર્મસીસ્ટ તરીકે ફરજ બજાવે છે. તપાસના આધારે પોલીસ દવારા ગોધરા બી ડિવિઝન પોલિસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોરોના કાળમાં મેડિકલ સ્ટાફ લોકો માટે દેવદૂત બનીને લોકોની સેવા કરી રહ્યા છે
ગોધરા એસઓજીએ બાતમીના આધારે છાપો મારતા અલગ અલગ કંપની ના 7 બોક્સ માં કુલ 135 નંગ રેપીડ એન્ટીજન કિટો મળી આવી
WatchGujarat. સમગ્ર વિશ્વ સાથે ભારત દેશ કોરોના સામે ઝઝુમી રહ્યો છે. દેશ ના તમામ લોકો કોરોનાને હરાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ઘણી સામાજિક સંસ્થાઓ લોકોની મદદ માટે આગળ આવી રહી છે. ત્યારે અમુક લેભાગુ તત્વો હાલની સ્થિતીનો ગેરલાભ લઇ રહ્યા છે. પહેલા રેમડીસીવર નકલી મળી આવ્યા તો ક્યાંક તેનો ઉંચો ભાવ વસુલવામાં આવતો હતો. અને જરૂરિયાત વાળી વ્યક્તિ પોતાના સ્વજન માટે કાળાબજારીમાં પણ ઇન્જેક્શન લેવા માટે મજબુર હતો.
હાલ કોરોના કાળમાં મેડિકલ સ્ટાફ લોકો માટે દેવદૂત બનીને લોકોની સેવા કરી રહ્યા છે. ત્યારે ગુરૂવારે સમગ્ર આરોગ્ય વિભાગની મહેનતને કલંકિત કરનારી કરાર આધારિત ફાર્માસિસ્ટની કરતુત સામે આવી છે. ફાર્મસીસ્ટ ઘરે એન્ટીજન ટેસ્ટની કીટ દ્વારા કોરોનાનો ટેક્સ કરતો હતો. જો કે, પંચમહાલ એસઓજીએ ફાર્માસિસ્ટની ઘરપકડ કરી હતી.
ગોધરા એસ ઓ જી ના પી આઈ એમ. પી. પંડ્યા માહિતી મળી હતી કે, ગોધરાના રાણી મસ્જિદ સામે મીઠીખાના મહોલ્લામાં એક વ્યક્તિ ઘરે જ કોરોનાના ટેસ્ટ ઘરે કરી રહ્યો છે. અને તેના વધુ નાણાં વસુલી રહ્યો છે. જાણ થતાં પી આઈ પંડ્યા તેમજ એસ ઓ જી શાખાના કર્મીએ અને જિલ્લા ફાર્માસિસ્ટ એ એન પારેખ તથા બીજા અન્ય પંચો ને સાથે રાખી માહિતી વાળી જગાએ છાપો મારવામાં આવ્યો હતો. છાપામાં રિઝવાન એહમદ ભાઈજમાલ ના ઘરે તપાસ કરતા અલગ અલગ કંપની ના 7 બોક્સ માં કુલ 135 નંગ રેપીડ એન્ટીજન કિટો મળી આવી હતી. અને જેની કિંમત 2,02,500 (બે લાખ બે હજાર પાંચસો) મળી આવ્યા હતા.
વધુ તપાસ કરતા ઘરમાં કોરોના ટેસ્ટ કરી આપતી વ્યક્તિ વેજપુલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં ફાર્મસીસ્ટ તરીકે ફરજ બજાવે છે. તપાસના આધારે પોલીસ દવારા ગોધરા બી ડિવિઝન પોલિસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.